ડાયાબીટીસ હોય તો રોજ ખાઓ દાડમ, બ્લડ સુગર લેવલ રહેશે કંટ્રોલમાં અને મળશે અન્ય લાભ
ફળો ને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેમાંથી કેટલાક ફળો છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ટોચ પર બનાવે છે અને તેમાંથી એક દાડમ છે. દાડમ એક એવું ફળ છે જે પોષણથી ભરપૂર છે. તમને જણાવી દઈએ કે દાડમમાં ફ્લેવેનોઇન, ફિનોલિક્સ, વિટામિન સી, ફાઇબર, વિટામિન કે અને બી, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા ગુણધર્મો છે. દાડમ ના સેવનથી ડાયાબિટીસની સમસ્યા પર નિયંત્રણ આવી શકે છે.
ડાયાબિટીસ એ આજના સમયની ગંભીર સમસ્યાઓમાંની એક છે. જેને માત્ર જીવનશૈલી અને આહાર માં ફેરફાર કરીને જ નિયંત્રિત કરી શકાય છે. એટલું જ નહીં દાડમના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીર ને ઘણા વાયરલ ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.
ફાયદા :
ડાયાબિટીસમાં મદદરૂપ થાય :
દાડમમાં ડાયાબિટીસ વિરોધી ગુણ હોય છે, જે ડાયાબિટીસ ને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. દાડમનું રોજ સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ :
રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માટે દાડમ નું સેવન કરો. દાડમના દાણામાં જોવા મળતા એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
પાચનમાં મદદરૂપ :
દાડમમાં એન્ટી હેલિકોબેક્ટર પાયલોરી ઇફેક્ટ હોય છે. હેલિકોબેક્ટર પાયલોરી એક પ્રકારના બેક્ટેરિયા છે, જે પેટમાં જોવા મળે છે. દાડમના સેવનથી પેટની બિમારીઓ ઓછી થઈ શકે છે.
ત્વચા માટે લાભદાયી :
દાડમમાં રહેલા વિટામિન સી, વિટામિન કે, બી, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચા ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેના સેવનથી ચહેરાની કરચલીઓ અટકી શકે છે.
બાળકો માટે :
બાળકોને વારંવાર કૃમિની તકલીફ થતી હોય ત્યારે દાડમનાં ફળ ની છાલનો જ્યૂસ ચાર ચમચી તેમાં એક નાની ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વખત, એ મુજબ સતત ત્રણ દિવસ પીવડાવવું. આ ખૂબ જ પ્રાકૃતિક પ્રયોગ છે.
મરડાના રોગ માટે :
જેઓને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોય, જૂનો મરડો હોય-વારંવાર ઊપચાર કરવા છતાં, એન્ટીડિસેન્ટ્રીક દવાઓનો કોર્સ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોય, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવિંગ ને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાય તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી દિવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમય આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.
કેન્સરનું જોખમ ઓછું કરે છે :
અધ્ધયનમાં જાણવા મળે છે કે દાડમમાં હાજર એન્ટિઓક્સિડન્ટ પ્રોસ્ટેટ, ફેફસા, ત્વચા અને સ્તનના કેન્સરનું જોખમ ઓછું કરી શકે છે અને તેની વૃદ્ધિ રોકી શકે છે.