ગુજરાતમાં વેક્સિન આવે એ પહેલાં જ ધબડકો, આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર, રસી આપશે નહીં અને લેશે પણ નહીં

મોઢા સુધી જમવાનું આવી જાય અને પછી કોઈ પાછું લઈ લે તો કેવું થાય. કંઈક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કોરોનાને લઈને. આ વાક્ય બોલવા પાછળ કાલથી શરૂ થતી હડતાળ છે. તો આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો. હાલમાં બધા જ જાણે છે કે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.

ગુજરાત સરકાર પણ આ વેક્સિનેશન માટે પુરી રીતે સજ્જ છે એવી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે. સાથે જ 12 જાન્યુઆરીએ વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર પણ લેન્ડિંગ થઈ જવાની છે. પરંતુ વેક્સિનેશનની આ તૈયારીઓ વચ્ચે એક મોટું વિઘ્ન આવ્યું છે અને લોકોમાં ચિંતા પેઠી છે.

image source

વાત કંઈક એમ છે કે જે દિવસે ગુજરાતમાં વેક્સિન આવશે એ જ દિવસથી પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવાના જશે. વાત ખાલી એટલી જ નથી, કોવિડ-19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી પણ નહીં લે અને કોઈને આપવાની પણ ના પાડી દીધી.

હવે હાલમાં ચારેકોર એક જ વાત થઈ રહી છે કે આખરે શું થશે અને આ લોકોનો પ્રશ્નનો હલ આવશે કે કેમ. જો મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી મુજબ, પંચાયત સેવા હેઠળના આરોગ્ય આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ,

image source

ગાંધીનગર દ્વારા આદેશ આપવામાં આવે છે કે, રાજ્ય સરકારને 20 ડિસેમ્બર 2018 અને 15 ડિસેમ્બર 2020ના આવેદનપત્ર તથા 1 જાન્યુઆરી 2021ની આંદોલનની લેખિત નોટિસ, 27 ફેબ્રુઆરી 2019 અને 25 ડિસેમ્બર 2019 એમ બે હડતાળના સમાધાનપત્રો થયા હોવા છતાં અને અગ્ર આરોગ્ય સચિવ સાથે 11 જાન્યુઆરી 2021ની બેઠકમાં સાનૂકુળ પ્રતિભાવ ન મળતા સફળ પરિણામ મળશે તેવા પ્રકારની પ્રતિતિ થઈ હોવાથી ના છૂટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડી છે.

આ પત્રમાં આગળ લખવામાં આવે છે કે, જેથી ‘આર યા પાર’ના સંકલ્પ અનુસાર ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવા જણાવવામાં આવે છે. પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ 12 જાન્યુઆરી 2021થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. જેને પગલે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે સવારના 11થી 4 વાગ્યા સુધી મર્યાદિત સંખ્યામાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, પ્રતિક ઉપવાસ તથા ધરણા અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

image source

કોવિડ-19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં. જો વાત કરવામાં આવે વેક્સિનેશનની તો કોરોના રસીકરણ કાર્યક્રમ કરવા માટે ગુજરાતમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સને સૌથી પહેલાં રસી આપવામા આવશે. જો આ ફ્રન્ટલાઇનવર્કર્સની વાત કરીએ તો એમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આ બધા થઈને કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ સૌથી પહેલા આપવામાં આવશે

image source

એક તરફ આવા આંદોલન જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આજથી જ કોરોના પછી પહેલી વખત શાળાઓ શરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલે આવ્યા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કૂલો શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. આજે લગભગ 70 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત