આચાર્યની આ વાત હમેંશા રાખજો મગજમાં ક્યારેય પણ નહિ કરવો પડે શત્રુઓનો સામનો…
મહાન અર્થશાસ્ત્રી, રાજકારણી અને રાજદ્વારી આચાર્ય ચાણક્ય તેમની બુદ્ધિ દ્વારા ખુબ જાણીતા છે. આચાર્ય ચાણક્યએ નંદ વંશનો નાશ કરીને મૌર્ય વંશની સ્થાપના કરી, અને ચંદ્રગુપ્ત મૌર્યને એક સામાન્ય બાળક માંથી સમ્રાટ બનાવ્યા હતા. આચાર્ય ચાણક્ય એક ચતુર રાજદ્વારી હતા, તેઓ એક મહાન અર્થશાસ્ત્રી હતા, જેમણે તેમની નીતિ શાસ્ત્રમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજના સમયમાં પણ પ્રસ્તુત છે.
આચાર્ય ચાણક્યએ પોતાના જીવનના કેટલાક અનુભવો અને ઊંડા ચિંતન દ્વારા પોતાની નીતિ શાસ્ત્રમાં જે પણ જ્ઞાન મેળવ્યું તેને તેના જીવનમાં ઉતાર્યું. આચાર્ય ચાણક્યએ શ્લોકા દ્વારા પોતાના દુશ્મનને હરાવવા વિશે કેટલીક વિશેષ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમને આપેલી આ શીખ ક્યારેય પણ ભૂલવી ન જોઈએ.
- अनुलोमेन बलिनं प्रतिलोमेन दुर्जनम्
- आत्मतुल्यबलं शत्रु, विनयेन बलेन वा
પોતાના આ શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે, કે જો તમે તમારા દુશ્મનને હરાવવા માંગો છો, તો તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી ખુબ જરૂરી છે. આ તમને બતાવશે કે તમારો દુશ્મન કેટલો મજબૂત અથવા તો કેટલો નબળો છે. જો તમે તમારા દુશ્મન વિશે સંપૂર્ણ પણે વાકેફ છો, તો તમે તે મુજબ તેની વ્યૂહરચના બનાવી શકો છો.
શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે, કે જો શત્રુ તમારા કરતાં વધુ શક્તિશાળી અને મજબૂત હોય તો તમે જ્યારે તેને સંપૂર્ણપણે જાણો છો, ત્યારે તમારે તે મુજબ તેની સાથે વર્તવું જોઈએ. બીજી તરફ, જો તે નબળો અને કપટી હોય, તો તમારે તેનાથી વિપરીત વર્તન કરવું જોઈએ. પરંતુ જો દુશ્મન તમારા પોતાની સમાન મજબૂત હોય, તો તેને તેની નીતિઓ સાથે એવી રીતે ફસાવો કે તેમાંથી બહાર નીકળવું તેના માટે ખૂબ મુશ્કેલ બની જાય.
આચાર્ય ચાણક્ય આગળ એ કહે છે કે જો કોઈ વ્યક્તિ તમારું અપમાન કરી રહ્યું છે, તો તમારે ગુસ્સો વ્યક્ત કરવાને બદલે ચૂપ રહેવું જોઈએ. કારણ કે, મૌન રહેવામાં જ સૌથી વધુ શક્તિ હોય છે. ચાણક્યજી કહે છે કે જે વ્યક્તિની વ્યૂહરચના વિશે કોઈ જાણતું નથી તે વ્યક્તિને હરાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
તમને જણાવવામાં આવે છે કે, આચાર્ય ચાણક્યને રાજા નંદાએ પણ અપમાનિત કર્યા હતા, તે પછી તે સમયે તેઓ મૌન રહ્યા હતા, જોકે પાછળથી તેમની વ્યૂહરચના દ્વારા નંદા વંશનો પણ તેમણે નાશ કર્યો હતો. કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું ન જોઈએ.
કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે, તેઓ અવશ્ય તેમાં સફળ થાય છે, અને તે સદા સુખી રહે છે. પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવા વ્યક્તિને ક્યારેય માફ કરવા ન જોઈએ, તેને નસ્ટ કરવામાં જ આપણો લાભ સમાયેલો છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,