લવ મેરેજના થોડા જ સમયમાં પત્નીની કરી નાખી હત્યા, અને અંતે પતિએ પણ પતિએ પણ લમણે ગોળી મારી દીધી, પણ પછી નાના ભાઇએ કર્યુ…

પત્નિની હત્યા બાદ પતિએ પણ પોતાના માથામાં ધરી દીધી ગોળી – તો આઘાતમાં સરી પડેલા ભાઈએ પણ કરી આત્મહત્યા

હાલ એમ કહી શકાય કે આત્મહત્યાનું પ્રમાણ સમગ્ર ભારમાં તેની ચરમસીમા પર છે, રોજ રોજ આત્મહત્યાના નવા સમાચાર મળી રહ્યા છે.

image source

ક્યારેક કોઈ ટીનએજ આત્મહત્યા કરી લે છે તો ક્યારેક કોઈ પતિ-પત્ની આત્મહત્યા કરી લે છે. તાજેતરમાં ઉત્તર પ્રેદશના અલીગઢમાં એક ઘરેલું કંકાસમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ પોતાનો પણ જીવ લઈ લીધો હતો. પણ આ આખીએ ઘટનાની અસર તેના નાના ભાઈને એટલી હદે થઈ કે તેણે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે આ ઘટનાને પતિએ ફેસબુક પર લાઈવ કરી હતી. અને આ લાઈવ વિડિયોમાં તેણે જણાવ્યુ હતું કે તે પોતાના પરિવાજનોથી પરેશાન છે અને હવે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જો કે તેના નાનાભાઈએ આત્મહત્યા કેમ કરી તે વિષે હાલ રહસ્ય અકબંધ છે. આખીએ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

image source

ઘટના ઉત્તર પ્રદેશના બન્ના દેવી થાનાના બરૌલા વિસ્તારની છે અહીં બાબુલાલ વર્માના ત્રણ પુત્ર રહે છે. તેનો મોટો પુત્ર પોતાના કુટુંબ સાથે અલગ રહે છે અને બે પુત્રો વિશાલ અને સૈલેન્દ્ર માતા-પિતા સાથે જ રહેતા હતા. શૈલેન્દ્ર ફાર્મસીમાં બેચલર ડીગરી ધરાવતો હતો અને પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતો હતો.

લગભગ દોઢ વર્ષ પહેલાં શૈલેન્દ્ર પોતાની પાડોશમાં રહેતી પિંકી વર્મા નામની યુવતિના પ્રેમમાં પડ્યો હતો અને તેણી સાથે લગ્ન પણ કરી લીધા હતા. જો કે તેમના લગ્નનો પરિવારજનોએ વિરોધ કર્યો હતો. અને આ વાતને લઈને ઘરમાં વારંવાર ઝઘડા પણ થતા હતા. ઘટનાની રાત્રે શૈલેન્દ્રનો તેની માતા સાથે કોઈ વાત પર ઝઘડો થયો હતો પણ લોકો વચ્ચે પડતાં મામલો થાળે પડી ગયો હતો.

image source

શૈલેન્દ્ર પોતાની સ્થિતિથી કંટાળી ગયો હતો અને આત્મહત્યા પહેલાં તેણે ફેસબુક પર એક લાઈવ વિડિયો શેર કરીને લોકોને મેસેજ આપ્યો હતો કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે અને પોતાની જાતે જ આ પગલું ભરી રહ્યો છે. જો કે તેણે જણાવ્યું હતું કે તે પોતાના ઘરના લોકોથી પરેશાન થઈ ગયો હતો અને હવે તે જીવી શકે તેમ નહોતો. આટલું કહ્યા બાદ તેણે પોતાની પત્ની પિંકીને ગોળી મારી દીધી હતી અને ત્યાર બાદ તેણે પોતાના માથામાં પણ ગોળી ધરબી દીધી હતી.

image source

અને આ જ આઘાતથી દુઃખી થઈને તેના નાના ભાઈ વિશાલે પણ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. શૈલેન્દ્ર અને વિશાલ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે પિંકીને હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે ત્રણે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. અને દરેક દ્રષ્ટિકોણથી કેસની તપાસ કરવામાં આવી રહી છે.

image source

અહીંના એસપી ક્રાઈમ ડોક્ટર અરવિંદે ઘટના વિષે જણાવતા કહ્યું હતું કે પતિએ પહેલાં પત્નીને ગોળી મારી અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. અને તેના નાના ભાઈએ ઘરના ધાબા પર જઈને પોતાની જાતને ગોળી મારી જીવન ટુંકાવ્યું હતું. હાલ તો આ ઘટનાને આત્મહત્યા તરીકે જ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત