આ વસ્તુ તમને અપાવશે આર્થિક સંકટમાંથી છૂટકારો, જાણો આ ઉપાય વિશે તમે પણ
જેની પાસે લક્ષ્મીનો અભાવ હોય છે, તેને લાગે છે કે લક્ષ્મીની પ્રાપ્તિ દુર્લભ હોય છે. પરંતુ તેવું નથી, જો લક્ષ્મીજીને રીજવવાનો યોગ્ય રસ્તો તમને ખબર હશે. તો લક્ષ્મીજીની કૃપા મેળવવી ખૂબ જ સરળ છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીયંત્ર, એકમુખી રુદ્રાક્ષ, એકાક્ષી નારિયેર, શંખ વગેરે જેવી વસ્તુઓ ખાસ માનવામાં આવે છે.
તેમાં પણ એકાક્ષી નારિયેળનું વિશેષ મહત્વ ધરાવે છે. આ નાળિયેરને લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ એકાક્ષી નારિયેળ ઘરમાં રાખીને તેનું પૂજન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. તો આજે જાણી લો તેના વિશે અને જો એકાક્ષી નારિયેળ તમને મળે તો તેને મંદિરમાં સ્થાન આપી પૂજા અવશ્ય કરજો.
એકાક્ષી નારીયેલ ઘરમાં રાખવાથી સ્થાયી સંપત્તિ, ઐશ્વર્ય અને પારિવારિક શાંતિ મળે છે. ગર્ભવતી સ્ત્રીને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જે ઘરમાં એકાક્ષી નારિયેળની રોજ પૂજા થાય છે, તે ઘરમાં વાસ્તુદોષ દૂર થઈ જાય છે. અમાસ કે પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેળને પાણીમાં ડુબાડીને અગિયાર વાર મંત્ર જાપ કરીને હવન કરવો, ત્યાર બાદ તે પાણીને ઘરમાં છાંટવું. આમ કરવાથી ભૂત પ્રેતોનો ઉપદ્રવ સમાપ્ત થઈ જાય છે.
કોર્ટકેસમાં લાભ ન થઈ રહ્યો હોય તો મંગળવારના દિવસે વિધિ વિધાનથી એકાક્ષી નારિયેળનું પૂજન કરીને લાલ કપડામાં એકાક્ષી નારિયેળને સાથે રાખવું. આમ કરવાથી કેસમાં જો તમે સાચા હશો તો ચોક્કસ સફળતા મળશે. ઘરની આસપાસ કે પડોશમાં કોઈ શત્રુ હેરાન પરેશાન કરી રહ્યો હોય તો પીપળાના વૃક્ષની પાસે એકાક્ષી નારિયેળનું પૂજન કરવાથી શત્રુનો નાશ થાય છે.
બુધવારના દિવસે વિધિ વિધાનથી એકાક્ષી નારિયેળનું પૂજન કરીને તેના પર ચંદન, કેસર, નાળા છડી અર્પણ કરીને સ્વયં કપાળે તિલક કરીને ક્યાંય પણ નવું કાર્ય કરવાથી તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. દિવાળીની રાતે એકાક્ષી નારિયેળની પૂજા કરીને તમારા પૂજા સ્થાન પર રાખવાથી ધન સંબંધિત ઘણા લાભ થાય છે.
એકાક્ષી નારિયેળને સિદ્ધ કરી ઘર કે દુકાનમાં રાખવાથી હંમેશા બરકત રહે છે. જ્યારે કોઇ વિશેષ કામ માટે બહાર જાઓ તો એકાક્ષી નારિયેળની પૂજા કરીને નીકળો. તેનાથી તે કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. આ એકાક્ષી નારિયેળ ને ધનને આકર્ષિત કરનાર માનવામાં પણ આવે છે. તેમજ તેનાથી સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
જો તમારા ઘરના પરિવારમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા છે, તો આ માટે તમારે રવિ પુણ્ય ના દિવસે એકાક્ષી નાળિયેર ઘરે સ્થાપિત કરવા જોઈએ, રવિ પુષ્યના દિવસે આ કરવાથી, ઘરમાં પૈસાની કમી દૂર થાય છે, તમને રવિ પુષ્ય નક્ષત્ર મળશે. આ દિવસે નાળિયેર ચોખા, કુમકુમ, ચંદન, કેસરની પૂજા કરો, તેનાથી ઘરમાં સુખ મળશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,