Site icon News Gujarat

ચાર દિવસનો જ કોલસો? ઘણા પાવર પ્લાન્ટસમાં થોડા જ દિવસનો સ્ટોક, જાણો નિયમ

ગયા અઠવાડિયે, બેઇજિંગ અને શાંઘાઇ સહિત ચીનના ઘણા મોટા શહેરોમાં વીજળીનું સંકટ એટલુ વધી ગયું હતું કે શેરીઓમાં માત્ર વાહનોની લાઈટો જ ચમકી રહી હતી. આ વીજ સંકટથી ચીનમાં સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. ચીનના અર્થતંત્રને પણ નુકસાન થયું, કારણ કે વીજળીના અભાવે ફેક્ટરીઓ બંધ કરવી પડી હતી. ઉત્પાદન બંધ થયું અને આવું થયું કારણ કે ચીનમાં પાવર પ્લાન્ટ પાસે કોલસાની અછત હતી. હવે ભારત પણ આવા જ સંકટ તરફ આગળ વધી રહ્યું છે. જો કે સરકારે એ વાતનો ઇનકાર કર્યો છે જ્યારે ઘણી રાજ્ય સરકારે કોલસાના સંકટનો દાવો કર્યો છે.

image soucre

દેશમાં કોલસાથી ચાલતા કુલ 135 કોલસાથી પાવર પ્લાન્ટ છે. બધા જ પાવર પ્લાન્ટમાં ઓછામાં ઓછા 20 દિવસ કોલસાનો સ્ટોક રાખવો પડે છે. પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તમામ પાવર પ્લાન્ટ પાસે કોલસાનો સ્ટોક ઘટીને થોડા દિવસોનો જ રહ્યો. 3 ઓક્ટોબરના રોજ, 25 પાવર પ્લાન્ટમાં સાત દિવસથી ઓછા કોલસાનો ભંડાર હતો. ઓછામાં ઓછા 64 પાવર પ્લાન્ટમાં ચાર દિવસથી પણ ઓછો કોલસો બચ્યો હતો. 1 ઓક્ટોબર, 2021 ના ​​રોજ ખુદ ઉર્જા મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં 134 થર્મલ પાવર પ્લાન્ટ પાસે સરેરાશ માત્ર ચાર દિવસનો કોલસો બચ્યો છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે.

.

image soucre

જોકે, તેની સાઈડઇફેક્ટ પાવર પ્લાન્ટમાં પણ દેખાવા લાગી છે. દેશના ઘણા પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન ઘટી ગયું છે. ઝારખંડના બોકારોમાં ચંદ્રપુરા થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો જથ્થો સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે. અહીં માત્ર ત્રણ દિવસનો સ્ટોક બાકી છે. મધ્યપ્રદેશના ખંડવામાં સંત સિંગાજી થર્મલ પાવર પ્લાન્ટ સહિત લગભગ તમામ પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન અડધું થઈ ગયું છે.

.
મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે, તમે જોયું કે 135 થર્મલ પાવરમાંથી 75 પાસે પાંચથી દસ દિવસનો કોલસો બાકી છે. જે દેશની સ્થિતિ છે એ જ મધ્યપ્રદેશની છે, પરંતુ વધુ સારી સ્થિતિમાં છે. અમે આશરે 45000 મેટ્રિક ટન નો સ્ટોક કર્યો છે. ક્યાંક પાંચ દિવસ માટે કોલસો છે, ક્યાંક સાત દિવસ માટે, ક્યાંક ત્રણ દિવસ માટે કોલસો છે ” તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ કહ્યું,” અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે કે પુરવઠામાં કોઈ અછત નથી. શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોલસાની કમીથી પાવર પ્લાન્ટ્સ ઠપ થવાના ડર ન તો ફક્ત એક રાજ્ય જતાવી રહ્યું છે. ન તો ફક્ત ગેર બીજેપી શાસિત રાજ્ય વ્યક્ત કરી રહ્યા છે પણ આ એક દેશવ્યાપી સત્ય છે.

ઉર્જા મંત્રી આર કે સિંહે કોલસામાં ઘટાડો કરવાના દાવાને ખારીજ કરી દીધો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મૂંઝવણ ફેલાવવાનો આરોપ લગાવતા તેમણે દાવો કર્યો કે વીજળીની કટોકટી નથી અને કોલસાનો પૂરતો સ્ટોક છે. આર કે સિંહે કહ્યું કે, “ગઈકાલે સાંજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્યમંત્રી સાથે સંભવિત વીજળી સંકટ અંગે લખેલા પત્ર વિશે વાત કરી હતી. મેં તેમને કહ્યું કે અમારા અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને એવું થશે નહીં.તેમણે કહ્યું કે મેં BSES, NTPC અને ઉર્જા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. હું તમને કહું છું કે કોઈ સમસ્યા નથી. સમસ્યા શરૂ થઈ કારણ કે ગેઈલે દિલ્હી ડિસ્કોમને ગેસ પુરવઠો બંધ કરવાનું કહ્યું હતું અને તે એટલા માટે કે ગેઈલ અને દિલ્હી ડિસ્કોમ વચ્ચેનો કરાર સમાપ્ત થઈ રહ્યો છે. તો, દિલ્હી સરકારમાં મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે કોલસાનો પુરવઠો એક દિવસ માટે બાકી છે. જો એક મહિના માટે નહીં તો 15 દિવસનો સ્ટોક હોવો જોઈએ.જો તે નહીં આવે તો ત્યાં બ્લેક આઉટ થશે. આ સિવાય મનીષ સિસોદિયાએ કહ્યું કે મને ખૂબ દુખ થયું છે કે દેશના કેન્દ્રીય મંત્રી આવા બેજવાબદાર અભિગમ અપનાવી રહ્યા છે કે જે સમયે ઘણા મુખ્યમંત્રીઓ ઉકેલ શોધવા માટે વિનંતી કરી રહ્યા છે, ત્યારે તેઓ કહી રહ્યા છે કે કોઈ ક્રાઇસીસ નથી

કોલસાના સ્ટોક પર શું નિયમો છે?

image soucre

નિયમ એ છે કે પાવર પ્લાન્ટમાં બેકઅપ તરીકે વીસ દિવસનો સરેરાશ કોલસાનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ હોવો જોઈએ અને સત્ય એ છે કે માત્ર ચાર દિવસનો કોલસો બાકી છે, જે ખુદ ઉર્જા મંત્રીએ સ્વીકાર્યું છે. આ સિવાય, ઘણી રાજ્ય સરકારોએ આ અંગે ભયજનક ચેતવણી જાહેર કરી છે.

આ બાબતે એક ગ્રામીણ રમેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચાર-પાંચ દિવસ પહેલા વીજળીનો સારો પુરવઠો હતો, પરંતુ અહીં કાપ વધ્યો છે. એક સપ્તાહ પહેલા વીજ પુરવઠો સારો હતો અને 16 કલાકથી વધુ પુરવઠો મળ્યો હતો. પરંતુ અહીં કાપ વધુ વધ્યો છે જેના કારણે ભર ઉનાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો વીજળી પાવર હાઉસમાં કામ કરતા કર્મચારી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે અમારી પાસે ફીડર પર 18 કલાક વીજ પુરવઠો છે. પરંતુ અહીં અમે માત્ર 11-12 કલાક આપી શકીએ છીએ. ઉપરથી જ સપ્લાય ઓછો છે એના લીધે આ થઈ રહ્યું છે. જણાવી રહ્યા છે કે કોલસાની કમિના કારણે સપ્લાયમાં કમી આવી છે.

રાજસ્થાન, તામિલનાડુ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર … આ એવા રાજ્યો છે જેમની સરકારોએ કેન્દ્ર સરકારને કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડાની ફરિયાદ કરી છે. પરંતુ જે રાજ્યોએ ફરિયાદ કરી નથી, ત્યાં પણ કોલસાની અછતને કારણે વીજ કાપ કોઈ મોટી સમસ્યા નથી. સૌથી મોટું ઉદાહરણ ખુદ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશના એન્જિનિયર્સ ફેડરેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે કોલસાની કટોકટીના કારણે દેશનું વીજ ઉત્પાદન પ્રભાવિત થયું છે. 135 આવા છે જે કોલસા પર ચાલે છે. અડધાથી વધુમાં કોલસો પૂરો થઈ ગયો છે. અડધામાં બે અઢી દિવસનો કોલસો બચ્યો છે.

image soucre

સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે પાવર પ્લાન્ટમાં હંમેશા ઓછામાં ઓછા વીસ દિવસનો સ્ટોક રાખવાનો નિયમ હોય, તો પછી માત્ર ચાર દિવસનો કોલસાનો જથ્થો શા માટે અસ્તિત્વમાં છે? ઉર્જા મંત્રાલયે આ માટે ચાર કારણોની ગણતરી કરી છે, જે અમે તમને વિગતવાર સમજાવીએ છીએ – પ્રથમ કારણ એ જણાવવામાં આવ્યું છે કે દેશમાં વીજળીની માંગ વધી છે. ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં 12 હજાર 400 કરોડ યુનિટ બનાવવામાં આવ્યા હતા.ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 ની સરખામણીમાં આ વર્ષના સમાન બે મહિનામાં કોલસાનો વપરાશ 18 ટકા વધ્યો છે. તે જ સમયે, બીજું કારણ આપવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરમાં કોલસાની ખાણોની આસપાસ વધુ પડતા વરસાદને કારણે કોલસાના ઉત્પાદન પર અસર પડી છે. ભારત ઘરેલું ખાણોમાંથી 75 ટકા કોલસો કાઢે છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સાની ઘણી કોલસાની ખાણોમાં પાણી ભરાવાને કારણે કામ ઘણા દિવસો સુધી બંધ રહ્યું હતું.

image socure

ત્રીજું કારણ એ આપવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં વધારાને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદેશથી કોલસાની આયાતમાં ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે, ઇન્ડોનેશિયામાં કોલસાની કિંમત માર્ચમાં 60 ડોલર પ્રતિ ટન હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ હતી. 2019 ની સરખામણીમાં આયાતી કોલસામાંથી વીજ ઉત્પાદન 43.6% ઘટ્યું છે. ચોથું કારણ એ આપવામાં આવ્યું છે કે કોરોના સમયગાળા પછી ઔદ્યોગિક પ્રવૃત્તિ વધી છે, જેના કારણે વીજળીની માંગ પણ વધી છે. ઓગસ્ટ 2019 ની સરખામણીમાં, ઓગસ્ટ 2021 માં, દેશમાં વીજળીના વપરાશમાં 18 અબજ યુનિટનો વધારો થયો છે. આ કારણોને ટાંકીને વીજ મંત્રાલયે કોલસાની અછતને થોડા દિવસોની સમસ્યા ગણાવી છે, પરંતુ હવે સામાન્ય લોકો પણ આ સમસ્યા અનુભવી રહ્યા છે.

Exit mobile version