નુસરત જહાં અને યશ દાસગુપ્તાની આ હકીકત જાણીને તમને આશ્ચ્ર્ય થશે
TMC સાંસદ અને અભિનેત્રી સાંસદ નુસરત જહાં લાંબા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નિખિલ જૈન સાથેના તેના લગ્નને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ અને તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા બાદ નુસરત પ્રસિદ્ધિમાં આવી હતી. આ જ વર્ષે તે માતા બની, 26 ઓગસ્ટના રોજ તેણે પુત્ર ઈશાનને જન્મ આપ્યો. આ સાથે, બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે તેના અફેરના સમાચારો પણ ચર્ચામાં રહે છે.
નુસરતના લગ્ન યશ દાસગુપ્તા સાથે થયા
નુસરત જહાંએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના પરથી ખબર પડે છે કે તેણે યશદાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને ચાહકોને તેની તસવીરો ખૂબ ગમે છે. હવે નુસરત અને યશની આ તસવીરો કહી રહી છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે, તેણે પોતાના લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.
યશ દાસગુપ્તાનો જન્મદિવસ 10 ઓક્ટોબરે હતો. આ ખાસ પ્રસંગે નુસરત જહાંએ કેક કાપી અને તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. સૌથી મહત્વની વાત એ છે કે આ તસવીરમાં તેણે પતિ અને પિતા લખ્યું હતું. આ પરથી જાણી શકાય છે કે ઈશાનના પિતા યશ દાસગુપ્તા છે તેમજ એવું પણ જાણવા મળ્યું છે કે નુસરત અને યશે લગ્ન કરી લીધા છે અને હવે તે તેના પતિ છે.
નુસરતે યશ સાથે એક તસવીર પોસ્ટ કરી જેમાં બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. નુસરતે પતિ યશને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે તસવીર પર લખ્યું – હેપ્પી બર્થ ડે અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી. નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ પુત્ર ઇશાનને જન્મ આપ્યો હતો અને તે સમયે ચારે બાજુથી એક જ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે તેના બાળકનો પિતા કોણ છે.
નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્ન તૂટવાના સમાચારે ભારે હંગામો મચાવ્યો હતો. બંનેએ વર્ષ 2019 માં લગ્ન કર્યાં અને થોડા સમય પછી તેમના સંબંધોમાં તિરાડ પડી. આ પછી નુસરત જહાંનો બેબી બમ્પ સામે આવ્યા બાદ પણ ઘણા સવાલો ઉભા થયા હતા, જેના પર નિખિલ જૈને કહ્યું હતું કે તેમને બાળક વિશે કોઈ માહિતી નથી.
નિખિલ જૈને પણ નુસરતને માતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નુસરતના બાળકના જન્મ નોંધણીની વિગતો જાહેર ક્ષેત્રમાં જાહેર કરવામાં આવી હતી. જન્મ નોંધણીની વિગતોમાં બાળકનું નામ ‘ઈશાન’ દાસગુપ્તા લખેલું જોવા મળ્યું હતું. પિતાના નામની જગ્યાએ યશ દાસગુપ્તનું નામ હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે યશદાસ ગુપ્તા નુસરતના બાળકના પિતા છે. યશ દાસગુપ્તાએ સૌપ્રથમ બાળકના જન્મ વિશે માહિતી આપી હતી.