Site icon News Gujarat

એક એવું રહસ્યમયી મંદિર કે જ્યાં જનાર ક્યારેય નથી ફર્યો પાછો, માનવામાં આવે છે નર્ક નું દ્વાર…

મિત્રો, વિશ્વના તમામ ધર્મોમા સ્વર્ગ અને નરકનો ઉલ્લેખ કરવામા આવે છે. સ્વર્ગનો અર્થ તે સ્થાન છે કે જ્યા સારી આત્માઓ જાય છે અને નરક તે સ્થાન છે કે, જ્યા દુષ્ટ આત્માઓ મૃત્યુ પછી જાય છે પરંતુ, આજે અમે તમને પૃથ્વીની ધરા પર રહેલા આ નરકના દ્વારના સાક્ષાત દર્શન કરાવીશુ.

image source

અમુક એવી પૌરાણિક માન્યતાઓ મુજબ જે કોઈપણ વ્યક્તિ આ મંદિરે જાય છે તે ક્યારેય પણ ત્યાંથી પાછો આવતો નથી! આજ સુધી તમે અનેકવિધ પ્રકારના મંદિરો અને તેના રહસ્યો વિશે સાંભળ્યુ જ હશે પરંતુ, આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને ‘નરક ના દ્વાર’ તરીકે ઓળખવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ અહી ગયો છે, તે ફરી પાછો અહી આવતો નથી.

image source

વિશ્વના બધા ધર્મો સ્વર્ગ અને નરકનો ઉલ્લેખ કરે છે. સ્વર્ગનો અર્થ તે સ્થાન છે કે જ્યા સારી આત્માઓ જાય છે અને નરક તે સ્થાન છે કે જ્યા દુષ્ટ આત્માઓ મૃત્યુ પછી જાય છે. એવુ કહેવામા આવે છે કે, પાપી વ્યક્તિને ત્રાસ સહન કરવા માટે નરકમા મોકલવામા આવે છે અને સજ્જન પુરુષોને ખુશી માણવા સ્વર્ગમા મોકલવામા આવે છે.

image source

આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, તેને ‘નરકનુ દ્વાર’ કહે છે. સ્થાનિક લોકોનો એવો દાવો છે કે, એકવાર આ દરવાજામા જે કોઈપણ વ્યક્તિ પ્રવેશી જાય છે તે ક્યારેય પાછા ફરતા નથી. છેલ્લા ઘણા સમયથી આ મંદિરમા રહસ્યમય રીતે થતા મૃત્યુ જોવામાં આવી રહ્યા છે. આ ફક્ત મનુષ્યો માટે જ નહી પરંતુ, પ્રાણીઓ અને પક્ષીઓમા પણ છે.

આ મંદિર એ પ્રાચીન ગ્રીક રોમન સામ્રાજ્યના હીરાપોલિસ શહેરમા છે. આ શહેર હાલમા દક્ષિણ પશ્ચિમ તુર્કીમા પ્યુમુક્લ શહેર તરીકે ઓળખાય છે. તમને આ નામ પાછળનુ રહસ્ય જણાવી દઈએ કે, પ્લુટોના દેવતાના નામે પ્રાણીઓને મરવા માટે આ ગુફામા મૂકવામા આવ્યા હતા અને લોકોએ આ પ્રાણીઓને મરી જતા તમાશો જોયો હતો.

image source

ત્યારથી અહીના લોકોનો દાવો છે કે, માનવ અને પ્રાણીઓના મૃત્યુ ગ્રીક દેવના ઝેરી શ્વાસને કારણે થઈ રહ્યા છે. અહીં ધાર્મિક પ્રવૃત્તિઓના નામે પ્રાણીઓની હત્યા કરવામાં આવી હતી. આ ક્રિયાને પ્લુટોનિયમ કહેવામાં આવતું હતું. જો કે, વૈજ્ઞાનિકો એવો દાવો કરી રહ્યા છે કે, આ મૃત્યુ પાછળ એક કાર્બન ડાયોક્સાઇડ ગેસ જવાબદાર છે, જે સતત મંદિરની નીચેથી નીકળતો રહે છે, જે મંદિરની નીચેથી સતત બહાર નીકળી રહ્યો છે. જે કોઈ તેની નજીક જાય છે તે મરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version