અરવિંદ કેજરીવાલનું દિવાળી પૂજન: CM કેજરીવાલે કેબિનેટ સાથીદારો સાથે અક્ષરધામ મંદિરમાં કરી દિવાળીની પૂજા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિવાળીની રાત્રે દિલ્હીના અક્ષરધામ મંદિરમાં સાંજે 7.39 વાગ્યે દિવાળીની પ્રાર્થના અને જાપ કર્યો. આ સમય દરમિયાન મુખ્યમંત્રીના પરિવાર અને તેમના મંત્રીમંડળના સાથીઓ પણ આ પૂજામાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દીપાવલીના અવસરે દિલ્હીની જનતાને સંદેશ આપતા કહ્યું કે, તમારા બધાનું સારુ થાય, દરેકના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય અને કૃપા બની રહે. તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ, મા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.

image source

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ વખતે દિવાળી પર આપણે બધા દિલ્હીવાસીઓ મળીને લક્ષ્મી પૂજન કરી રહ્યા છીએ. આ સમય દરમિયાન બધા લોકો તેમના ઘરે આવીને એક અવાજમાં અમારી સાથે લક્ષ્મીની પૂજા કરે છે. જો દિલ્હીના બે કરોડ લોકો સાથે મળીને એક અવાજમાં લક્ષ્મી પૂજા કરશે તો દિલ્હીના દરેક પરિવારમાં સારું થશે. તેમણે આગળ વાત કરતાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જો આપણે ફટાકડા બાળીએ તો આપણે પોતાનું, આપણા પરિવારનું અને આખી દિલ્હીના લોકોનાં જીવન સાથે ગડબડ કરી રહ્યા છીએ

image source

દિલ્હીમાં આ સમયે કોરોના અને પ્રદૂષણ બંનેનો મોટો હાહાકાર છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, દિલ્હીની જનતા અને દિલ્હી સરકાર મળીને પ્રયાસ કરી રહી છે. પ્રદુષણને કારણે કોરોનાની સ્થિતિ કથળી રહી છે. દર વર્ષે આ દિવસોમાં પ્રદૂષણ થાય છે, કારણ કે ફટાકડા સળગાવવાનો ધુમાડો દિલ્હી તરફ આવે છે.

image source

કેજરીવાલે કહ્યું, દુખની વાત એ છે કે ભૂતકાળના કેટલાય વર્ષોથી પરાલી સળગાવવાને કારણે છેલ્લા ઘણા સમયથી આ પ્રદૂષણ થઈ રહ્યું છે, પરંતુ તે સરકારોએ તેમના ખેડૂતો માટે કોઈ નક્કર પગલા ભર્યા ન હતા. મેં તે રાજ્યોના ખેડુતો સાથે વાત કરી હતી અને ખેડુતોએ કહ્યું હતું કે આપણે પરાલી બાળવાથી નુકસાન જાય છે અને આપણી જમીનની અંદર બેક્ટેરિયાનો નાશ છે. બેક્ટેરિયાના નાશના કારણે આપણી માટી ઓછી ફળદ્રુપ છે, પરંતુ આપણી પાસે શું ઉપાય છે, આપણી સરકારોએ આપણા માટે કંઇ કર્યું નથી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે ખૂબ જ સારા પગલા લીધા છે. દિલ્હીની જનતા અને દિલ્હી સરકારે પુસા સંસ્થાની સાથે મળીને પરાલીનું સમાધાન આપ્યું છે કે હવે પરાલીને બાળી નાખવાની જરૂર નથી. પુસા સંસ્થાએ એક રસાયણ બનાવ્યું છે, જો તે રસાયણને પરાલી પર છાંટવામાં આવે તો તે પરાલી આશરે 20 દિવસમાં ખાતરમાં ફેરવાય જશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લી વખત અમે દીપાવલી દરમિયાન ફટાકડા ન ફોડવાની સોગંધ ખાધી હતી. આ વખતે પણ આપણે બધા સાથે મળીને દીપાવલીની ઉજવણી કરીશું, પરંતુ કોઈ પણ સંજોગોમાં ફટાકડા નહીં ફોડીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત