અભિનેત્રી મૌની રોયે ગીતાનું જ્ઞાન તેના ચાહકોને આપ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શ્રીમદ્ ભાગવત ગીતાના ઘણા પાના શેર કર્યા છે. તેણે તેના ચાહકોને કહ્યું છે કે આખરે મનુષ્ય શા માટે આગામી જીવનમાં ડુક્કર અને સાપ બને છે. તેમણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “પ્રકરણ આઠ (ભક્તિ યોગ) પ્રેમ અને સમર્પણ સમજાવે છે.
પ્રકરણ ૮.૫ અને ૮.૬ મારા હૃદયની નજીક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે આપણે જે વિચારીએ છીએ તે આપણને મળે છે. આપણે આગામી જીવનમાં પણ તે જ બની જઈએ છીએ. મૃત્યુ સમયે જો આપણે ખાવાનું વિચારીશું તો આપણે આગામી જીવનમાં ડુક્કર બની શું ? જે લોકો પૈસા વિશે વિચારે છે તેઓ આગામી જીવનમાં સાપ બની જાય છે.
તેમણે લખ્યું હતું કે, તેમાં આઝમિલ ની વાર્તા કરતાં ઘણું બધું છે. એટલે તમારું આખું જીવન ભક્તિ અને પ્રેમ ના માર્ગ પર વિતાવો, જેથી આધ્યાત્મિકતા આપણા હૃદય, મન અને આત્મામાં સમાયેલી હોય. પ્રભુના ચરણોમાં સ્થાન ન મળે તો જીવનનો સાર શું હશે ?
તેણે પોતાના ચાહકો ને કહ્યું કે જો શક્ય હોય તો તેણે ગીતાના આ પાનાં વાંચવા જ જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ” જો મારી સમજમાં કંઈક ખોટું થાય તો હું દિલગીર છું.” હું ફક્ત પ્રેમ થી જે શીખી છુ તે શેર કરવા માંગુ છું. હરે કૃષ્ણ.
મૌની રોયની આ પોસ્ટને એક લાખ થી વધુ લોકોએ પસંદ કરી છે, અને હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો તેની આ સુંદર પોસ્ટ પર તેમના પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. મૌની રોય તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકદમ સક્રિય છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરે છે.
તેણે સાડીમાં પોતાનો એક નવો ફોટો શેર કર્યો છે, જેને દોઢ લાખ થી વધુ લોકોએ પસંદ કર્યો છે, અને તેના ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. મૌની રોય ટીવી ની ‘નાગિન’ તરીકે ઘરઘરમાં ખ્યાતિ મેળવી છે. તે છત્રીસ વર્ષ ની છે, અને તેણે ‘ ક્યોકી સાસ ભી કભી બહુ થી ‘ સાથે કારકિર્દી ની શરૂઆત કરી હતી.