ચન્ના મેરેયા ના ગાતો, કેટરીનાનું ધ્યાન રાખજે, રણબીર અને વિકકીના અનસીન ફોટા પર યુઝર્સ કર્યા કમેન્ટ્સ

બોલિવૂડમાં હાલના દિવસોમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચાર ચર્ચામાં છે. જેમ જેમ ડિસેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ ચાહકોના દિલમાં હલચલ મચી ગઈ છે. વાત જાણે એમે છે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી અને કેટરિનાના લગ્નનું ફંક્શન 7 થી 9 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ ચાલશે. 9 ડિસેમ્બરે વિકી અને કેટ સાત ફેરા લેશે. જો કે તેમના લગ્નના સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તમામ અહેવાલો જોઈને ચાહકો આ લગ્ન માટે ઉત્સાહિત છે.

વાયરલ થઈ રહી છે રણબીર અને વિકકીની તસ્વીર

image soucre

લગ્નની આ અફવાઓ વચ્ચે વિકી કૌશલ અને રણબીર કપૂરની એક અનસીન તસવીર વાયરલ થઈ રહી છે. વિરલ ભાયાણીએ પોતાના પેજ પરથી વિકી અને રણબીરની આ તસવીર શેર કરી છે. તસવીર જોઈને લાગે છે કે જ્યારે તેમની આ તસવીર ક્લિક કરવામાં આવી ત્યારે બંનેએ કેટલીક મજેદાર વાતો શેર કરી રહ્યા હતા. બંને એકબીજા સાથે મજાક કરતા જોવા મળે છે.

image soucre

જોકે હવે આ તસવીરો જોઈને યુઝર્સ ક્યાં શાંત રહેવાના હતા. વિકી અને રણબીરનું કેટરિના કનેક્શન જોઈને ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એકે લખ્યું- બંને ઘોડા પર ચઢવા જઈ રહ્યા છે. એકે લખ્યું- રણબીર કહેતો જ હશે- કેટરિનાનું ધ્યાન રાખજે. એકે લખ્યું- રણબીર પણ કહેતો હશે કે બહાર ફૂટપાથ પર ચાલવા ન જાવ. એકે લખ્યું- વિકી કહેતો હશે કે ભાઈ લગ્નમાં ચન્ના મેરેયા ના ગાતો

રણબીરનું નામ એક સમયે કેટરિના સાથે જોડાયું હતું, તે કોઈનાથી છુપાયેલું નથી. બંનેના અફેરે જબરદસ્ત હેડલાઇન્સ બનાવી હતી પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. જોકે કેટરીના અને રણબીર વચ્ચે બ્રેકઅપ પછી પણ સારી મિત્રતા છે અને બંનેએ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

image soucre

તો વિકી કૌશલ અને રણબીર ફિલ્મ સંજુમાં સાથે જોવા મળ્યા હતા. વિકીએ રણબીરના મિત્રનું પાત્ર ભજવ્યું હતું, જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મથી જ વિકી અને રણબીર સારા મિત્રો બની ગયા હતા. એવામાં ચાહકોને એવી પણ અપેક્ષા છે કે રણબીર વિકી અને કેટરીનાના લગ્નમાં હાજરી આપશે.

image soucre

બીજી તરફ રણબીર પોતે આલિયા સાથે લગ્ન કરી લેશે તેવી અફવાઓ પણ જોરમાં છે. રણબીર અને આલિયાના લગ્નના સમાચાર થોડા વર્ષોથી ચર્ચામાં છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે મે સુધીમાં તેઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે આ સમાચારની પુષ્ટિ પણ ક્યાં સુધી થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.