Site icon News Gujarat

સૌથી સુંદર સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંનું લગ્ન જીવન ભંગાણ તરફ, બીજે દિલ લાગી ગયું!

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે એવી વાત કે જેમાં ક્યારે કોણ જોડાય જાય અને ક્યારે કોણ વેર વિખેર થઈ જાય ખબર જ ના પડે. અવાર નવાર લવ અફેરના કિસ્સા સામે આવ્યા કરે છે. એ જ રીતે હવે સૌથી સુંદર સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં ચર્ચામાં આવી છે. મતલબ કે તેનું લગ્ન જીવન ભારે ચર્ચામાં આવ્યું છે. જો વિગતે વાત કરીએ તો TMC પાર્ટીની એમપી અને અભિનેત્રી નુસરત જહાંનું લગ્ન જીવન બરાબર નથી લાગી રહ્યું. એવી ખબર આવી રહી છે કે હવે નુસરતના લગ્ન તૂટવાના કગાર પર છે.

image source

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો નુસરાત હાલમાં પોતાના પતિનું ઘર છોડીને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે. તેના લગ્ન જીવનમા આ ભંગાણનું કારણ અભિનેત્રી કોઈ બીજાને ડેટ કરી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ એવી માહિતી મળી રહી છે કે નુસરત અભિનેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે અને બન્ને વચ્ચે અંતર ઘટી રહ્યું છે.

તો વળી એક તરફ એવો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે કે જ્યારે નુસરતને આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે એ મારી પર્સનલ લાઈફ છે અને તેના વિશે વાત કરવા નથી માંગતી. જવાબ આપવાનો ઇનકાર કરીને નુસરતે આગળ વાત કરી કે એક એક્ટર હોવાના નાતે હું કામ પર વાત કરીશ. હું મારી જિંદગીમાં શું બની રહ્યું છે એના વિશે વાત કરવા નથી માંગતી. વર્ષ 2019માં ટીએમસીના ટિકિટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી અને બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન ખુબ ચર્ચામાં પણ આવ્યા હતા.

જો કે વિવાદ ચગડોળે ચડ્યો છે પણ હજુ કોઈ સતાવાર વાત સામે આવી નથી. પણ ટૂંકા એક્ટિંગ કરિયર બાદ રાજકારણમાં એન્ટ્રી કરીને છવાઈ ગયેલા પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને નુસરત જહાં ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. નોંધનીય છે કે તે પોતે મુસ્લિમ હોવા છતાં લગ્ન પછી સંસદમાં સિંદૂર અને હાથમાં બંગડી પહેરીને ચર્ચામાં આવ્યા હતા.

image source

લગ્ન વખતે પણ નુસરતના આ અંદાજનો કેટલાક કટ્ટરપંથિઓએ સવાલ ઉભા કર્યા હતા તો કેટલાકે તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિવાદની વાત કરીએ તો કૃષ્ણ ભક્તિનો દુનિયામાં પ્રચાર કરતી ઈસ્કોન સંસ્થાએ તેને જગન્નાથ ભગવાનની રથયાત્રામાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો પછી તેણે રથયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

જો એએમના લગ્ન જીવન વિશે વાત કરીએ તો નુસરતે ઉદ્યોગસાહસિક નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન પછી પણ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેને ધર્મની બહાર લગ્ન કરવાના મુદ્દે ટ્રોલ કરી હતી. ઘણાં લોકોએ તેણે ભરેલા આ પગલાની નિંદા કરી હતી.

image source

બીજી તરફ સંસદમાં સિંદૂર, હાથમાં બગડી અને સાડી પહેરીને દેખાઈ જેના કારણે મુસ્લિમ કટ્ટરપંથિઓએ સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે આ મુસ્લિમ કાયદાની વિરુદ્ધમાં છે. જો કે નુસરત જહાંને આવી વાતોથી કોઈ ફરક પડ્યો ન હતો. પણ હવે ફરી એકવાર એમનાં લગ્ન ચર્ચામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version