કોરોના કાળમાં સ્કિનની સમસ્યા માટે દવાખાને ના જવું હોય તો આ 5 ઉપાયો છે જોરદાર અસરકારક, અજમાવો તમે પણ

અત્યારે આપણા આખા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આવી પરિસ્થિતિમાં નાની નાની કોઈ પણ સમસ્યા માટે ડોક્ટર પાસે ન જવું હોય તો ઘરે જ આ જ વસ્તુનો ઉપાય કરી લો. આજે આપણે આ લેખમાં સ્કીનને લગતી ધાધર અને ખંજવાળને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાય વિષે જાણીશું. કોરોનાની મહામારીમાં આ ઉપાય આપણને ખુબ મદદ કરે છે. તે થોડા જ દિવસમાં ધાધર અને ખંજવાળને દુર કરે છે.

હળદર

image source

હળદરમાં એન્ટીબેક્ટેરીયલ ગુણો રહેલા છે. જે કોઈ પણ ફંગલ ઇન્ફેકશનને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. કોઈ પણ કોટનના કાપડ વડે લીલી હળદરનો રસ કાઢી જે જગ્યા પર ખંજવાળ આવતી હોય ત્યાં લાગવું. આ ઉપાય દિવસમાં ત્રણ વાર કરવાથી ખંજવાળમાં ઘણી રાહત મળે છે.

પેશાબ

image source

ત્રણ દિવસનો વાસી પેશાબ ધાધર પર લગાડવાથી ધાધર મટે છે. માટે કોઈ બોટલમાં મૂત્ર એકઠું કરી ત્રણ દિવસ રાખ્યા બાદ તેને ધાધર પર લગાડવું. આ ઉપાય કરવાથી થોડા દિવસમાં ધાધર દુર થાય છે.

લસણનો રસ

લસણની અંદર એન્ટીફંગલ નામનું તત્વ રહેલું છે. જે કોઈ પણ ફંગલ ઇન્ફેકશનને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. લસણની કળીના નાના નાના ટુકડા કરી તેને પીસી લો. ત્યાર બાદ તેને પ્રભાવિત જગ્યા પર લાગવી પાટો વાળી લો. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી સ્કીનને લગતી સમસ્યા દુર થાય છે.

એપલ વિનેગર

image source

એપલ વિનેગારમાં રૂ ને પલાળીને જે જગ્યા પર ધાધર હોય તે જગ્યા પર દિવસમાં પાંચ વાર લાગવાથી રાહત થાય છે. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરવાથી સ્કીન સમસ્યા દુર થાય છે.

નારિયેળ તેલ

તોપરેલનું તેલ ખંજવાળમાં રાહત આપે છે. તે આપણી ત્વચાને મુલાયમ અને સુંદર બનાવે છે. જે જગ્યા પર ધાધર હોય અથવા કોઈ પણ જગ્યાએ ખંજવાળ આવતી હોય ત્યાં તેલને લગાડીને આખી રાત સુધી રાખવું. આ ઉપાય કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.

લીમડો

image source

લીમડો કોઇપણ ચામડીના રોગને મટાડવા માટે ઉપયોગી છે. લીમડો એક ભારતીય આયુર્વેદમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. જેમાં ખરજવા પર લીમડાનો પેસ્ટ કરવાથી ખરજવું મટે છે. લીમડાની પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકામાં જેટલા લીમડાના પાન લેવા, ત્યારબાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી બે થી ત્રણ ચમચી જેટલું નાખી અને તેને વાટીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને ધાધર અને ખંજવાળ પર લાગવાથી રાહત થાય છે.

સરસિયાના દાણા

સરસિયાના દાણાને ત્રીસ મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો, ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખંજવાળ વાળી જગ્યા પર લાગવી તેને પંદર મિનીટ સુધી રહેવા દો. ત્યાર પછી તેને ધોઈ લો. આ ઉપાય કરવાથી ખંજવાળ અને ધાધરમાં રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!