ચમકતી અને ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે યુવતીઓ લાખો રૂપિયા ખર્ચ કરી દેતી હોય છે. દરેકને પોતાની સ્કીન સ્વસ્થ અને શાઈની રહે તે માટેની મહેચ્છા હોય છે. પણ અનેક ઉપાયો કર્યા બાદ પણ તેઓ આ કામ કરી શકતા નથી અથવા તો તેમની સ્કીન પર તેની અસર દેખાતી નથી. તમે નેચરલી સુંદર અને સાફ સ્કીન ઈચ્છો છો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ઘરના રસોડાની જ મદદ લઈ શકો છો.
તમારા ઘરની રસોઈમાં રહેલું ટામેટું તમારી સુંદરતા વધારવામાં તમારી મદદ કરે છે. જે ટામેટા રસોઈનો સ્વાદ વધારે છે તેના અન્ય ઉપયોગથી આપણે અજાણ હોઈએ છીએ. તો જાણો ક્લીઅર સ્કીન મેળવવામાં ટામેટું કઈ રીતે ઉપયોગી બને છે.
આ રીતે ટામેટાનો ફેસ પર કરો ઉપયોગ
સૌ પહેલાં તો ટામેટું લઈને તેને ધોઈ લો. હવે તેનો જ્યૂસ કાઢી લો તેને ફેસ પર લગાવો. તેનાથી ફેસ પર જે એકસ્ટ્રા ઓઈલ છે તેને કાઢવામાં તમને મદદ મળી રહેશે.
આ પછી અન્ય રીતમાં તમે 1 ચમચી બેસન, અડધી ચમચી મલાઈ, અડધી ચમચી મધ અને 2 ચમચી ટામેટાનો જ્યૂસ લો અને તેને સારી રીતે મિક્સ કરી લો. એક પેસ્ટ તૈયાર થશે. તેને તમારા ફેસ પર આંગળીથી સારી રીતે એપ્લાય કરી લો અને થોડો સમય તેને રહેવા જો. આ પેસ્ટ ચહેરા પર સારી રીતે સૂકાઈ જાય ત્યારે સામાન્ય પાણીથી જ ફેસને ધોઈ લો. આ ફેસ માસ્કને તમે અઠવાડિયામાં 2 વાર ફેસ પર લગાવો અને પછી જુઓ તમારા ચહેરા પર કેવો ફરક આવે છે.
જો તમને બ્લેકહેડ્સની સમસ્યા રહે છે તો તમે એક ટામેટું લો અને તેને વચ્ચેથી કાપીને અડધું કરી લો. જે ભાગ પર બ્લેકહેડ્સ રહે છે ત્યાં થોડી વાર ઘસો, આમ અઠવાડિયામાં 2 કે 3 વાર કરો. તમારા બ્લેકહેડ્સ પણ ગાયબ થઈ જશે.
ટામેટાની પેસ્ટને ફેસ પર લગાવવાથી થાય છે આ મોટા ફાયદા
વિટામીન સીથી ભરપૂર ટામેટું સ્કીનની ચમક પાછી લાવવામાં ખાસ મદદ કરે છે. જ્યારે તમે ટામેટાની પેસ્ટ ફેસ પર લગાવો છો ત્યારે તે ફેસ પરની કરચલીઓને દૂર કરે છે અને સાથે જ સ્કીનને નવો ગ્લો આપે છે. સ્કીન સાફ કરવાની સાથે જ ટામેટું સ્કીનને ટાઈટ અને રીંકલ ફ્રી બનાવવામાં મદદ કરે છે.
સ્કીનને ફ્રેશ લૂક આપવા માટે ટામેટું ખાસ મદદ કરે છે. જો તમારી સ્કીનને ફ્રેશ રાખવી છે તો તમે ટામેટાનો આ પ્રયોગ ઘરે જ અઠવાડિયે 2 વાર કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત