આ ડિરેક્ટરની પત્નીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલી, જાણો અભિનેતાને સન્માન આપવા કેટલા ગરીબ લોકોનુ ઠારશે પેટ

સુશાંત સિંહ રાજપૂતને એક ડીરેક્ટરની પત્નીએ આપી શ્રદ્ધાંજલી – અભિનેતાને સમ્માન આપવા 3400 ગરીબ કુટુંબને કરાવશે ભોજન

image source

ગત રવિવારે બોલીવૂડના જાણીતા, પ્રતિભાવાન અને સફળ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને આખાએ દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. અને હજુ પણ ઘણા લોકો આ આઘાતમાંથી બહાર નથી આવી રહ્યા. તેના ચાહનારા તો હંમેશા તેને યાદ રાખશે. તે બોલીવૂડના એ કલાકારોમાંના એક હતા જેમણે પોતાના અભિનયથી ખૂબ નામના મેલવી હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતને નજીકથી ઓળખતા લોકો તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જાણીતા નિર્માતા નિર્દેશક અભિષેક કપૂરની પત્ની પ્રજ્ઞાએ સુશાંત સિંહ રાજપૂતના સમ્માનમાં 3400 ગરીબ પરિવારને ભોજન કરાવવાનો નિર્ણય લીધો છે. તે વાતની જાણકારી પ્રજ્ઞા કપૂરે પોતાના સોશયિલ મિડિયા દ્વારા આપી હતી. તેમણે પોતાના અધિકૃત ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલી આપી હતી. પ્રજ્ઞા કપૂરે આ શ્રદ્ધાંજલી પોતાના બિનસરકારી સંગઠન ‘એક સાથ’ દ્વારા આપી છે. સાથે સાથે તેણીએ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેણીની બિનસરકારી સંસ્થા 3400 ગરીબ પરિવારને ભોજન પણ કરાવશે.

image source

આ ઉપરાંત પ્રજ્ઞાએ પોતાની પોસ્ટમા લખ્યું, ‘અમે તમને યાદ કરીશું સુશાંત’. ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રજ્ઞા બોલીવૂડની તે હસ્તીઓમાંની એક છે જે સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં ગઈ હતી. તો બીજી બાજુ સુશાંત સિંહ રાજપૂત, પ્રજ્ઞા અને તેમના પતિ નિર્માતા-નિર્દેશક અભિષેક કપૂર નજીકના મિત્રો હતા. અભિષેક કપૂરે જ સુશાંત સિંહ રાજપૂતને ‘કાય પો છે’ દ્વારા બોલીવૂડમાં લોન્ચ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pragya Kapoor 🌿 (@pragyakapoor_) on

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને પોતાના મુંબઈ ખાતેના ફ્લેટમાં પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃત્યુથી બોલીવૂડ ઇન્ડસ્ટ્રી તેમ જ તેમના લાખો ફેન્સ શોક તેમજ આઘાતમાં સરી પડ્યા છે. ઘણા બધા સ્ટાર્સે સુશાંત સિંહ રાજપૂતને સોશિયલ મિડિયા દ્વારા શ્રદ્ધાંજલી આપી અને તેમની સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી હતી. મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. અને ગઈ કાલે તેમના પરિવારજનોએ તેમની અસ્થિઓ ગંગામાં પધરાવી તેમને અંતિમ વિદાઈ આપી હતી.

image source

પટનાના એનઆઈટી ગંગા ઘાટ પર તેની અસ્થિઓ તેના પરિવારજનોએ પધરાવી હતી. આ દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહની સાથે તેમની બહેનો જોવા મળી હતી. એવી પણ ખબર મળી છે કે પૂર્ણિયા સ્થિત પૈતૃક ગામના લોકો તેમજ સંબંધીઓના આવ્યા બાદ સુશાંતનું શ્રાદ્ધકર્મ તેમના રાજીવનગર સ્થિત આવાસ પર કરવામાં આવશે.

image source

સુશાંતના મૃત્યુને છ દિવસ થઈ ગયા તેમ છતાં હજુ પણ ઘણા લોકોને તેમનું મૃત્યુ થયું હોવા પર વિશ્વાસ નથી થઈ રહ્યો અને લોકો હજુ પણ તે આઘાતમાં જ છે. એક અહેવાલ પ્રમાણે જારખંડ ખાતે રહેતા સુશાંતના એક ફેને પણ સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળીને આત્મહત્યા કરી લીધી છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત