Site icon News Gujarat

આ હોસ્પિટલ પાસેથી જે થાય છે પસાર, તેમની માનસિક સ્થિતિ થઇ જાય છે અસ્થિર, ભૂલથી પણ તમે ક્યારે ના જતા અહિંયા, જુઓ તસવીરોમાં

બાળપણ થી , આપણે હંમેશાં આપડા દાદા – દાદી પાસે થી ભૂત ની વાર્તા ઓ સાંભળીએ છીએ. આપડે ભૂત કથા ઓ સાંભળી ને કે વાંચી ને જ થથરી જતા હોઈએ છીએ પરંતુ વિશ્વ માં ઘણી જગ્યા ઓ એ ભૂત ની સાચી ઘટના ઘટતી હોય છે , એવો દાવો કરવામાં આવે છે કે , મઉ ની આ હોસ્પિટલ નું ભૂત એક કથા નથી પણ એક સાચી હકીકત છે.

image source

આ કહાની સત્ય હોવા નો પુરાવો આ વાત પર થી જ મળી જાય છે કે આજે પણ ગામ ના બાળકો ને હોસ્પિટલ ના ભૂત થી ચૂપ કરી દેવા માં આવે છે. લોકો એમ પણ કહે છે કે ત્યાં થી આવતા ભયાનક આવજો ને લીધે ગામ ના લોકો માટે રાત વિતાવવી મુશ્કેલ બની જાય છે . આવા ભયાનક અવાજો ક્યાંથી આવે છે તે જાણવા માટે કોઈએ આજદિન સુધી હોસ્પિટલ માં જવાની હિંમત કરી નથી.

આ વાત છે મઉ જિલ્લા ના પરદહા બ્લોક હેઠળ આવેલા રેની ગામ ની આ ગામ ની સરકારી આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ હોસ્પિટલ નહિ પરંતુ એક ખંડેર જેવી જ લાગે છે. ઝાડી – ઝાંખરા અને ખંડેરો ને કારણે અહીંનું દ્રશ્ય ખુબ જ ડરામણુ લાગે છે . દિવસ માં પણ , લોકો આ માર્ગ માં થી પસાર કરવા માટે ડરતા હોય છે . ગાઢ ઝાડી – ઝાંખરા હોવા છતાં , રસ્તો એટલો ચોખ્ખો દેખાય છે કે , જાણે કોઈ એ તેને સાફ કર્યો છે , જ્યારે ત્યાં કોઈ પણ પ્રકાર ની સાફ સફાઈ કરવા માં આવતી નથી .

જો કોઈ વ્યક્તિ દિવસ માં પણ હોસ્પિટલ પાસેથી પસાર થાય , તો તેમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ જાય છે . ઘણી વખત લોકોને લાગે છે કે હોસ્પિટલમાં ખૂબ ભીડ છે , અને લોકોના કોઈ ના રડવાનો અવાજ છે . એટલું જ નહીં , પરંતુ ભય એ હકીકતથી પણ આવે છે કે પક્ષીઓ પણ આ ખંડેર જેવી હોસ્પિટલ અને તેની દિવાલો પર બેસતા નથી .

image source

સૂર્યાસ્ત થતાં આ રસ્તો સૂમ – સામ અને બિહામણો થઈ જાય છે , પણ જો કોઈ મોટી મજબૂરી હોય તો લોકો ટોળા બનાવી ને ત્યાંથી પસાર થાય છે . અને ત્યાંથી પસાર થતા થતા તે હંમેશાં ભયભીત રહે છે કે કોઈ ભૂતપ્રેત ની સાયા તેમના પર ના પડે . રૈની ગામ ના લોકો આવી રીતે ડરી – ડરી ને જીવે છે . એવો પણ દાવો કરવા માં આવે છે , કે મધ્યરાત્રિ એ ઘુવડ ના અવાજો આવે છે . અવાજો સાંભળી ને એવું લાગે છે કે કોઈકે કાન માં પીગાળેલું સીસું ના રેડી દીધું હોય.

દરરોજ રાત પડતા ની સાથે જ ગામ લોકો સવાર પડવાની રાહ જોતા હોય છે , કારણ કે ગામની રાત તેમને ડરાવે છે . તેઓ રાત્રે ગભરાટમાં જીવે છે . ગામના લોકો કહે છે કે , દરરોજ એક એક રાત કાપવી તેમ ના માટે મુશ્કેલ બની જાય છે.

image source

એવો દાવો પણ કરવામાં આવે છે કે , કેટલીક વાર હોસ્પિટલ ની બારી માં થી લાઇટો દેખાતી હોય છે . ત્યાંથી મોટેથી રડવા ના આવજો પણ સંભળાતા હોય છે . ગામ લોકો ના કહેવા મુજબ આ અવાજો ઘણા લાંબા સમય થી આવે છે , પરંતુ કોઈને ત્યાં જઈને જોવાની હિંમત થતી નથી . ગામ ના લોકો નું કહેવું છે કે જે દિવસે હોસ્પિટલ માં થી રડવા નો અવાજ આવે છે , તેના બીજા જ દિવસે ગામમાં ભયાનક શાંતિ છવાઈ જાય છે . દરેકને ડર સતાવે છે કે કંઇક ને કંઈક અજુગતું થયું હોવું જોઈએ.

ગામ માં રહેતા 75 વર્ષિય કેદાર કહે છે કે , હોસ્પિટલ ગ્રામજનો ની સારવાર માટે બનાવવા માં આવી હતી. પરંતુ એવી શુ ખબર કે આ હોસ્પિટલ માં મૃતકો ની સારવાર કરવામાં આવશે . કેદાર કહે છે કે , આ વાત બહુ જૂની છે કે જ્યારે ગામમાં રહેતા બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો , સારવાર ન મળવા ના કારણે એકનું મોત નીપજ્યું હતું . પરંતુ થોડા દિવસો પછી, તે મૃત વ્યક્તિ ને ગામ લોકો એ જીવતા જોયા હોવા ના દાખલા સામે આવવા લાગ્યા , અને ગામ લોકો એ પણ કહે છે કે , તે કોઈ ની સાથે કંઇ બોલતો નથી . પણ બચાઓ – બચાઓ ની બૂમો પડે છે.

image source

ત્યાર થી કોઈ ત્યાં જવા ની હિંમત કરતું નથી . આ ઘટના ના થોડા દિવસો બાદ તેનો પાડોશી પણ ગામ છોડી ને બીજા ગામ ચાલ્યો ગયો હતો . અને આજદિન સુધી તે ક્યાં ગયો હતો તેની ખબર કોઈ ને નથી ત્યારબાદ જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓ ને અહીં કે ગામ ની આસપાસ જોવા ની ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે . પરંતુ જ્યારે આ મેડિકલ સબ સેન્ટર 1982 માં તૈયાર થયું , ત્યાર પછી , થોડા જ દિવસો માં ભાંગતુટ ના અવાજો આવવા લાગ્યા . કેટલાક દિવસો લોકોએ તેની ઉપર ધ્યાન દીધું નહિ . પરંતુ તે અવાજો દિવસે ને દિવસે વધતા ગયા .

ગામ લોકો એ પણ કહ્યું કે જ્યારે હોસ્પિટલ ના ડોકટરો ચાલ્યા જતા હતા ત્યારે હોસ્પિટલ નો દરવાજો રાત્રે આપમેળે ખુલી જતો હતો . પણ થોડા દિવસ , એવું લાગ્યું કે ડોક્ટર ની બેદરકારી ને લીધે , દરવાજો ખુલો રહી જતો હશે પરંતુ થોડા દિવસો પછી જ્યારે આ ઘટના સત્ય લાગવા માંડી , ત્યાર થી દરરોજ રાતના સમયે જોર થી રડવાનો અવાજ સંભલાતો હતો . હોસ્પિટલ ના ડોક્ટરો પણ પરેશાન થઈ ગયા હતા . ત્યારબાદ થી , હોસ્પિટલ બંધ હતી હોસ્પિટલ નવી જેવી જ લાગે છે , પરંતુ અંદર ના તમામ તબીબી ઉપકરણો બંધ છે . ગામ ના લોકોનો દાવો છે કે આ મશીનો વડે ભૂતો નો ઇલાજ કરવામાં આવે છે .

image source

ગામ ના મુખ્યા મુકેશ રાય જણાવે છે કે , હાલમાં અહીં મુકાયેલ મેડિકલ ડિપાર્ટમેન્ટ ની કર્મચારી અહીં ક્યારેય આવતી ન હતી . જ્યારે મુખ્યા ની વાત સાંભળી ને હોસ્પિટલે તપાસ કરવા માં આવી ત્યારે દરવાજા નજીક માણસો ના મળ મૂત્ર આસપાસ ફેલાયેલા હતા . ગંદકી ને લીધે ત્યાં જવુ મુશ્કેલ થઈ ગયું હતું. સબ-સેન્ટર માં પોસ્ટ કરેલી કર્મચારી હજી ગામમાં તો આવે છે પણ , હોસ્પિટલ માં જતી નથી કારણ કે હોસ્પિટલ માં ભૂતો નો ત્રાસ છે .

image source

રેની ગામ ની આ હોસ્પિટલ માં હજુ પણ લોકો ના રડવાના અને ચીખવા ના આવજો આવતા હોય છે . ગામ લોકો વચ્ચે એવી પણ માન્યતા ઓ પણ પ્રચલિત થઈ છે , કે જે લોકો નું આ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થયું હતું તે હજી પણ ભૂત પ્રેત બની ને ગામ માં ભટકે છે . લોકો રાત્રે તો શુ દિવસે પણ ત્યાં જતા ડરે છે આપડે કલ્પના પણ ના કરી શકી એ કે એ હોસ્પિટલ ના ડર થી ગામ ના લોકો કેવી રીતે જીવન પસાર કરતા હશે , ત્યાં ના જીવન ની કલ્પના જ ન કરી શકાય .

Exit mobile version