Site icon News Gujarat

આ ગુનામાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી દોષી જાહેર, રહેવુ પડશે 7 વર્ષ જેલમાં..

દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં એક અદાલતે મહાત્મા ગાંધીની પપૌત્રી આશિષ લતા રામગોબીન (Ashish Lata Ramgobin)ને સાત વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે તેને 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન ચલણ) એટલે કે આશરે 3.22 કરોડની છેતરપિંડી માટે દોષી ઠેરવી છે.

આશિષ લતા રામગોબિન આ કેસમાં દોષી સાબિત થઈ

એક રિપોર્ટ અનુસાર 56 વર્ષીય આશિષ લતા રામગોબિન પર ઉદ્યોગપતિ એસ.આર. મહારાજ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. એસ.આર. મહારાજે તેમને ભારતમાં હાજર માલ માટે આયાત અને કસ્ટમ્સ ડ્યુટી તરીકે એડવાંસમાં 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન ચલણ) આપ્યા હતા. આશિષ લતા રામગોબિને તેને નફામાં હિસ્સો આપવાની વાત કરી હતી.

image source

આશિષ લતા રામગોબિન કોણ છે?

આશિષ લતા રામગોબિન જાણીતા કાર્યકર ઇલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોવિંદની પુત્રી છે, જેમણે દક્ષિણ આફ્રિકામાં તેમના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફોનિક્સ સેટલમેન્ટને પુનર્જીવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

image source

લતાએ રોકાણકારોને આ રીતે છેતર્યા હતા

2015માં લતા રામગોબિન વિરુદ્ધ કેસની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય ફરિયાદી ઓથોરિટી (એનપીએ) ના બ્રિગેડિયર હંગવાણી મુલૂદજીએ કહ્યું હતું કે આશિષ લતા રામગોબિને સંભવિત રોકાણકારોને કથિત રૂપે બનાવટી ઈનવોઈસ અને દસ્તાવેજો આપ્યા હતા. જેના દ્વારા તે રોકાણકારોને કહેતી હતી કે શણના ત્રણ કન્ટેનર ભારતથી મોકલવામાં આવી રહ્યા છે.

image source

બંદર પર સામાન ખાલી કરવા માટે તેમને પૈસાની જરૂર હતી.

એનપીએની પ્રવક્તા નતાશા કારાએ સોમવારે કહ્યું કે, લતા રામગોબિને કહ્યું હતું કે તેમને આયાત ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચૂકવવા માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, બંદર પર સામાન ખાલી કરવા માટે તેમને પૈસાની જરૂર હતી. આ પછી લતા રામગોબિને મહારાજને કહ્યું કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરૂર છે. તેમને સમજાવવા માટે સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. એક મહિના પછી, ફરીથી લતા રામગોબિને એસઆર મહારાજને બીજો દસ્તાવેજ મોકલ્યો જે નેટકેર ચલણ હતુ, જેમાં બતાવવામાં આવ્યું હતું કે માલ પહોંચાડવામાં આવ્યો છે અને ચૂકવણી કરવામાં આવી નથી.

image source

સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લતા રામગોબીન ઓગસ્ટ 2015 માં ન્યુ આફ્રિકા એલાયન્સના ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટરના ડિરેક્ટર મહારાજને મળ્યા હતા. કંપની કપડાં, શણ અને ફૂટવેર આયાત કરે છે અને તેનું વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને પણ નફો શેરના આધારે નાણાં પૂરા પાડે છે. રામગોબિનના પરિવાર અને નેટ કેર દસ્તાવેજોને લીધે, મહારાજે તેમની સાથે લોન માટે લેખિત કરાર કર્યો હતો. પરંતુ બાદમાં જ્યારે તેમને છેતરપિંડીની ખબર પડી ત્યારે તેણે લતા સામે ગુનાહિત કેસ દાખલ કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version