દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ 1 જાન્યુઆરીથી આઈયૂસી ચાર્જ ખતમ કર્યા છે અને સાથે દરેક નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ સર્વિસની શરૂઆત કરી છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પણ ફેયર યૂઝેસ પોલિસી હટાવવાની તૈયારી કરી રહી છે. તેનાથી બીએસેએનએલના પણ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ બેનિફિટ મળી રહગ્યા છે. આ કંપની રોજ વધુમાં વધુ 250 મિનિટનું કોલિંગ ફ્રીમાં આપે છે. એફયૂપી ચાર્જ હટાવવાથી આ લિમિટ ખતમ થશે અને કંપનીના પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકોને પણ દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.
BSNLના કોલિંગ બેનિફિટ
કંપની જલ્દી જ અનલિમિટેડ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ પર એફયૂપી લિમિટ હટાવી દેશે. ટ્રાઈએ હાલમાં મોબાઈલ ચાર્જને માટે ઈન્ટરકનેક્શન યૂસેઝ ચાર્જીસને સમાપ્ત કર્યા છે. હવે બીએસએનએલ પણ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં રોજ 250 મિનિટ કોલની એફયૂપી લિમિટ હોય છે તેને સમાપ્ત કરવા જઈ રહી છે. આ પછી ગ્રાહકોની પાસેથી ટેરિફ પ્લાનના આધારે કોલિંગનો ચાર્જ લેવાશે.
ક્યારથી મળશે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા
આ બીએસએનએલના પ્લાન વાઉચર, એસટીવી, કોમ્બો વાઉચરમાં 10 જાન્યુઆરી 2021થી અનલિમિટેડ વોઈસ કોલિંગ બેનિફિટ પર એફયૂપી ચાર્જ લાગૂ થશે નહીં. 10 જાન્યુઆરીથી આ દરેક પ્લાનમાં અનલિમિટેડ બેનિફિટ શરૂ થશે. કમ્પીટન્ટ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે દરેક નિયમો અને શરતો સમાન રાખીને જીએસએમ પ્રીપેડ સર્વિસ અને પોસ્ટપેડ જીએસએમ સર્વિસ પર 250 મિનિટની લિમિટ ખતમ કરી દેવામાં આવશે.
વધુ એક મોટી જાહેરાત
વોઈસ એફયૂપી લિમિટ હટાવવાનો લાભ દરેક ટેલિકોમ સર્કલમાં બીએસએનએલના નવા અને હાલના બંને મોબાઈલ ગ્રાહકોને મળશે. બીએસએનએલએ બ્લૈકાઉટ ડેઝની પણ જાહેરાત કરી છે. આ એ દિવસો હોય છે જ્યારે ગ્રાહકો નવા વર્ષ કે તહેવારના દિવસે વધારે કો લ કે મેસેજ કરે છે. પણ હવે તે ચાર્જ પણ સમાપ્ત કરી દેવામાં આવશે.
રિલાયન્સ જિઓની પણ છે ફ્રી સર્વિસ
રિલાયન્સ જિઓએ પણ દરેક ઘરેલૂ કોલ્સ પર એફયૂસી લિમિટને હટાવી છે. ટ્રાઈના આઈસીયૂ ચાર્જને હટાવ્યા બાદ જિઓના આ લિમિટ હટાવવાનો અવસર મળ્યો. જો તે જિઓના ગ્રાહકોને એફયૂપી લિમિટ પૂરી થયા પર કોલિંગ માટે કરાવાતા રિચાર્જ પર કોમ્પ્લીમેન્ટ્રીના રૂપમાં ડેટા મળી રહ્યો છે હવે ટોકટાઈમ પ્લાન્સમાં ગ્રાહકોને ફક્ત ટોકટાઈમ બેનિફિટ જ મળશે.
બીએસએનએલને મળ્યા નવા સ્પેક્ટ્રમ
સરકારી ટેલિકોમ કંપની માર્ચ 2021માં સ્પેક્ટ્રમની થનારી નિલામી પહેલા દૂરસંચારને ફ્રેશ પેન ઈન્ડિયા લિબ્રલાઈ્ડ આવંટિત કરાયા છે. બીએસએનએલને 20 દૂરસંચાર સર્કલમાં 2100 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 5 મેગાહટ્ઝનો વધારાનો બ્લોક આપવામાં આવ્યો છે. 365 દિવસના પ્રીપેડ રિચાર્જનો પ્લાન છે. નવા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. તમે એક વાર આ પ્લાન લો તો આખું વર્ષ રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત