ભગવાનની રથયાત્રામાં ફક્ત આટલા લોકો જ થશે સામેલ, રથયાત્રાને લઈને જાણો A TO Z માહિતી માત્ર એક ક્લિકે

અમદાવાદમાં ભગવાન જગાન્નાથની રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આજે નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. નોંધનિય છે કે, આ વર્ષે ભગવાન જગદીશ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળશે જે બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત ફરશે. તો બીજી તરફ દર વર્ષે રથયાત્રાના આયોજન સાથે સંકળાયેલી ઉચ્ચ સ્તરીય વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે DivyaBhaskarને આ માહિતી આપી છે.

image source

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીને લીધે ગયા વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોતા ભગવાન નગરચર્યાએ નીકળશે. નોંધનિય છે કે, આ મામલે સરકાર છેલ્લા સમયે રથયાત્રા અંગે જાહેરાત કરી શકે છે. તો બીજી તરફ રથ નીકળે એ દરમિયાન રૂટ પર આવતા તમામ વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ લાદવાની પણ વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં જ ફર્યા હતા.

image source

તો બીજી તરફ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ હળવી પડતા પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. તો આ અંગે જાણીતા વેબ પોર્ટલ DivyaBhaskar પાસે રથયાત્રાને નીકળવાને લઈ અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ જોડાઈ શકશે નહીં અને લોકોની સંખ્યા પણ મર્યાદિત હશે.

image source

આ અંગે ઉચ્ચ સ્તરીય સૂત્રોએ DivyaBhaskarને જણાવ્યું હતું કે આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. તમને જણાવી દઈએ કે, વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા કાઢવામાં આવશે, પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઊભો રાખવામાં આવશે નહીં. નોંધનિય છે કે, ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. તો બીજી તરફ 10 જુલાઈના રોજ યોજાનારી ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે.

તો બીજી તરફ રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં યોજાય અને ભગવાન 10 મિનિટ જેટલું જ રોકાણ કરશે. આ ઉપરાંત મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે. એટલુ જ નહીં સરસપુર ખાતે ભગવાનને મામેરું અર્પણ કરી તરત જ રથ રવાના કરી દેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

image source

તમને જણાવી દઈએ કે આ વખતે બપોરે 12થી 1 વાગ્યાની આસપાસ રથ નિજમંદિરે પરત આવી પહોંચશે. જ્યાં બપોર બાદ મંદિરમાં લોકો રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરે તમામ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને ગાઇડલાઇન્સ મુજબ દર્શનનો લાભ આપવામાં આવશે.

તો બીજી તરફ પરંપરા અનુસાર, રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ અંગે મર્યાદિત લોકોની હાજરીમાં જ રથયાત્રા યોજાય એવી પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત સાથે રથયાત્રાને લઈ દરરોજ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી સહિતના નેતાઓને પણ આમંત્રણ આપવામા આવશે. જો કે કોરોના મહામારીને કારણે આ વખતે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

image source

તો બીજી તરફ જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે મગનો પ્રસાદ સ્વીકારવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. લોકો દ્વારા મંદિરમાં પ્રસાદમાં મગ આપવામાં આવી રહ્યા છે. આ અંગે મંદિરનાં સૂત્રો મુજબ રથયાત્રામાં ત્રણેય ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જે ખલાસીઓએ વેક્સિન લઈ લીધી છે તેમના લિસ્ટ મગાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈે કે. એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે, જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મગાવવામાં આવ્યું છે. નોંધનિય છે કે કોરોનાને કારમે 150 જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ 150 ખલાસી એવા હશે, જેમને વેક્સિનેટેડ કરી દેવાયા હશે.

image source

તો બીજી તરફ રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરમાં સેવા આપતા મોટા ભાગના સેવકોએ રસી પહેલા જ લઈ લીધી છે. આ ઉપરાંત રથયાત્રા પહેલાં જોડાનારા સેવક- સ્વયંસેવકોએ વેક્સિન લેવાની રહેશે, જેના માટે જગન્નાથ મંદિર પરિસરમાં પણ વેક્સિનનો કેમ્પ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ પણ તૈયારીમાં લાગી ગઈ છે.

તો બીજી તરફ એક મહિનાથી પોલીસ દ્વારા રથયાત્રાના સંભવિત પ્લાન માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, જેમાં પ્રાપ્ર્ત માહિતી અનુસાર પોલીસ કર્ફ્યૂ, જનતા કર્ફ્યૂ અને સામાન્ય રથયાત્રા પર વિચાર કરી રહી છે અને કોઇપણ સંજોગોમાં રથયાત્રા નીકળે એ માટે પ્લાન અને વિચારણા હાથ ધરી છે.

સામે આવતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફલેગ માર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માથા ભારે તત્ત્વોની અટકાયત કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ પણ હાથ ધરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!