અનુરાગ કશ્યપ પર લાગ્યા યૌન શોષણ મામલે કંગનાએ આપ્યું આવું જોરદાર નિવેદન, અને કહ્યું ‘મારે પણ…’

અનુરાગ કશ્યપ પર લાગ્યા યૌન શોષણના આરોપ – આરોપોનું સમર્થન કરતાં કંગનાએ કહ્યું ‘મારે પણ તેનો સામનો કરવો પડ્યો છે’

અભિનેત્રી કંગના રનૌતે રવિવારે કહ્યું કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, જેની સાથે તેણીની હંમેશા રાજનૈતિક મુદ્દાઓ પર સાર્વજનિક રીતે દલીલબાજી થતી હોય છે, તે યૌન ઉત્પીડન કરવામાં ખૂબ જ વધારે સક્ષમ છે. તમને જણાવી દીએ કે અનુરાગ કશ્યપ પર પાયલ ઘોસે કથિત રીતે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું છે કે તેમની સાથે ઘણા એવા સહકર્મિઓ છે જેમણે આવું કર્યું છે.

શનિવારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ એક આરોપ લગાવવામાં આવ્યો જે આરોપ અભિનેત્રી પાયલ ઘોષ દ્વારા લગાવવામા આવ્યો છે અને આ આરોપને કંગનાએ ટ્વીટ કરીને સમર્થન પણ આપ્યું છે, તેણીએ ટ્વિટ કરતા લખ્યું છે, ‘અનુરાગે સ્વિકાર કર્યું કે વિવિધ લોકો સાથે લગ્ન કરવાથી પણ અનુરાગ ક્યારેય પણ સંતુષ્ટ નથી રહ્યા, અનુરાગે પાયલ સાથે જે કર્યું તે બોલીવૂડમાં એક સામાન્ય વાત છે, અહીં સંઘર્ષ કરી રહેલી છોકરીઓ સાથે સેક્સ વર્કર જેવું વર્તન કરવામાં આવે છે.’

અનુરાગ કશ્યપ અને કંગના રનૌત વચ્ચે અવારનવાર ટ્વિટર પર કડવી દલીદબાજી થતચી રહે છે. રનૌત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાની મુખ્ય સમર્થક છે, જ્યારે અનુરાગ કશ્યપ સરકારની અવારનવાર આલોચના કરતા જોવા મળ્યા છે.

એક પત્રકાર દ્વારા તેમની સાથે મારપીટ કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બાબત પર કંગનાએ જવાબ આપ્યો, ‘મેં તેને ત્યાં માર્યું, જ્યાં તેને સૌથી વધારે પીડા થાય છે. હું મારો બદલો લઈ શકું છું. હું મદદ માટે તમને નહીં પૂછું.’

તમને જણાવી દઈએ કે પાયલ ઘોષે 48 વર્ષીય દીગ્દર્શક અને નિર્માતા કશ્યપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આરોપોને રદીઓ આપતા અનુરાક કશ્યપે જણાવ્યું છે, ‘આ મને ચૂપ કરાવવાનો પ્રયાસ છે.’

પાયલ ઘોષે, 2017માં ફિલ્મ પટેલ કી પંજાબી શાદીથી બોલીવૂડમાં શરૂઆત કરી હતી, તેણીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે કશ્યપે તેમની સાથે યૌન શોષણ કર્યું. અભિનેત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી છે.

પાયલે ટ્વીટ કર્યું છે, ‘અનુરાગે મારું યૌન શોષણ કર્યું છે. પ્રધાનમંત્રી જી, કૃપા કરી કાર્યવાહી કરો અને દેશને આ વ્યક્તિનું સત્ય બતાવો. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. અને મારી સુરક્ષા જોખમમાં છે. મારી મદદ કરો !’

image source

ગેંગ્સ ઓફ વાસેપુર અને ક્વીન જેવી ફિલ્મોના દીગ્દર્શક અને નિર્માણ માટે જાણીતા બનેલા અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું છે, ‘મને ચુપ કરાવવાનોપ્રયાસ કરવામાં તમને આટલો સમય લાગ્યો. ક્યારેય મન ન થયું…. ચુપ રહેવાનું.’ કૃપા કરીને દૂર રહો મેડમ. હું બસ એટલુ જ કહેવા માગું છું કે બધા જ આરોપો પાયાવિહોણા છે. ‘તે પછી મારી પહેલી પત્ની હોય કે બીજી પત્ની હોય કે પછી મારી પ્રેમિકા. કે પછી મારી સાથે કામ કરનારી બધી જ અભિનેત્રીઓ… કે પછી તે બધી જ મહિલા સહયોગીઓ કે જે મારી સાથે કામ કરી રહી છે….હું સાર્વજનિક રીતે આ પ્રકારના વ્યવહારમાં સંડોવાયો નથી. અને હું આ પ્રકારના વ્યવહારને ચલાવી પણ નથી લેતો.’

image source

અનુરાગ કશ્યપના બચાવમાં આવનારી તેમની પહેલી પત્ની આરતી બજાજ અને અભેનેત્રી તાપસી પન્નુનું નામ છે. આરતી બજાજે કહ્યું છે, ‘આ અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્ટંટ છે.’ બજાજે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યુ છે, ‘અનુરાગ તમે એક રોકસ્ટાર છો. મહીલાઓને સશક્ત બનાવી રાખો જેવું તમે કરો છો અને સૌથી સુરક્ષિત તમે બધા માટે બનાવો છો.’

તો વળી તાપસી પન્નુએ કશ્યપની એક તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘તમે મારા મિત્ર છો, સૌથી મોટા નારીવાદી. તમારા દ્વારા બનાવેલી દુનિયામાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે સ્પષ્ટ દેખાય છે.’

Source:Ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત