Site icon News Gujarat

કાળુ મીઠું અનેક હેલ્થની સમસ્યાઓ ભગાડવા માટે છે રામબાણ ઇલાજ, કબજીયાતનો પ્રોબ્લેમ હોય તો ખાસ જાણજો

કાળા મીઠા ને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતો નથી પરંતુ દવા તરીકે પણ કાર્ય કરે છે. તેમાં રહેલા ખનિજો હાડકાંને મજબૂત બનાવે છે. તેના સેવન થી પેટ સંબંધિત રોગોમાં પણ રાહત થાય છે. તો ચાલો આજે અમે તમને આ લેખમાં જણાવીએ કાળા મીઠા ના સેવન થી થતા ફાયદા વિષે.

કબજિયાત અને પેટ ફૂલવામાં રાહત આપે :

image source

જો તમને અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત હોય તો તમારે કાળા મીઠા નું સેવન કરવું જ જોઇએ. આના થી તમને ખૂબ ઝડપ થી રાહત મળશે. સાથે જ તમે ગમે તેમ કરીને તેનો આનંદ માણી રહ્યા હોવ તો પણ તમે કાળા મીઠાનું સેવન કરી શકો છો. તે ખૂબ ઝડપ થી રાહત આપે છે. એક સંશોધન મુજબ વિવિધ પ્રકારના આયુર્વેદિક પાવડર માં કાળા મીઠું હોય છે. તેમજ કાળા મીઠામાં રેચક ગુણ હોવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળે છે.

વજન ઘટાડવા માટે :

image source

સામાન્ય મીઠા માં સોડિયમ નું પ્રમાણ વધારે હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના ઉપયોગ થી હાડકાં ઓગળવાનું જોખમ વધી જાય છે, તેથી ખોરાકમાં કાળા મીઠાનો ઉપયોગ કરી શકાય છે. નેશનલ સેન્ટર ફોર બાયો ટેકનોલોજી ઇન્ફોર્મેશન અનુસાર, ખોરાકમાં વધુ સોડિયમ સ્થૂળતાને ઝડપ થી વધારે છે. તેથી કાળા મીઠાનો ઉપયોગ કરી શકાય છે. કાળા મીઠામાં સોડિયમ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

સ્નાયુઓમાં રાહત આપે :

image source

ઇલેક્ટ્રો લાઇટ્સનો અભાવ એ સ્નાયુઓના દુખાવા અને ખેંચાણનું સૌથી મોટું કારણ છે. ઇલેક્ટ્રો લાઇટ્સમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. તે કાળા મીઠામાં જોવા મળે છે. તેના સેવન થી પીડા અને ખેંચાણની સમસ્યા અમુક અંશે ઓછી થઈ શકે છે.

ખાંસી ની સમસ્યા માટે :

હા, જો તમને ઉધરસ ની સમસ્યા હોય તો તમારા મોઢામાં કાળા મીઠા નો ટુકડો મૂકીને તેનો રસ ઉતારતા રહો. આમ કર્યા બાદ લગભગ બે કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં. આ ઉપાય કરવાથી તમને કફમાં ઘણો આરામ મળશે.

image source

બાળકો ને કાળું મીઠું આપવું :

કાળા મીઠામાં સોડિયમ ઓછું હોવાથી તે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ સારું છે, તેથી તેનું સેવન બાળકો માટે પણ કરી શકાય છે. એક રિસર્ચ મુજબ બાળકો ને વધારે મીઠું આપવામાં નથી આવતું. આવી સ્થિતિમાં કાળા મીઠા નો ઉપયોગ તેમના માટે ફાયદાકારક છે. કોઈ પણ પ્રકારનો હૃદયરોગ ન થાય તેના માટે સાદું નિમક કરતા તેમના સ્થાને કાળા મીઠું નાખીને તેનું સેવન કરવાથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version