ભારતનો આ દિગ્ગજ ઓલ રાઉન્ડર ફરી ઉતરશે ક્રિકેટના મેદાનમાં, આજથી ચોગ્ગા છગ્ગાની બોલશે રમઝટ

આઈપીએલ બાદ હવે ક્રિકેટ રસીકોને ફરી ક્રિકેટનો ડોઝ મળશે. કોરોનાકાળમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ના સફળ આયોજન બાદ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ (એલપીએલ 2020) ના આયોજન પર હવે બધાની નજર છે. એલપીએલનું આયોજન 26 નવેમ્બર 2020 થી કરવામાં આવશે. પ્રથમ મેચમાં કોલંબો કિંગ્સ અને કેન્ડી ટસ્કર્સની ટીમ સામ-સામે હશે.

શ્રીલંકા ક્રિકેટે આ મામલાની સત્તાવાર જાહેરાત કરી

image source

આ લીગ અગાઉ 20 ઓગસ્ટ 2020 માં યોજાવાની હતી, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે મોકૂફ રાખવી પડી હતી આ ટી 20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ખુદ શ્રીલંકા ક્રિકેટે આ મામલાની સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનિય છે કે ભારતે સૌ પ્રથમ વખત આઈપીએલની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેની સફળતા જોઈએ બીજા ઘણા દેશમાં આ રીતની ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં પાકિસ્તાનમાં પણ આ રીતની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તો હવે ભારતના બીજા પડોશી દેશ શ્રીલંકા પણ હવે આ રેસમાં ઝંપલાવવા જઈ રહ્યું છે.

ચાર ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

image source

હકીકતમાં, સોમવારે 23 નવેમ્બર, શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ પાંચ ટીમોની સ્કોવ્ડની જાહેરાત કરી છે. આ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે ચાર ભારતીય ખેલાડીઓને પણ ત્રણ જુદી જુદી ટીમોમાં સ્થાન મળ્યું છે. જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, મધ્યમ ઝડપી બોલર મુનાફ પટેલ, ઝડપી બોલર સુદીપ ત્યાગી અને મનપ્રીતસિંહ ગોનીનો સમાવેશ થાય છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીજા ભારતીય ખેલાડીઓનો પણ સંપર્ક કર્યો હતો.

સલમાનખાને પણ ટીમ ખરીદી છે

image source

એલપીએલમાં ગાલે ગ્લેડીએટર્સ, જાફના સ્ટૈલિયન્સ, કેન્ડી ટસ્કર્સ, દાંમ્બુલી વિકિંગ્સ અને કોલંબો કિંગ્સની ટીમો ભાગ લઈ રહી છે. તેમાંથી ઇરફાન પઠાણ અને મુનાફ પટેલનો કેન્ડી ટસ્કર્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

આ ટીમ સોહેલ ખાન અને પિતા સલીમ ખાન, બોલીવુડન સુપરસ્ટાર સલમાન ખાનની છે. તે જ સમયે, સુદિપ ત્યાગીની પસંદગી દંબુલ્લાની ટીમમાં કરવામાં આવી છે, જેમણે તાજેતરમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, મનપ્રીતસિંહ ગોની કોલંબોની ટીમનો ભાગ બન્યો છે.

26 નવેમ્બરે પહેલી મેચ રમાશે

image source

અગાઉ કેન્ડી, દંબુલ્લા અને હેમ્બન્ટોટામાં મેચ યોજાવાની હતી પરંતુ હવે તમામ મેચ સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને હેમ્બન્ટોટાની મહિન્દા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમાશે. એલપીએલ 2020 ની શરૂઆત 26 નવેમ્બરથી થશે, જ્યારે આ ટૂર્નામેન્ટની અંતિમ મેચ 16 ડિસેમ્બરે રમાશે. આ ટી 20 લીગની તમામ મેચ હેમ્બન્ટોટાના મહિન્દા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની જેમ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લંકા પ્રીમિયર લીગમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ યોજી નથી, પરંતુ તેણે ફક્ત બે સેમિ-ફાઇનલ યોજવાનું નક્કી કર્યું છે, જે અંકતાલિકાની ટોચની ચાર ટીમો વચ્ચે રમાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત