ચોમાસામાં વધી ગઈ છે ખોડાની સમસ્યા તો કરી લો આ ખાસ ઘરેલૂ હેરપેકનો ઉપયોગ, ચપટીમાં દૂર થશે મુશ્કેલી

ડેન્ડ્રફ એ વાળ ની ખૂબ સામાન્ય સમસ્યા છે. કેટલાક લોકો ને શિયાળા અને વરસાદ ની ઋતુ જેવા બદલાતા હવામાનમાં ડેન્ડ્રફ થાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ડેન્ડ્રફ ને કારણે વાળ ખરવા પણ લાગે છે. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર નો ઉપયોગ કરી શકો છો. મધ ડેન્ડ્રફ માટે ઉત્તમ કુદરતી ઉપાય છે. તો ચાલો જાણીએ કે ડેન્ડ્રફની સારવાર માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

ડેન્ડ્રફ દૂર કરવા માટે મધ અને નાળિયેર તેલ નો ઉપયોગ કરો

નાળિયેર તેલ અને મધને સમાન માત્રામાં એક સાથે મિક્સ કરો. આ મિશ્રણ ને માથાની ચામડી અને વાળ પર લગાવો અને તમારી આંગળીઓ થી માથા ની ચામડી પર હળવે થી મસાજ કરો. ગરમ ટુવાલ ને તમારા માથાની આસપાસ લપેટો અથવા શાવર કેપ પહેરો. આ માસ્કને ત્રીસ થી ચાલીસ મિનિટ માટે માથા ની ચામડી પર છોડી દો અને ત્યારબાદ હળવા શેમ્પૂ થી ધોઈ લો. ડેન્ડ્રફ ની સારવાર માટે નો આ ઉપાય અઠવાડિયામાં બે વાર મધ અને નાળિયેર તેલ થી પુનરાવર્તિત કરી શકાય છે.

image source

ડેન્ડ્રફની સારવાર માટે મહેંદી, ઓલિવ ઓઇલ અને મધ

એક બાઉલમાં ત્રણ થી ચાર ચમચી હિના મહેંદી લો અને તેમાં થોડું ઓલિવ ઓઇલ ઉમેરી તેની પેસ્ટ બનાવો. મહેંદી ની પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરી ને એક સાથે મિક્સ કરો. તમારી આંગળીઓ થી હળવા હાથે માલિશ કરતી વખતે માથા ની ચામડી પર હેર માસ્ક લગાવો. તેને એક કલાક માટે છોડી દો. તેને ધોવા માટે હળવા શેમ્પૂ નો ઉપયોગ કરો. આ હેર પેક ને અઠવાડિયામાં એક કે બે વાર મધ સાથે લગાવો જેથી ડેન્ડ્રફ દૂર થાય.

image source

ખોડાની સારવાર માટે એલોવેરા, લીંબુનો રસ અને મધ

એક બાઉલમાં બે ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી મધ અને તાજા લીંબુ નો રસ ઉમેરો. હેર માસ્ક તૈયાર કરવા માટે બધી સામગ્રી ને એક સાથે મિક્સ કરો. તેને વાળ અને માથા ની ચામડી પર લગાવો, ધીરે ધીરે મસાજ કરો અને માસ્કને ત્રીસ થી ચાલીસ મિનિટ માટે રહેવા દો. શાવર કેપ પહેરો. ત્યારબાદ તેને હળવા શેમ્પૂ થી ધોઈ લો, અને અઠવાડિયામાં એક કે બે વાર તેનું પુનરાવર્તન કરો.

image source

ડેન્ડ્રફ દૂર કરવા માટે મધ અને દહીં

એક બાઉલ માં ચાર ચમચી તાજું દહીં લો. તેમાં એક ચમચી મધ ઉમેરો. આ હેર પેક ને આખા સ્કેલ્પ અને વાળ પર લગાવો. હળવા શેમ્પૂ થી ધોતા પહેલા તેને વીસ થી ત્રીસ મિનિટ માટે છોડી દો. અઠવાડિયામાં એક કે બે વાર ખોડો દૂર કરવા માટે મધ સાથે આ ઉપાય નું પુનરાવર્તન કરી શકાય છે. આ ઉપાય કરવાથી ડેન્ડ્રફની સમસ્યા હમેશા માટે દુર થાય છે.