Site icon News Gujarat

લવિંગ-લીંબુનો આ ઉપાય કરવાથી મોટામાં મોટી સમસ્યાઓમાંથી મળે છે છૂટકારો, અજમાવો તમે પણ

મિત્રો, આપણા જીવનમા રોજબરોજ અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આવતી રહેતી હોય છે અને આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આપણે અનેકવિધ ઉપાયો જમાવતા હોઈએ છીએ પરંતુ, આ ઉપાયો એટલા અસરકારક નથી હોતા કે, જે તમારી આ સમસ્યાઓને દૂર કરી શકે.

image source

આપણા પૌરાણિક શાસ્ત્રોમા આપણા જીવનને સરળ બનાવવા માટે અનેકવિધ ઉપાયોનો ઉલેખ્ખ કરવામા આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમા જીવનમા આવતી સમસ્યાઓને દૂર કરવા માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામા આવ્યા છે અને આ ઉપાયોની મદદથી તમે તમારા જીવનની અનેકવિધ મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવી શકો છો.

image source

આજે આ લેખમા અમે તમને લવિંગ તથા લીંબુ સાથે સંકળાયેલા અમુક આવા જ્યોતિષીય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીંદગીની અનેકવિધ પરેશાનીઓ દૂર કરી શકે છે અને તમારુ જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. તો ચાલો જાણીએ લવિંગ તથા લીંબુના આ જ્યોતિષીય ઉપાય વિશે અને જાણીએ કે તેના કારણે આપણા જીવનમા શું-શું લાભ થાય છે?

image source

જો તમે કુદ્રષ્ટિ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો લીંબુની અંદર ૪ લવિંગ મુકો અને ત્યારબાદ તેને સાત વખત વ્યક્તિના મસ્તિક ઉપર લઈ જાવ અને ફેરવો, ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ફેંકી દો. આમ, કરવાથી તમારા પર રહેલી કુદૃષ્ટિ દૂર થઇ થશે. આ સિવાય વ્યવસાય વિસ્તૃત કરવા માટે લીંબુ સાથે અગિયાર જેટલા લવિંગ મુકો અને તેને ત્યારબાદ વહેલી સવારે તમારી વિરુદ્ધ દિશામા તેને ફેંકી દો. આ ઉપાય કરવાથી તમને વ્યવસાય ક્ષેત્રે વિશેષ સફળતા મળશે.

જો તમારે તમારા અધૂરા કાર્યને સફળ બનાવવું હોય તો તમારા ઘરને છોડતા પહેલા લવિંગ અને લીંબુને દરવાજા પર લગાવો અને ત્યારબાદ ઘર છોડતા પહેલા તમારો જમણો પગ તેમના પર રાખો અને તમે બહાર જતાની સાથે જ તેને વિરુદ્ધ દિશામા ફેંકી દો. આ ઉપાય અજમાવવાથી તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે.

image source

જો તમે તમારા ઘરમા રહેલી નકારાત્મકતાને દૂર કરવા ઈચ્છો છો તો લીંબૂના ૪ કટકા કરો અને તે કટકા પર લવિંગ ઉમેરો અને તેને આખા ઘરની અંદર ફેરવો અને તેને મધ્યમા મૂકી દયો. આ સિવાય જો તમારા ઘરમા કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બીમાર હોય તો તે વ્યક્તિને ઇલાજ કરવા માટે લવિંગને લીંબૂમા ઉમેરો અને તેને હાથમા લો અને ત્યારબાદ તેને સાત વખત બીમાર વ્યક્તિની ઉપર ફેરવી લો, જો તમે આ રીત અજમાવો છો તો તુરંત વ્યક્તિની બીમારી દૂર થઇ જાય છે અને તે ફરીથી સ્વસ્થ થઇ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version