કોઈ બીમારીના કારણે નહિ પણ આ કારણે પડી છે રાકેશ રોશનના માથા પર ટાલ

બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનના પિતા રાકેશ રોશન તેમના સમયના ફેમસ અભિનેતા રહી ચૂક્યા છે. અભિનય બાદ તેમણે નિર્દેશનમાં પોતાનું નસીબ અજમાવ્યું. હવે તે બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર છે.તેમણે બોલિવૂડમાં એકથી વધુ ફિલ્મો આપી છે. કરણ અર્જુન, કોઈ મિલ ગયા, ક્રિશ, ક્રિશ 2, કોયલા, ખુદગર્જ જેવી તમામ સુપરહિટ ફિલ્મો તેના નામે નોંધાયેલી છે.

image source

તમે જોયું હશે કે રાકેશ રોશન તેમના માથા પર એક પણ વાળ રાખતા નથી. જો તમે વિચારી રહ્યા હોવ કે વધતી ઉંમર સાથે તેમના વાળ ખરી ગયા છે, તો એવું બિલકુલ નથી. આવું કરવા પાછળ એક મોટું કારણ છે. ચાલો જાણીએ કે તે ક્યારેય તેના માથા પર વાળ કેમ રાખતા નથી.

image source

વાત જાણે એમ છે કે, આ મામલો વર્ષ 1987 નો છે. જ્યારે રાકેશ રોશને પહેલીવાર ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેણે ‘ખુદગર્જ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની રિલીઝ પહેલા રાકેશ તિરુપતિ બાલાજી પાસે ગયા અને તેમની ફિલ્મની સફળતા માટે માનતા રાખી હતી. એમને માનતા માંગતી વખતે તેમણે કહ્યું હતું કે જો ફિલ્મ સફળ થશે તો તે તિરુપતિ આવીને પોતાના વાળ દાન કરશે.

image source

31 જુલાઈ, 1987 ના રોજ તેમની ફિલ્મ ‘ખુદગર્જ’ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર સુપરહિટ બની. જો કે, આ પછી તેનું મન બદલવાનું શરૂ થયું અને તે ટાલ પડવાથી શરમાવા લાગ્યા. એટલું જ નહીં, તે પોતાની માનતા ભૂલી ગયા અને પોતાની માનતા પુરી કરી નહીં. પરંતુ તેની પત્ની પિંકીને તેની માનતાની વાત ખબર હતી. તેણી તેને સમયાંતરે તેની માનતા વિશે યાદ કરાવતી હતી.

રાકેશ રોશન તિરુપતિ બાલાજી ગયા અને તેમના વાળ કપાવ્યા. પરંતુ વાળનું દાન કરવાની સાથે તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ક્યારેય તેના માથા પર વાળ નહીં રાખે. આ સાથે રાકેશની સફળતાની ગાથા પણ શરૂ થઈ. તે પછી તેની તમામ ફિલ્મો હિટ થઈ. ડાયરેક્ટર તરીકે રાકેશ રોશનની સક્સેસ સ્ટોરી અહીંથી શરૂ થઈ હતી.

ક્રિશ 4 પર કામ કરે છે

image source

રાકેશે ઋતિક રોશન સાથે ક્રિશ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ‘ક્રિશ 4’ પર કામ કરી રહ્યા છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. તેની ફિલ્મી કારકિર્દીમાં રાકેશે આખિર કયું ?, શ્રીમાન શ્રીમતી, હોટલ, ખૂન ભારી માંગ વગેરે જેવી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો હતો.