‘રામ તેરી ગંગા મેલી’થી ફેમસ થયેલી મંદાકિની હવે કરવા જઇ રહી છે કંઇક એવું કે…જે જાણીને તમે પણ નાચવા લાગશો

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ની અભિનેત્રી મંદાકિની ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દુર રહ્યા છે. જો કે, એમના ફેંસ હજી પણ એમને યાદ કરતા રહે છે. અભિનેત્રી મંદાકિનીએ પોતાના ફેંસને ખુશખબરી આપતા હવે અભિનેત્રી મંદાકિની ફરીથી પ્રવેશ કરવા જઈ રહી છે.

સ્ક્રીપ્ટ વાંચવામાં વ્યસ્ત છે.

image source

જી હા, અભિનેત્રી મંદાકિની હાલના સમયમાં સ્ક્રીપ્ટ વાંચી રહી છે અને જલ્દી જ અભિનેત્રી મંદાકિની કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી મંદાકિનીના મેનેજર બાબુભાઈ થીબાએ આ અંગે જાણકારી આપી છે. અભિનેત્રી મંદાકિનીના મેનેજર બાબુભાઈ થીબાએ જણાવ્યું છે કે, અભિનેત્રી મંદાકિની દમદાર પાત્રની શોધ કરી રહી છે.

image source

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સમયે અભિનેત્રી મંદાકિનીના મેનેજર બાબુભાઈ થીબાએ કહ્યું છે કે, ‘નિશ્ચિત રીતે અભિનેત્રી મંદાકિની પરત ફરવાની છે અને હાલના સમયમાં તેઓ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. અભિનેત્રી મંદાકિની ફિલ્મો અને વેબ સીરીઝમાં અભિનય કરવા માટે તૈયાર છે પરંતુ અભિનેત્રી મંદાકિની એવો પ્રોજેક્ટ ઈચ્છે છે જેમાં તેઓ મુખ્ય ભૂમિકાનું પાત્ર નિભાવવા માટે મળે’.

તમામ બાબતો નક્કી થઈ ગયા બાદ અભિનેત્રી મંદાકિની આ વિષે મીડિયાને પણ માહિતી આપી દેવામાં આવશે. જો કે, હાલમાં અભિનેત્રી મંદાકિની પોતાના આવનાર પ્રોજેક્ટને સિલેક્ટ કરવા માટે સમય લઈ રહી છે.

ભાઈએ આપી દીધી સલાહ.

image source

અભિનેત્રી મંદાકિનીના ભાઈ ભાનુએ તેમને ફરીથી અભિનય કરવા માટે પાછા ફરવા પર ભાર આપ્યો. ભાનુએ કહ્યું છે કે, ‘જયારે અભિનેત્રી મંદાકિની કોલકાતામાં દુર્ગા પુજાના પંડાલમાં ગઈ, ત્યારે મેં જોયું હતું કે, અભિનેત્રી મંદાકિની હજી પણ જોરદાર ફેન ફોલોઈંગ ધરાવી રહી છે. ત્યારે મેં એમને કહ્યું હતું કે, તેમણે પોતાના એક્ટિંગ કરિયરને ફરીથી શરુ કરવામાં આવવું જોઈએ. અભિનેત્રી મંદાકિનીને ટીવી શો ‘છોટી સરદારની’માં મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવવા માટે ઓફર મળી હતી. પરંતુ અભિનેત્રી મંદાકિનીએ ટીવી શો ‘છોટી સરદારની’ના મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવવા માટે મનાઈ કરી દીધી. અભિનેત્રી મંદાકિનીએ એના માટે અનિતા રાજના નામનું સૂચન કર્યું હતું.

વર્ષોથી મોટા પરદાથી દુરી જાળવી રાખી છે.

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી મંદાકિની છેલ્લી વાર વર્ષ ૨૦૦૨માં બંગાળી ફિલ્મ ‘અમર પ્રેમ’ માં જોવા મળી હતી.

image source

અભિનેત્રી મંદાકિનીને રાજ કપૂરની શોધ માનવામાં આવે છે. રાજ કપૂરએ અભિનેત્રી મંદાકિનીને પોતાની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે કાસ્ટ કરવામાં આવ્યા. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં રાજ કપૂરના નાના દીકરા રાજીવ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ બોક્સ ઓફીસ પર સુપર હીટ સાબિત થઈ હતી. ત્યાર બાદ અભિનેત્રી મંદાકિનીએ ‘ડાંસ ડાંસ’, ‘કહાં હૈ કાનુન’ અને ‘પ્યાર કરકે દેખો’ સહિત બીજી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેઓને એટલી સફળતા પ્રાપ્ત કરી શકી નહી.