તારક મહેતા કા ઉલટા ચશ્મા દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શોની લાંબી પહોળી સ્ટારકાસ્ટ છે અને બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ થોડા થોડા દિવસે સોશિયલ મીડિયા પર એમના વિશે કઈ નેનકી નવું શોધે છે. એવામાં એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો જુના એપિસોડનો છે જે વાયરલ થઈ રહ્યો છે.
આ શોમાં લોકો જેઠાલાલ અને દયા ભાભીના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દિશા વકાણીએ દયા ભાભીનો રોલ કર્યો છે અને હવે એ લાંબા સમયથી શોમાં દેખાઈ પણ નથી રહી. એવામાં ફેન્સ એમના આજે પણ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. હાલ એમના પરત ફરવા અંગે કોઈ અપડેટ નથુ પણ એમની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત અમે તમને આજે જણાવીશું.’
આ શોની લીડ એક્ટ્રેસ રહી ચુકેલી દયા ભાભીનો ફિલ્મ કોઈ મિલ ગયાના જાદુ સાથે ખાસ સંબંધ છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું કઈ રીતે બની શકે તો તમને જણાવી દઈએ કે કોઈ મિલ ગયાનો જાદુનો રોલ કરનાર ઇન્દ્રવદન પુરોહિતે કર્યો છે. એ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પણ દેખાઈ ચૂકયા છે. એક એપિસોડમાં એ દયા ભાભીના જીવા કાકા બનીને દેખાયા હતા. એનાથી સ્પષ્ટ થાય છે કે દયા ભાભી અને જાદુ એટલે કે ઇન્દ્રવદન પુરોહિતનો રિલ સંબંધ છે.
‘આ શોના એક એપિસોડમાં સુંદરલાલ જેઠાલાલના ઘરે શ્રી સાઈ ભક્ત મંડળની મંડળીને લઈને પહોંચ્યા હતા. આ મંડળીમાં દયા ભાભીના બધા સગાસંબંધીઓ હતા. એમાંથી એક જાદુ એટલે કે ઇન્દ્રવદન પુરોહિત પણ હતા. હવે ઘણા વર્ષો પછી એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે..
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં મુનમુન દત્તા નથી દેખાઈ રહી. જલ્દી જ એમનું શોમાં કમબેક થવાનું છે. તો દિશા વકાણીના કમબેકની હજી સુધી કોઈ જ ખબર નથી. શોને આજે પણ લોકો એટલું જ પસંદ કરે છે અને ટીઆરપી લિસ્ટમાં આજ કાલ તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ટોપ પર રહે છે.