ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આ રીતે થશે મૂલ્યાંકન, જો તમારું બાળક પણ હતુ 10 ધોરણમાં તો તમારા માટે જાણવું છે જરૂરી

ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત ઘણા દિવસો પહેલા કરી દેવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી શાળાઓ, વાલીઓ અવઢવમાં હતા કે માસ પ્રમોશન બાદ બાળકોને માર્કશીટ કેવી રીતે મળશે, તેમાં શું લખેલું આવશે અને બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનની પદ્ધતિ ફાઈનલ કરી દેવામાં આવી છે. જો કે આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધોરણ 10ના રિપીટર વિદ્ય્રાથીઓની પરીક્ષા કોરોનાના કેસની સ્થિતિ કાબૂમાં આવશે પછી લેવાશે. પરિણામ જૂનના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

image source

હાલ વાત કરીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની તો મૂલ્યાંકન પદ્ધતિમાં શાળાકીય મૂલ્યાંકન 20 ગુણમાંથી ગણવામાં આવશે. બાકીના 80 ગુણ માટે પણ વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9ની પ્રથમ કસોટીના 20 માર્ક, દ્રિતીય કસોટીના 20 માર્ક અને માર્ચ 2021માં લેવામાં આવેલી ધોરણ 10ની ઓફલાઈન માધ્યમની અલગ અલગ પરીક્ષાઓના 30-30 માર્ક ગણવામાં આવશે.

આ સિવાય રાજ્ય સરકારે જે એકમ કસોટી લીધી હશે તેના 10 માર્ક ગણવામાં આવશે. આ રીતે 80 માર્ક અને 20 માર્ક શાળાના એમ કુલ મળીને 100 માર્કમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ આપવામાં આવશે.

image source

આ વાત પર સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થીઓને માર્કશીટમાં માસ પ્રમોશન એવું લખવામાં આવશે નહીં. પરંતુ ધોરણ 9 અને 10ની પરીક્ષાઓના આધારે માર્કશીટ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 12ના પરિણામ માટે રાજ્ય સરકાર એ નિયમનો અમલ કરશે જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. આ સાથે જ સામે આવ્યું છે કે વિદ્યાર્થીઓને 80માંથી 26 કે શાળાના 20માંથી 7 માર્ક પણ નહીં આવે તેને પણ પાસ કરી દેવામાં આવશે. તેમની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખી આપવામાં આવશે.

જણાવી દઈએ કે માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 11 કે ત્યારપછી ના વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક છે તેમ જણાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!