સુરતની આ ઘટનાથી ચારેકોર હાહાકાર, પિતરાઈ ભાઈ બહેનને થયો પ્રેમ, પરિવારે આ શરત સાથે લગ્ન કરવાની વાત કરી અને બંન્ને હૂકમાં લટકી ગયાં

તો આ વાત છે સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીની, કે જ્યાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ લેવાનો કેસ સામે આવ્યો છે. આ વાત છે પિતરાઈ ભાઈ-બહેનની જ.

જે કે પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો છે એવું હાલની તપાસમાં બહાર આવી રહ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી લેતા હાલમાં ભારે હંગામો મચી ગયો છે.

image source

આ સાથે જ જો વાત કરીએ તો ગંગા ચરણ (મૃતક પૂનમ ઉર્ફે લક્ષ્મી ઉં.વ. 17ના પિતા)એ પણ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે અક્ષય પટેલની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસીમાં રહીએ છીએ. કહી શકાય કે ઘટનાસ્થળેથી માત્ર 150 ફૂટ જ દૂર છે. હું યુપીનો રહેવાસી અને ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરી એકની એક દીકરી અને એકના એક દીકરાનું ગુજરાન ચલાવું છું.

image source

દીકરી સાથે આપઘાત કરી લેનાર મૃતક સંતરામ કોઈ બીજો નહીં મારો ભાણિયો જ થાય છે. બન્નેના પ્રેમપ્રકરણની જાણ થયા બાદ હું વતન જઈ બહેનને હાથ-પગ જોડી બન્નેના લગ્નની વાત કરવાનો જ હતો. જો કે બન્નેની ધીરજ ખૂટી ગઈ અને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

image source

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો હાલમાં પોલીસે આ ઘટનાની ગંભીરતાને સમજીને તપાસ હાથ ધરી છે. આ વિશે વાત કરતાં ઇન્દર નિશાદ (મૃતક સંતરામનો ભાઈ)એ જણાવ્યું હતું કે સંતરામ રામસેવક નિશાદ (ઉં.વ. 19, રહે. નેમારામની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસી) ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો.

તેઓ મૂળ યુપીના રહેવાસી છે. તમામ ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે રૂમ નંબર 13માં જ રહેતા હતા. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો.

image source

આગળ વાત કરતાં સંતરામનો ભાઈ ઘટના વિશે કહે છે કે, જ્યારે મે અંદર પ્રવેશ કર્યો તો બન્ને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોઈને હું ખૂબ ડરી ગયો અને બાદમાંબહાર દોડી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી અને તરત જ ઘટનાસ્થળે આવેલી પોલીસ દ્વારા પેપરવર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે બન્ને લગભગ 4-5 મહિનાથી એકબીજાને ઓળખે છે ઈન્દરે પણ આ વાત વિશે કહ્યું હતુ. લગ્ન કરાવી આપવા સંતરામ 2-3 દિવસ પહેલાં જીદ કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જો કે પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ, એમ કહેવામાં આવ્યું હતું.

image source

પણ આખરે બન્નેએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જો કે હાલની પરિસ્તથિતિ કંઈક એવી છે કે બંન્નેએ જીવન તો ટૂંકાવી નાંખ્યું પણ હાલ આપઘાત પાછળનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત