તારક મહેતાના કલાકારોની અવનવી વાતો, જેઠાલાલે બધાની સામે જ જાહેરમાં દયાભાભી વિશે કરી નાખી આવી વાત

આજે એક એવી વાત કરવી છે કે જે જાણીને બધાને નવાઈ લાગશે. કારણ કે જેઠાલાલ અને દયાભાભી બધાના દિલમાં વસી ગયા છે. ત્યારે આ બે કલાકારને લઈને જ એક વાત સામે આવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ‘એટલે કે દિલીપ જોશી અને’ દયા બેન ‘એટલે કે દિશા વાકાણીની જોડી હાલમાં ઘરે ઘરે પ્રખ્યાત છે. તેમની કેમિસ્ટ્રીની સાથે તેમની સ્ટાઇલને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી. બંનેની જોડી જેટલી સ્ક્રીન પર સારી હતી રિયલ લાઈફમાં પણ બન્નેને એટલું જ સારુ બને છે.

image source

જોકે આ સાથે સાથે જ દિશા વાકાણીને એવી આદત છે કે જે દિલીપ જોશીને જે જરાય નથી ગમતી. આ વાત ખુદ દિલીપ જોશીએ દિશા વાકાણીની સામે કરી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીએ એક ઇન્ટરવ્યૂમાં એકબીજાની સારી અને ખરાબ આદતો વિશે જણાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આ મોકા પર દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે દિશા વાકાણીની કઈ આદત તેમને સૌથી વધુ ખરાબ લાગે છે.

image source

આ સિવાય ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ પોતાની અને દિશા વાકાણીના બોન્ડ વિશે પણ ઘણી વાતો કરી હતી. તેમણે કહ્યું, “અમને એકબીજા પ્રત્યે ઘણું માન છે અને અમે ખૂબ વ્યાવસાયિક પણ છીએ. ઓફ-સ્ક્રીન પણ અમાકા ખૂબ જ સારા સંબંધ છે. આ સાથે દિલીપ જોશીએ ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીના કામની પ્રશંસા પણ કરી હતી.

image source

દિલીપ જોશીએ દયાની આદત વિશે વાત કરી અને જણાવ્યું હતું કે, “હું તેની આ જ આદતને પસંદ પણ કરું છું અને નાપસંદ પણ કરું છું. તે ક્યારેય ફરિયાદ નથી કરતી. ઘણી વાર લોકોએ ફરિયાદ કરવી જોઈએ જો તે અસ્વસ્થતા અનુભવતા હોય તો તેઓએ અન્ય મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. પરંતુ તે ક્યારેય કોઈ જાતની ફરિયાદ નથી કરતી. બીજી તરફ, દિશા વાકાણીએ દિલીપ જોશીની આદતો વિશે જણાવ્યું હતું કે, “દિલીપ જી વિશે મને જે ગમે છે તેમાં સૌથી વધારે એ વાત છે કે તે તેના પરિવારની સંભાળ ખુબ રાખે છે. તેમનામાં કશું જ એવું નથી કે જેને નાપસંદ કરી શકાય.

image source

આ સાથે જ બીજી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી એ વાતની ચર્ચા થઈ રહી હતી કે દયાભાભી એટલે કે દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ હંમેશાં માટે છોડી દીધી છે. દિવ્ય ભાસ્કરે આ અંગે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સાથે વાત કરી હતી. વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે સો.મીડિયામાં લોકો કંઈપણ લખી નાખે છે અને તેઓ ક્યારેય સો.મીડિયા જોતા નથી. દિશાએ સિરિયલ છોડી એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. તે અને તેમની ટીમ દિશાને પરત લાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!