મિત્રો, આજે આ લેખમા તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો પૌરાણિક ઈતિહાસ ૪૦૦ વર્ષ જુનો છે. આ મંદિરમા અવારનવાર કોઇ ને કોઇ પ્રકારના દિવ્ય ચમત્કાર થતા જોવા મળી રહ્યા છે. આ દિવ્યધામ છે બિહાર બક્સર જિલ્લાના બહુચરમા સ્થિત રાજરાજેશ્વરી ત્રિપુર સુંદર મંદિર.
આ મંદિર તંત્ર-સાધનાના કાર્ય માટે ખૂબ જ વધારે પડતુ પ્રસિદ્ધ છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે, અહીં દરેક સાધકની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમા અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે કે, જેનો ઉકેલ આજના વિજ્ઞાન પાસે પણ નથી.
એવુ માનવામા આવી રહ્યુ છે કે, આ મંદિરની સ્થાપના એક તાંત્રિક ભવાની મિશ્રા દ્વારા કરવામા આવી હતી. આ જ તાંત્રિક ભવાની માતાના મંદિરના પૂજારી છે. અહી ખુબ જ લાંબા સમયથી એવી વાતો સાંભળવા મળી રહી છે કે, દરરોજ મૂર્તિઓની આસપાસ વાતો કરવાનો અવાજ સંભળાય છે. પહેલા આ વાતને એક અંધવિશ્વાસ માનવામા આવતો હતો પરંતુ, અમુક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા ત્યારબાદ આ ઘટના પર વિશ્વાસ આવી ગયો.
વૈજ્ઞાનિકોની એક ટીમે જ્યારે આ અંગે સંશોધન કર્યુ ત્યારે તેઓ એવા તારણ પર પહોંચ્યા કે, આ અવાજ કોઈ વ્યક્તિ દ્વારા નથી કાઢવામા આવી રહ્યો, તેમના મત મુજબ અહીંયા કોઈપણ એવી ઘટના બને છે કે, જે અજીબ છે. તેના કારણે અહી અનેકવિધ અવાજો સંભળાય છે.
અહીના ગ્રામ્ય વિસ્તારમા વસતા લોકોનુ માનવુ એવુ છે કે, આંતરિક શક્તિઓને કારણે અહી દેવી-દેવતાઓ જાગૃત થાય છે. આ મંદિરમા મુખ્ય દેવી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ છે. આ સિવાય પણ અહી બગલામુખી માતા તારામાતાની પ્રતિમા આવેલી છે. આ સિવાય અહી ઉપરની તરફ દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવેલી છે.
દેવી-દેવતાઓની આ અમૂલ્ય પ્રતિમા સિવાય પણ અહી અનેકવિધ પ્રતિમાઓ બિરાજમાન છે. આ કારણોથી જ તાંત્રિકોને આ મંદિર ઉપર વિશેષ રુચી રહેલી છે. અહીંના લોકોનુ એવું માનવુ છે કે, આ મૂર્તિઓ અંદરોઅંદર વાતચીત કરે છે. આ રહસ્યને જાણીને વૈજ્ઞાનિકો પણ ચુપ થઈ ગયા છે.
હાલ, પ્રવર્તમાન સમયમા પણ આ મંદિર પર અનેકવિધ પ્રકારના સંશોધનો ચાલી રહ્યા છે અને આ અવાજ ક્યાંથી આવે છે? તે રહસ્ય વિશે જાણવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તો હવે જોવાનું એવું રહ્યું કે, ગામલોકોની શ્રદ્ધા સાચી છે કે, વિજ્ઞાન આ રહસ્યનુ એક નવું પાસુ બહાર પડશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,