Site icon News Gujarat

અમદાવાદનો લફરાબાજ પતિ, ઘરમાં 8 વર્ષનું બાળક હોવા છતાં બહાર 3-3 મહિલા સાથે અફેર રાખ્યું, પાછો કહે કે-બેન છે

હાલમાં લોકો કોરોનાથી ત્રાહિમામ છે એવામાં પણ અમુક હવસખોરોને શાંતિ નથી. પરણી ગયા હોવા છતાં છોકરીઓને ફસાવીને મોજ મજા કરે છે. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો અમદાવાદની સામે આવ્યો છે અને એક શખ્સનો જબરો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને અન્ય મહિલાઓ સાથે પતિનો પ્રેમસંબંધ હોવાની શંકા જતાં મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું. હેલ્પલાઈનની ટીમે મહિલાના પતિની પૂછપરછ અને ફોન ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવતા હાહાકાર મચી ગયો છે.

image source

જો આ કેસમાં વિગતે વાત કરવામાં આવે તો 8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતો કિસ્સો સામે આવ્યો છે. મહિલા હેલ્પલાઈનની ટીમે તેમને અન્ય છોકરીઓને ફસાવીને છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી અને હવે તે કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી પણ આપી છે. શરૂઆત આ રીતે થઈ કે મહિલા હેલ્પલાઈન 181માં પરિણીતાએ ફોન કરી કહ્યું હતું કે મારા પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને મને શારીરિક-માનસિક ત્રાસ પણ આપી રહ્યો છે, જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી અને ઓપરેશન શરૂ થયું હતું.

image source

ટીમે પહેલા પરિણીતાને પૂછ્યું કે શું વાંધો છે. તેથી પરિણીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને 10 વર્ષ થયાં છે, 8 વર્ષનો પુત્ર પણ છે. તેમ છતાં મારા પતિ બે-બે દિવસ સુધી બહાર રહે છે. મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે, જે બાબતે ઘરમાં પણ જાણ કરી હતી, પરંતુ સમાજના ડરના કારણે શાંતિ રાખવાનું કહે છે અને મને શારીરિક માનસિક ત્રાસ આપે છે. પછી મહિલા ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી તેમનું વ્હોટ્સએપ ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરી સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. જોકે પતિએ બહેન માનું છું એમ કહ્યું હતું. જેથી પતિની ખરાઈ કરવા માટે છોકરીઓને બોલાવતાં તેમણે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું.

image source

આ સાથે જ જ્યારે મહિલાઓને બોલાવવામાં આવી ત્યારે ખબર પડી કે પોતે એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવતો હતા. અન્ય છોકરીઓને ફસાવી છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. આજ બાદ તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપતાં મહિલા હેલ્પલાઈનની મદદથી સમાધાન થયું હતું.

image source

આ સાથે જ બીજો એક કેસ પણ ચર્ચામાં આવ્યો હતો કે મહિલા હેલ્પલાઈન પર એક થર્ડ પાર્ટીએ ફોન કરીને જાણ કરી હતી કે મહિલા આપઘાત કરવા જઈ રહી છે, જેથી હેલ્પલાઈનની ટીમે ત્યાં પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તે મૂળ ત્રિપુરાની રહેવાસી છે અને અમદાવાદમાં રહેતા યુવક સાથે ફેસબુકમાં મિત્રતા થઈ હતી. ત્રિપુરામાં ઘરેથી કોઈને કહ્યા વગર તેઓ અમદાવાદ આવી ગયાં હતાં. યુવક સાથે બે વર્ષ સુધી લિવ-ઇન-રિલેશનમાં રહ્યા બાદ ઝઘડાઓ શરૂ થયા હતા. એ કેસમાં પણ સમાધાન થઈ ગયું છે.

Exit mobile version