Site icon News Gujarat

કરૂણતા તો જુઓ, બાળકોને ચા-બિસ્કીટ ખવડાવી માતા બહાર ગઈ, પાછી આવી ત્યાં તો બન્ને સંતાનોની માત્ર રાખ જ હાથમાં આવી

એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને બધા સદમામાં આવી ગયા છે. ખરેખર આ ભયાનક ઘટના ફરીદાબાદના તિગાંવ વિસ્તારમાં બની છે. જ્યાં મજૂરોની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. આગને જોતા અગ્નિએ એક વિશાળ રૂપ ધારણ કરી મકાનોને ભષ્મીભૂત કરી નાંખ્યા હતા. તે જ સમયે, મકાનમાં સૂતાં બે ભાઇઓ કિટ્ટી (પાંચ વર્ષ) અને બીટ્ટુ (ત્રણ વર્ષ) આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત થયો ત્યારે નિર્દોષ લોકોનાં માતા-પિતા ક્યાંક કામ પર ગયાં હતાં.

image source

માતાપિતા જ્યાં સુધીમાં ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના બંને પુત્રો બળીને ખાખ થઈ ગયા હતા, તેના જોવા માટે માત્ર રાખ જ હતી. નિર્દોષની માતા તેની હથેળીમાં આ રાખ રાખીને ખુબ ખરાબ રીતે રોઈ રહી છે. તે જ સમયે, પિતાની પણ ખરાબ હાલત છે. બંને આ વાત વારંવાર કહેતા હોય છે કે આપણે ઘણા કમનસીબ માતા-પિતા છીએ જે પોતાના બાળકોનો ચહેરો પણ જોઈ શક્યા નહીં.

image source

કહેવામાં આવે છે કે માતાએ સવારે બાળકો માટે નાના સિલિન્ડર પર ચા બનાવી, પછી ખાવાનું બનાવ્યું, અને ઘરેથી થોડી વસ્તુઓ લેવા ગઈ હતી. જેવી જ તે 10 મિનિટ પછી પરત આવી તો બધું બળીને ખાખ થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે બંને બાળકો કિટ્ટુ અને બીટ્ટુ રાજીવના પુત્ર હતા.

image source

રાજીવ મૂળ બિહારના નાલંદાનો રહેવાસી હતો, તે કચરો વીણવાનું કામ કરીને ફરિદાબાદમાં તેના પરિવારનો ઉછેર કરતો હતો. પરંતુ આ અકસ્માતે તેની પાસેથી બધું છીનવી લીધું હતું. કારણ કે સંતાનો આ દુનિયાની તેમની સૌથી મોટી સંપત્તિ હતી કે જે હવે તેમની પાસે નથી રહી. જ્વાળાઓ એટલી ભયંકર હતી કે ઘણા લોકો દૂર હોવા છતાં પણ સળગી ગયા હતા. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં અનેક ઝૂંપડપણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

image source

થોડા સમય પહેલાં અમદાવાદમાં પણ આગનો મામલો સામે આવ્યો છે. વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગના લપેટામાં 15 થી દુકાનો આવી ગઈ હતી. ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાપુનગરના ટોલનાકા ચાર રસ્તા પાસે શ્યામ શિખર કોમ્પ્લેક્સ આવેલું છે.

image source

આ કોમ્પ્લેક્સમાં મોબાઈલ વેચવાથી લઈને રિપેરીંગની અનેક દુકાનો આવેલી હોવાથી તે મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે કોમ્પ્લેક્સમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલીક મોબાઈલની દુકાનોની સાથે એટીએમ સેન્ટર પર આગની લપેટામાં આવી ગયું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં બધે પ્રસરી ગઈ હતી. લગભગ 15થી વધુ દુકાનો આગના લપેટામાં આવી હતી. દુકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

image source

જોકે, આગ કેવી રીતે લાગી હતી તે હજી માલૂમ પડ્યું નથી. પણ ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. બાપુનગરનો આ વિસ્તાર રહેણાંક એરિયા હોવાથી આસપાસના રહીશોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આગ કાબૂમા આવતા લોકોને શાંતિ થઈ હતી. જોકે, આ આગના લપેટામાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version