દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જે હાલના સમયમાં એક ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર કોરોના પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે પણ સ્થિતિ વધુને વધુ બેકાબુ બનતી જણાય છે. એવામાં ગુજરાતના સુરત જિલ્લામાં એક જ દિવસમાં 34 રિક્ષા ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સુપરસ્પ્રેડરની ઓળખ થઈ શકે તે માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રિક્ષાચાલકો, શાકભાજી વેપારીઓ જેવા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે તે બાદ તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનરે પત્રકારોને આપેલી જાણકારી અનુસાર સુરતમાં સોમવારે લગભગ 34 ઓટોરિક્ષા ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.
તમને આગળ કહ્યું હતું કે લોકોને રિક્ષામાં સફર દરમિયાન માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સંક્રમણની ચેન તોડવા માટે સુરતમાં મોટા બજારોમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.
ભારત ભરમાં કોરોનાએ ફરી એકવાર પોતાનો હાહાકાર મચાવ્યો છે એમાંય ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં જોજાહેર બસોને બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોના રિક્ષામાં ધસારો વધ્યો છે. એવામાં સુરતમાં એક સાથે આટલા બધા રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર ઊંચું નીચું થઈ ઉઠ્યું છે.
તમને જણાવી દઈએ કે આપણા દેશમાં અત્યાર સુધીમાં 1, 17, 33, 594 લોકો આ કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમાંથી 1, 12, 03, 016 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોને આ કોરોના વાયરસ ભરખી ગયો છે. જ્યારે 3.65 લાખ લોકોની હજી પણ સારવાર ચાલી રહી છે. .
કોરોના કેસનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47, 239 નવા દર્દી મળ્યા છે અને 23,913 દર્દીઓ સાજા થયા છે જ્યારે 227 લોકોના મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી વધુ રહ્યા.
એટલું જ નહીં મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 30 એપ્રિલ સુધી વધારી દીધા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે.
મંત્રાલય તરફથી આગળ કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.
કોરોનાના કેસમાં સતત વધારો તો થઈ જ રહ્યો છે એની સામે કોરોના વેકસીનેશનનું કામકાજ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.તમને જણાવી દઈએ કે સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રીમાં આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના ચાર્જ લઈ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
એવામાં ગઈ કાલે કેન્દ્ર સરકારે વેકસીનને લઈને એક અગત્યનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે મંગળવારે એ નિર્ણય કર્યો છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!