Site icon News Gujarat

અનુજ અને અનુપમાના લગ્નના અડચણ ઉભી કરશે આ હસીના, જલ્દી જ થઈ શકે છે એન્ટ્રી

સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલ અનુપમા એક મોટા ટ્વીસ્ટ માટે તૈયાર છે. ટીઆરપી લિસ્ટમાં નંબર વન સ્થાન પર રહેલી આ સિરિયલમાં નિર્માતાઓ વધુ મસાલેદાર તડકા ઉમેરવા જઈ રહ્યા છે.ટૂંક સમયમાં અભિનેત્રી અનેરી વજાણી અનુપમામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ટૂંકા વિરામ બાદ અનેરી વજાની ટીવીની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે. આ પહેલા તે કલર્સ ટીવી સીરિયલ ‘પવિત્ર ભાગ્ય’માં જોવા મળી હતી. પવિત્રા ભાગ્યના પ્રસારણના બંધ થયા પછી અનેરી સારી ભૂમિકાની શોધમાં હતી.

image soucre

થોડા મહિનામાં ગૌરવ ખન્નાની અનુપમામાં એન્ટ્રી થઈ હતી. ગૌરવ આ શોમાં અનુજનું પાત્ર ભજવી રહ્યો છે જે અનુપમાને માત્ર પ્રેમ જ નહીં પરંતુ તેનું સન્માન પણ કરે છે. તેની એન્ટ્રીએ શોને વધુ રસપ્રદ બનાવી દીધો. હવે રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેના આ શોમાં અનેરી વજાનીની એન્ટ્રી આવનારા એપિસોડમાં ઘણા નવા ટ્વિસ્ટ લાવશે. વાત જાણે એમ છે કે થોડા દિવસો પહેલા અનુપમામાં જોવા મળ્યું હતું કે જીકેને એક રહસ્યમય કોલ આવે છે પરંતુ પછી કોલ કરનારનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

image source

બની શકે કે કદાચ જીકેને અનનોન કોલ કરનાર બીજું કોઈ નહિ પણ પણ અનેરી વજાણી હોય. હજી સુધી અનેરીના પાત્ર વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ એવું કહી શકાય કે તે અનુજ (ગૌરવ ખન્ના)ના ભૂતકાળ સાથે જોડાયેલી છે. અનુપમાએ અનુજ પ્રત્યેના પ્રેમની કબૂલાત કર્યા પછી, તેમના જીવનમાં અનેરીનો પ્રવેશ અનુપમા અને અનુજના જીવનમાં ભારે ઉથલપાથલનું કારણ બની શકે છે. પરંતુ તે કયું પાત્ર છે અને સિરિયલમાં આ પાત્રની કેવી એન્ટ્રી થશે તે જોવું રસપ્રદ રહેશે.

image source

ટીવી એક્ટ્રેસ અનેરી વજાની વિશે વાત કરીએ તો, અનેરીએ 2012માં કાલી એક પુનર્જન્મ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીરિયલ પછી તે ક્રેઝી સ્ટુપિડ ઈશ્કમાં જોવા મળી હતી. જો કે, અનેરી વજાનીને સ્ટાર પ્લસની સીરિયલ ‘નિશા ઔર ઉસકે કઝીન્સ’થી ઘણી ખ્યાતિ મળી હતી. તેણે ભજવેલ ‘નિશા’ના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું. આ શો પછી, તેણે બેહદ, સિલસિલા બદલતે રિશ્તો કા સીઝન 2 અને પવિત્ર ભાગ્ય જેવી ઘણી પ્રખ્યાત સિરિયલોમાં તેની અભિનય કુશળતા બતાવી.

તમને જણાવી દઈએ કે કે અનુપમાં શો ગયા વર્ષે જુલાઈ માસમાં ટેલિકાસ્ટ થઈ હતી એ પછીથી આ શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે

Exit mobile version