Site icon News Gujarat

તારક મહેતા…ના આ કલાકારનો દિકરો પીડાય છે દુર્લભ બિમારીથી, સારવાર માટે છાપા વેચવા મજબૂર

કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ કલાકારના દીકરાની સારવાર માટે ન્યુઝ પેપર વેચવા માટે થયા મજબુર, દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યું છે આ બાળક.

ટીવીના પ્રસિદ્ધ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ના કલાકારો આજના સમયમાં કોઈ ઓળખાણની જરૂરિયાત રહી નથી, તેમ છતાં કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શોના તમામ કલાકારોને ખુબ જ પસંદ કરવામાં આવે છે. આપ જાણો છો કે, ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના એક અભિનેતાને પોતાના દીકરાની ટ્રીટમેન્ટ કરાવવા માટે ન્યુઝ પેપર પણ વેચવા પડ્યા હતા.

image source

-‘ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ના કલાકાર ન્યુઝ વેચવા માટે મજબુર બન્યા.

-આ કલાકારનો દીકરો પીડાઈ છે દુર્લભ બીમારીથી.

-આ કલાકારે મરાઠી સિનેમામાં અભિનય કર્યો છે.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં જોવા મળી ગયેલ અભિનેતા અતુલ વિરકરએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાની અભિનય કલાનું પ્રદર્શન કરી દીધું છે. તાજેતરમાં જ અભિનેતા અતુલ વિરકરના દીકરાની ટ્રીટમેન્ટ કરાવવા માટે તેમણે ન્યુઝ પેપર વેચવાનો ધંધો પણ શરુ કર્યો છે.

કેમ ફસાયા ગરીબીમાં?

image source

ગત વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સ્ટાર્સનું નસીબ નબળું પડી ગયું હતું. કોરોના વાયરસ સંક્રમણના લીધે આખા દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના લીધે કલાકારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતા અતુલ વિરકરના દીકરો એક દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેમનો દીકરો AHDS (Allan- Herndon- Dudley Sindrome) બીમારીથી પીડાઈ રહ્યો છે.

આવી રીતે ચલાવ્યું પોતાનું ગુજરાન.

ઈટાઈમ્સ ટીવીની ખબરમાં જણાવ્યા મુજબ, ગત વર્ષે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શોનું શુટિંગ બંધ થઈ જવાના લીધે શોના કલાકારોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતા અતુલ વિરકર પણ ઘણા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અભિનેતા અતુલ વિરકરએ પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકડાઉનના સમયમાં અગરબત્તી વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

image source

દીકરા માટે દવા નથી.

મીડિયાની સાથે વાતચીત કરવા દરમિયાન અભિનેતા અતુલ વિરકરએ કહ્યું છે કે, દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનએ ફક્ત મને જ અસર નથી કરી પરંતુ મારો દીકરો બીમાર છે અને અત્યારે તે ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. મારો દીકરો સામાન્ય બાળકોની જેમ ઉભો થઈ શકતો નથી અને પોતાના અન્ય કાર્ય પણ કરી શકવા માટે સક્ષમ નથી. એટલા માટે તેને હંમેશા પથારીમાં જ રહેવું પડે છે.

દેશમાં ટ્રીટમેન્ટ નથી.

image source

અભિનેતા અતુલ વિરકર પોતાના દીકરાની બીમારી વિષે કહ્યું છે કે, આ બીમારીની સારવાર આપણા દેશમાં થવી શક્ય નથી અને તેમણે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં અભિનય પણ કર્યો છે. અભિનેતા અતુલ વિરકરે હિન્દી સિનેમા સહિત મરાઠી સિનેમામાં પણ પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે. મને કોઈની પાસેથી વધારે ઉમ્મીદ નથી રાખી શકતો પણ હું બધાનો સપોર્ટ ઈચ્છું છું.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના તમામ કલાકારોમાં દર્શકો ફેંસ છે તેમજ છેલ્લા 3 વર્ષથી દયાભાભી એટલે કે, દિશા વાકાણીએ શોને છોડી દીધો છે. તાજેતરમાં જ અસિત કુમાર મોદીએ એવું નિવેદન આપતા કહ્યું હતું કે, અભિનેત્રી દિશા વાકાણી શોમાં પાછા ફરે કે ના અ ફરે તો પણ શો મસ્ટ ગો ઓન. સામાન્ય રીતે એવું કહી શકાય કે જો અભિનેત્રી દિશા વાકાણી શોમાં પાછી નહી આવે તો નવી દયાની સાથે પણ તેઓ કામ શરુ કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version