Site icon News Gujarat

તબ્બુથી લઈને આશા પારેખ સુધી આ અભિનેત્રીઓનું તૂટ્યું દિલ, હજી સુધી નથી કર્યા લગ્ન

ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં ઘણા સંબંધો બને છે અને તૂટી જાય છે. ઘણી વખત ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં પડી જાય છે. પરંતુ તેમનો સંબંધ કોઈ મુકામ સુધી પહોંચતો નથી. બોલિવૂડમાં બ્રેકઅપ અને અફેરના સમાચારો સામાન્ય છે, પરંતુ ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેઓ ન માત્ર સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રેમ કર્યો, પરંતુ જીવનભર લગ્ન પણ ન કર્યા. આજે આ લેખમાં અમે તમને તેમની અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે ખૂબ જ શીદદતથી પ્રેમ કર્યો.

પરવીન બાબી

image soucre

પરવીન બાબીએ સ્ક્રીન પર બધાના દિલ જીતી લીધા અને ઘણા ચાહકો બનાવ્યા,તો તેનું અંગત જીવન પણ એટલું જ પીડાદાયક હતું. પરવીન બાબીનું નામ મહેશ ભટ્ટ, ડેની ડોનઝેંગપા અને કબીર બેદી સાથે જોડાયુ. જો કે, તેમના પ્રેમને તેની મંઝિલ ન મળી. જેના કારણે પરવીન બાબી ઘણી ભાંગી પડી હતી. પરવીન બાબી તૂટેલા હૃદય સાથે જીવનભર કુંવારી રહી અને તેણે એકલતાનો સામનો કરીને આ દુનિયાને અલવિદા કહી દીધું.

તબ્બુ

image soucre

તબુએ મોટા પડદા પર ગ્લેમરસ અવતારથી લઈને માતા અને બહેન સુધીની ભૂમિકાઓ ભજવી હતી. દરેક પાત્રમાં તબ્બુને તેના ચાહકોનો પ્રેમ મળ્યો. પરંતુ અંગત જીવનમાં તબ્બુનો પ્રેમ અધૂરો રહ્યો. તબ્બુ પચાસ વર્ષથી વધુની છે, પરંતુ તેણે હજુ લગ્ન કર્યા નથી. અહેવાલો અનુસાર, તબ્બુ અને નાગાર્જુન રિલેશનશિપમાં હતા, પરંતુ તેઓ પહેલેથી જ પરિણીત હોવાથી નાગાર્જુને તબ્બુ સાથે લગ્ન કર્યા ન હતા. નાગાર્જુનથી અલગ થયા બાદ તબ્બુ અપરિણીત રહી.

આશા પારેખ

image soucre

આશા પારેખે ઘણા વર્ષો સુધી ફિલ્મી પડદા પર રાજ કર્યું. નાસિર હુસૈન સાથે કામ કરતી વખતે આશા પારેખ તેમના પ્રેમમાં પડી ગઈ હતી. પરંતુ તેમના પ્રેમને મંઝિલ ન મળી. આશા પારેખે પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું કે તે નાસિર હુસૈનની ન થઈ શકી તેથી તેણે ક્યારેય લગ્ન કર્યા નથી

સુરૈયા

image soucre

પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા સુરૈયાના તે જમાનામાં ઘણા ચાહકો હતા, પરંતુ સુરૈયાએ જેમને પોતાનું દિલ આપ્યું તે દેવ આનંદ હતા. જો કે, દેવ આનંદ સાથેનો તેનો પ્રેમ પૂર્ણ ન થયો. દેવ આનંદ સાથે લગ્ન કર્યા ન થવાના કારણે સુરૈયાએ ક્યારેય લગ્ન જ ન કર્યા

શમિતા શેટ્ટી

image soucre

શરારા ગર્લ શમિતા શેટ્ટીએ હજી લગ્ન કર્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમિતા શેટ્ટી મનોજ બાજપેયીના પ્રેમમાં હતી, પરંતુ મનોજ બાજપેયી પહેલેથી જ પરિણીત હતા, તેથી તે શમિતા સાથે લગ્ન કરી શક્યા ન હતા. જેના કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 42 વર્ષની શમિતાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. જો કે હવે રાકેશ બાપટે દિલમાં દસ્તક આપી દીધી છે.

સુષ્મિતા સેન

image soucre

સુષ્મિતા સેનનું નામ ફિલ્મી દુનિયાના ઘણા લોકો સાથે જોડાયેલું છે. સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટથી લઈને રણદીપ હુડા અને બંટી સચદેવ સહિત ઘણા લોકોને ડેટ કરી ચૂકી છે. જો કે તેણીને હજુ સુધી તેના જીવનનો સાચો પ્રેમ મળ્યો નથી અને સુષ્મિતા સેન 46 વર્ષની છે અને હજુ પણ કુંવારી છે.

Exit mobile version