છૂટાછેડા થતા જ આમિરને આ હોટ અભિનેત્રીએ આપી ખુલ્લી ઓફર, અને કહ્યું કે…’હું હજુ કુંવારી છું…જો તમે’

ગત સપ્તાહમાં બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે પોતાના લગ્નજીવનનો અંત એટલે કે છૂટાછેડાની ઘોષણા કરી હતી. ત્યારપછી આ વાત સતત ચર્ચાનો વિષય બની છે. તેવામાં હવે રાખી સાવંતે પણ આ ચર્ચામાં સુર પુરાવ્યો છે. આમિર ખાનના છૂટાછેડાની વાત પર પ્રતિક્રિયા આપી રાખી સાવંતે આમિર ખાનને જાણે ખુલ્લી ઓફર આપી હોય તેમ કહ્યું છે કે તે કુંવારી છે અને આમિર તેના વિશે શું વિચારે છે ?

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખીને જ્યારે ફોટોગ્રાફરોએ આમિર અને કિરણના છૂટાછેડા અંગે પ્રશ્ન કર્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું કે જ્યારે પણ કોઈ અલગ પડે છે ત્યારે તે દુ:ખ અનુભવે છે. પરંતુ ત્યારબાદ તેણે મજાકમાં કહ્યું કે તે હજી સિંગલ છે. તેણે આમિરને પૂછ્યું કે તે તેના વિશે શું વિચારે છે ! જો કે રાખીએ એમ પણ કહ્યું હતું કે તે વિશ્વાસ કરી શકતી ન હતી કે સુપરસ્ટાર અને તેની પત્ની અલગ થયા છે.

image source

આ તકે રાખીએ એક જૂના ઇન્ટરવ્યુ વિશે પણ વાત કરી હતી જેમાં તેણે કહ્યું કે તેને ન ગમ્યું કે આમિરે તેની પહેલી પત્નીથી છૂટાછેડા લઈ અને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ આ વાતને લઈ કહ્યું હતું કે ‘લગાન’ના એક્ટરે તેની સલાહને ગંભીરતાથી લઈ લીધી લાગે છે કે શું..

image source

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં આમિર અને કિરણે તેમના સંયુક્ત નિવેદનમાં લખ્યું હતું કે, ‘છેલ્લા 15 સુંદર વર્ષોના સુંદર લગ્ન જીવન બાદ તેઓ સહમતિથી અલગ થઈ રહ્યા છે. પરંતુ માતાપિતા અને પરિવાર તરીકે તેઓ આગળ પણ સાથે રહેશે. તેમણે ઘણા સમય પહેલા જ અલગ થવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ તેની ઔપચારિક જાહેરાત બાકી હતી. જે તેમણે ગત સપ્તાહમાં જણાવી દીધી હતી.

image source

આ વાત સામે આવ્યા બાદ અલગ અલગ સ્ટાર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ રાખી સાવંતે આ અંગે વિચિત્ર પ્રતિક્રિયા આપી છે. જો કે આમિર ખાનને તેણે કહ્યું છે કે તે હજી કુંવારી જ છે. પરંતુ થોડા સમય પહેલા તેણે જાહેર કર્યું હતું કે તેણે રિતેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ તેણે થોડા સમય પહેલા એક મુલાકાતમાં કહ્યું હતું કે જો રિતેશ સાથે તેના લગ્ન સફળ નહીં રહે તો તે ફરી ક્યારેય લગ્ન કરશે નહીં. જ્યારે હવે તેણે કહ્યું છે કે તે કુંવારી છે.