Site icon News Gujarat

ભૂલથી પણ ના કરશો તાંબાના પાત્રમાં રાખેલી આ વસ્તુઓનું સેવન, નહીંતર ખોવો પડશે જીવ…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય વ્યસ્તતા ભરેલો અને આધુનિક બની ગયો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવા માટેનો સમય જ નથી રહ્યો અને તેના કારણે લોકો અવારનવાર કોઈને કોઈ બીમારીના શિકાર બને છે અને તેના કારણે તેમનુ સ્વાસ્થ્ય કથળે છે, આજે આ લેખમા અમે તમને અમુક વિશેષ ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ જેનુ અનુસરણ કરીને તમે તમારા સ્વાસ્થ્યની તંદુરસ્તીને જાળવી શકો છો, તો ચાલો જાણીએ.

image source

આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, તાંબાના પાત્રમા રાખેલુ પાણી પીવુ એ આપણા આરોગ્ય માટે કેટલુ લાભદાયક સાબિત થઇ શકે છે પરંતુ, અમુક એવી વસ્તુઓ પણ છે કે, જેનુ સેવન ક્યારેય ભૂલથી પણ તાંબાના પાત્રમા ના કરવુ જોઈએ નહીતર તમારા શરીરનુ સ્વાસ્થ્ય જોખમમા મુકાઈ શકે છે, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

image source

જો તમે દહીંને તાંબાના પાત્રમા રાખો અને તેનો સેવન કરો તો તે તમારા આરોગ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી તમને ફૂડ પોઈઝનીંગની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય તેના કારણે જીભનો સ્વાદ કડવો બની જાય છે અને તમને ગભરાહટ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

image source

આ ઉપરાંત લીંબૂનો રસ, લીંબૂ પાણી કે પછી લીંબૂને કોઈપણ સ્વરૂપમા આ તાંબાના પાત્રમા સંગ્રહ કરીને ના રાખો નહીતર તેમા રહેલ એસિડ તાંબાની સાથે ક્રિયા કરે છે, જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સિવાય સિરકા પણ એક પ્રકારનો અમ્લીય પદાર્થ છે, જેને જો તમે તાંબાના પાત્રમા રાખી દો તો તેમના મિશ્રણથી થતી રાસાયણિક ક્રિયા તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ હાનિકારક પ્રભાવ પાડી શકે છે.

image source

આ સિવાય અથાણામા પણ સિરકાના પ્રયોગ કરાય છે તેથી, જો શક્ય બને ત્યાં સુધી અથાણાનો સંગ્રહ ક્યારેય પણ તાંબાના વાસણમા ના કરવો કારણકે, અથાણામા સમાવિષ્ટ ખાટાશ એ તાંબાની સાથે મળીને તમારા સ્વાસ્થ્ય માટે એક ઝેરનુ કામ કરે છે. માટે ભૂલથી પણ આ વસ્તુ તાંબાના પાત્રમા ના મુકાઈ જાય તે અંગે ધ્યાન રાખવુ. આ ઉપરાંત છાશનો સંગ્રહ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે માટે તેને પણ હમેંશા તાંબાના પાત્રથી દૂર જ રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version