અમદાવાદનો ઉદ્યોગપતિ ઈશારો કરે અને રાજકોટ કમિશનર સમજી જાય કે કેટલો ટાર્ગેટ બનાવવો, જબરી પોલમપોલ ચાલે હોં બાકી
રાજકોટ પોલીસ દ્વારા તોડકાંડને મામલે અમદાવાદના પોલીસકર્મી સામે કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાંચના PSI એસ.ડી.સાંખલાની અમદાવાદ કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ છે. તેઓએ સોની વેપારીના ઘરમાં ઘૂસી બબાલ કરી હતી. મનોજ અગ્રવાલના કરતૂતનો રેલો અમદાવાદ સુધી લંબાયો છે. જેમાં ઉદ્યોગપતિના ઈશારે રાજકોટ કમિશનર ટાર્ગેટના હતા બનાવતા હતા.
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર 70 લાખ રૂપિયાની ઉઘરાણી વસુલી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં સરકારે ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાય સહાયને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા એસીપીને સોંપાતા ઉહાપોહ થયો હતો ચારેકોરથી ટીકા પણ થતાં તાત્કાલિક અસરથી સરકારે ડીજીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે. પોલીસના મેન્યુઅલ પ્રમાણે, જે હોદ્દાનો અધિકારી ઉપર કરપ્શનનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેના કરતાં સિનીયર અધિકારીને તપાસ સોપવામાં આવે તેમ સરકારના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનીયર એટલે કે 1989 બેંચના IPS હોવાનુ સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની ઇન્કવાયરી વિકાસ સહાયને સોંપવામા આવી છે. આ અંગે વિકાય સહાયે જણાવ્યુ છે કે, આ કેસની ઇન્કવાયરી ચાલુ કરી દીધી છે. જો કે નિવેદન લેવાની કાર્યવાહી પણ તાત્કાલિક અસરથી કરવામા આવશે.
મનોજ અગ્રવાલ ઉપર તોડપાણી કરતાં હોવાના આક્ષેપ થતાંની સાથે જ IPS ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચના એસીપીને સોપી હોવાનુ જણાવ્યુ હતુ. જેના કારણે ચારે તરફથી વિરોધનો વંટોળ થયો હતો. મનોજ અગ્રવાલ ઉપર રૂ.75 લાખ પડાવ્યાનો ગંભીર આક્ષેપો થતા આઈપીએસઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તેવામાં મનોજ અગ્રવાલ વાંરવાર અમદાવાદ એસજી હાઈવે ઉપર એક ઉદ્યોગપતિની ઓફિસમાં આવતા હતા અને તેમની સૂચના પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી મારફતે તપાસનો દોર કરાવતા હતા. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ઉદ્યોગપતિનો મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવે તો અન્ય કેસોનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે.