આ મંદિરની 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું શુ છે રહસ્ય, જાણી લો એક કરોડમાં કેમ ઓછી છે એક જ મૂર્તિ

ભારતમાં ઘણા એવા રહસ્યમય મંદિરો છે જેનું રહસ્ય આજ સુધી ખુલ્યું નથી. અહીં એક એવું મંદિર છે જ્યાં કુલ 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ છે. આ મંદિરના રહસ્યને ઉકેલવા માટે ઘણા વિદ્વાનોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેમને સફળતા ન મળી. આ મંદિરની 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ એક રહસ્ય છે. આ પથ્થરની મૂર્તિઓ કોણે બનાવી? આ મૂર્તિઓ ક્યારે અને શા માટે બનાવવામાં આવી હતી?

image soucre

સૌથી મોટું રહસ્ય એ છે કે એક કરોડમાં એક જ ઓછી મૂર્તિ કેમ બનવવામાં આવી? આ મૂર્તિઓ વિશે ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. ભારતમાં એવા ઘણા મંદિરો અને મૂર્તિઓ છે જે ખૂબ જ રહસ્યમય છે. આ મંદિરો અને મૂર્તિઓમાં તેનો પણ સમાવેશ થાય છે. આ મંદિર વિશે અહીં આવતા ભક્તોના મનમાં તેનું રહસ્ય જાણવા માટે ઉત્સુકતા છે. આ મૂર્તિઓનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આવો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે વધુ માહિતી…

image soucre

આ મંદિર વિશે એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવ એક કરોડ દેવી દેવતાઓ સાથે ક્યાંક જઈ રહ્યા હતા. બધા દેવી દેવતાઓ સૂઈ ગયા. ભગવાન શિવ જ્યારે સવારે ઉઠ્યા ત્યારે બધા દેવી દેવતાઓ હજી પણ સુતા હતા. શિવજી ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો અને બધા દેવી દેવતાઓ પથ્થર બની ગયા. આ જ કારણ છે 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ.

image soucre

આ મૂર્તિઓ વિશે બીજી એક કથા પ્રચલિત છે. કહેવાય છે કે કાલુ નામનો એક શિલ્પકાર હતો. તે ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવા માંગતો હતો. પરંતુ તે અશક્ય હતું. શિલ્પકારના આગ્રહને કારણે ભગવાન શંકરે કહ્યું કે જો તમે એક રાતમાં એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવશો તો તેઓ તમને સાથે લઈ જશે.

image soucre

આ પછી શિલ્પકારએ આખી રાત ઝડપથી મૂર્તિઓ બનાવી, પરંતુ એક કરોડમાં એક મૂર્તિ ઓછી રહી. એટલા માટે જ ભગવાન શિવ શિલ્પકારને પોતાની સાથે લઈ ગયા ન હતા. કહેવાય છે કે તેના કારણે આ જગ્યાનું નામ ‘ઉનાકોટી’ પડ્યું છે.

ઉનાકોટી મંદિર ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ 145 કિમી દૂર આવેલું છે. આ મંદિર ભારતના સૌથી મોટા રહસ્યમય મંદિરોમાં સામેલ છે.