અનુપમામાં થવાનો છે મોટો ધડાકો, બાપુજી લેશે એવો નિર્ણય કે ઉડી જશે વનરાજની રાતોની ઊંઘ
લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમાની વાર્તા દિવસેને દિવસે રસપ્રદ બની રહી છે. હાલમાં આ ટીવી સિરિયલમાં જોવા મળે છે કે અનુજ અને માલવિકા વનરાજના કારણે અલગ થઈ ગયા છે.અનુજે પોતાનો બધો બિઝનેસ માલવિકાને સોંપી દીધો છે અને હવે તે અનુપમા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા ગયો છે. અનુપમા અને અનુજ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપ ધરાવે છે, જેના કારણે બા ગુસ્સામાં છે કારણ કે તેમની નજરમાં લગ્ન પહેલા સાથે રહેવું યોગ્ય નથી. તે જ સમયે, બાપુજી અને શાહ પરિવારના અન્ય સભ્યો અનુપમા અને અનુજને ટેકો આપી રહ્યા છે. આ દરમિયાન, એવું જોવા મળે છે કે અનુજ અને માલવિકાને અલગ થતા જોઈને બાપુજી ખૂબ જ દુઃખી છે અને હવે એવો નિર્ણય લેશે, જેના કારણે બધાના પગ નીચેથી જમીન સરકી જશે.
બાપુજી લેશે ચોંકાવી દે તેવો નિર્ણય
હવે અનુપમા ટીવી સિરિયલમાં એ જોવા મળશે કે જ્યારે વનરાજ શાહ હાઉસમાં આવે છે, ત્યારે તે બધાને જાણ કરે છે કે અનુપમા અને અનુજ ઓફિસમાંથી નીકળી ગયા છે અને હવે માત્ર માલવિકા જ સમગ્ર કાપડિયા એમ્પાયરની માલિક છે. વનરાજની આ વાત સાંભળીને બાપુજી સહિત ઘણા લોકો ચોંકી ગયા અને બધા હતાશ થઈ ગયા. પરંતુ બાપુજી આનાથી ખૂબ જ પરેશાન છે અને અનુપમા અને અનુજનું આ દુઃખ તેમનાથી જોવાતું નથી. જેના કારણે હવે બાપુજી એવો નિર્ણય લેશે કે સાંભળીને બધા ચોંકી જશે. તો બા વનરાજને ટેકો આપશે કારણ કે તેમને લાગે છે કે અનુજ અને માલવિકા વચ્ચે જે મુશ્કેલી આવી છે તેનું કારણ વનરાજ નથી.
અનુપમા ટીવી સિરિયલમાં જોવા મળશે કે બાપુજી હવે એવો નિર્ણય લેશે જેનાથી શાહ પરિવાર નારાજ થઈ જશે. હવે આ શોમાં જોવા મળશે કે બાપુજી શાહ ઘર છોડવાનો નિર્ણય લેશે. તે પોતાનું ઘર છોડીને અનુપમા અને અનુજ સાથે રહેવા જશે. બાપુજીનો આ નિર્ણય સાંભળીને વનરાજને ખૂબ ગુસ્સો આવશે પણ બાપુજી તેમની વાત સાંભળશે નહિ. જે પછી વનરાજ અને બાપુજી વચ્ચે મોટી લડાઈ થશે, ત્યારે જ બાપુ વનરાજને ગદ્દાર કહેશે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના લીડ રોલ કરી રહ્યા છે. એમાંય શોમાં માલવિકાની એન્ટ્રી થયા પછી શોમાં રોજે રોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે.