સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ રાખો આ બાબતોનુ ધ્યાન, નહિ તો મુકાશો મુશ્કેલીમાં
વાસ્તુ ટીપ્સ: સાવરણીનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહિ બની શકે આર્થિક મુશ્કેલીનું કારણ
સાવરણીને માતા દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીનું વિશેષ મહત્વ છે. સાવરણીથી સંબંધિત કેટલીક વિશેષ બાબતો વિશે જાણો.

દરેક વસ્તુની આપણા જીવનમાં સકારાત્મક અથવા નકારાત્મક અસર પડે છે. આવી જ એક વસ્તુ સાવરણી છે. જેનો ઉપયોગ ઘરની ગંદકી દૂર કરવામાં એટલે કે સાફ સફાઈ કરવામાં થાય છે. પરંતુ સાવરણી ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીનું વિશેષ મહત્વ છે. જાણીતા આચાર્ય પાસેથી સાવરણીથી સંબંધિત કેટલાક નિયમો જાણો. આનું પાલન કરવાથી, તમે તમામ પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.
સૂર્યાસ્ત પછી સાવરણીથી કચરો સાફ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાંજના સમયે સાવરણીથી કચરો સાફ કરવાથી માં લક્ષ્મી અપ્રસન્ન થાય છે. તેથી, સાંજે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમારે કોઈ કારણસર રાત્રે સાવરણીથી કચરો સાફ કરવો પડે તો તમે શું કરી શકો. ઘણી વાર એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે તમને સૂર્યાસ્ત પછી જ કચરો સાફ કરવાનો સમય મળે છે અથવા તો તમે ક્યાંક બહારથી ફરીને ઘણા દિવસો પછી રાત્રે ઘરે પહોંચો છો ત્યારે ઘર પર બહુ ધૂળ જામેલી હોય છે તો તમારે રાત્રે સફાઈ કરવી પડતી હોય છે.

જો તમે એ સમયે સાવરણીથી કચરો સાફ કરો છો, તો કચરો અથવા માટી ઘરની બહાર ફેંકશો નહીં, તેને ઘરની અંદર ડસ્ટબિન અથવા અન્ય કોઈ જગ્યા એકત્રિત કરો. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ઘરની માટી બહાર ફેંકવાથી ઘરની લક્ષ્મી બહાર જતી રહે છે અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે.
નવી સાવરણી ખરીદવાનો શુભ દિવસ

જો તમે કોઈ નવી સાવરણી ખરીદવા માંગતા હોય કે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો વાસ્તુ શાસ્ત્રમાં તેના પણ કેટલાક નિયમો છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યારે પણ તમે ઘરની જૂની સાવરણી બદલીને નવી સાવરણીનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આ માટે શનિવારના દિવસની પસંદગી કરો. શનિવારના દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આ તો હતી નવી સાવરણીના ઉપયોગ વિશેની માહિતી, પરંતુ જ્યારે તમે નવી સાવરણી ખરીદવા જઇ રહ્યા છો, તો કૃષ્ણપક્ષમાં જ સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. જ્યારે શુક્લપક્ષમાં ખરીદેલી સાવરણી અશુભ થવાની નિશાની માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો ત્યારે કૃષ્ણપક્ષમાં જ ખરીદવાનો આગ્રહ રાખો.
રસોડામાં સાવરણી કેમ રાખવી જોઈએ નહીં

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર રાખવી જ સારી હોય છે. જોકે આખા ઘરમાં રસોડાની સાફ સફાઇ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ સ્વચ્છતામાં વપરાતી વસ્તુઓ રસોડાથી દૂર રાખવી જોઈએ, તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. રસોડામાં સાવરણી અને પોતું (મોપ) રાખવાથી ઘરમાં ખોરાકનો અભાવ જોવા મળે છે કારણ કે સાવરણી અને પોતું ગંદકી સાથે સંકળાયેલા હોય છે, જેના કારણે રસોડામાં ગંદકી વધવા લાગે છે અને રસોડામાં ખોરાક રાંધીને ખાવામાં આવે છે. આ બધાની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે. તેથી, ઘરમાં ખોરાકનો પુરવઠો જાળવવા માટે, સાવરણીને રસોડાથી દૂર રાખવી જોઈએ. આ કરવાથી, તમારું રસોડું ફક્ત સ્વચ્છ જ નહીં, પણ ઘરની સમૃદ્ધિ પણ જાળવશે.
આ રીતે સાવરણી રાખશો નહીં

વાસ્તુ અનુસાર, એવું માનવામાં આવે છે કે તમારા ઘરની સાવરણીનો પૈસાની જેમ જ છુપાવીને રાખવી જોઈએ. સાવરણીને ખુલ્લી રાખવી અને આખા દિવસ દરમ્યાન સૌની નજરમાં આવવું શુભ માનવામાં આવતું નથી. આ ઉપરાંત, હંમેશાં ધ્યાનમાં રાખો કે સાવરણી ક્યારેય ઉભી ન હોવી જોઈએ, એટલે કે સાવરણીને ક્યારેય ઉભી ન મુકવી જોઈએ, તે ઘરને ગરીબી તરફ દોરી જાય છે. સાવરણી હંમેશા જમીન આડી જ પડેલી રાખવી જોઈએ.
આ દિશામાં સાવરણી રાખવી જોઈએ

વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીની યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ હોવાનું જણાવાયું છે. એવું માનવામાં આવે છે કે સાવરણીને આ દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાતી નથી. તેમજ ધ્યાનમાં રાખો કે સાવરણી ક્યારેય ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. કારણ કે આમ કરવાથી ભગવાનનું ઘરમાં આગમન થતું નથી. તેથી, સાવરણીને દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.
તૂટેલી સાવરણી મુશ્કેલીઓ ઉભી કરે છે

વાસ્તુ શાસ્ત્રના કહેવા મુજબ સાવરણી તૂટે તે પછી તરત જ તેને બદલી દેવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી તે ઘણી સમસ્યાઓ લાવે છે. સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ક્યારેય ભૂલથી પણ સાવરણી પર પગ ન મુકો. એને લક્ષ્મી માતાનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘણી આર્થિક મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે.
તિજોરી અથવા કબાટની આસપાસ સાવરણી દ્વારા કેવી રીતે સફાઈ કરવી

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે તિજોરી અથવા કબાટની પાછળ અથવા બાજુમાં સાવરણી ન રાખવી જોઈએ. જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખો છો. તેનાથી ધનહાનિ થાય છે.
જૂની સાવરણી તરત જ બદલી દો

જો તમે હજી પણ ઘરમાં જૂની અથવા ખરાબ સાવરણીનો ઉપયોગ કરો છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ તે એકદમ ખોટું છે. તમારે તરત જ તમારી સાવરણી બદલવી જોઈએ. સાવરણી તૂટ્યા બાદ તેને તરત જ બદલવી જોઈએ, કારણ કે તૂટેલી સાવરણીથી ઘરની સાફ સફાઈ ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે. તેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સાવરણીનું સન્માન કરો

ક્યારેય સાવરણી પર પગ અડાડવો ન જોઈએ. હકીકતમાં, સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ સાવરણી પર પગ મૂકવું એ માતા લક્ષ્મીનું અપમાન છે.
Source: indiatv
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત