ભારતમાં કોરોના મહામારીને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને દરેક જણ આ રોગના અંતની રાહ જોઈ રહ્યું છે. પરંતુ દેશના ટોચના રસી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલો દાવો આપણા બધાની ચિંતા વધારનાર છે. રસી નિષ્ણાત ડો.ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ‘એડેમિસિટી’ ની દિશામાં આગળ વધી રહ્યું છે, જેનો અર્થ છે કે તે દેશમાં ક્યારેય ન ખતમ થનારી બીમારી બનવા જઈ રહ્યો છે.
લોકો વાયરસ સાથે જીવતા શીખ્યા
ડો.કાંગે કહ્યું કે સ્થાનિક સ્તરે ચેપ ફેલાશે અને દેશભરમાં ફેલાઈને રોગચાળાની ત્રીજી લહેરનું સ્વરૂપ લેશે ,પરંતુ તે પહેલાની જેમ જ ઘાતક નહીં હોય. કોઈપણ રોગ માટે એંડેમિક એ તબક્કો છે જેમાં વસ્તી તે વાયરસ સાથે જીવવાનું શીખી લે છે. તે એક રોગચાળાથી ખૂબ જ અલગ છે જે મોટી સંખ્યામાં વસ્તીને ઘેરી લે છે.
એક ઈન્ટરવ્યુમાં, ગગનદીપ કાંગે ભારતમાં કોવિડ -19 ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા કહ્યું કે, બીજી લહેર બાદ દેશની લગભગ એક તૃતિયાંશ વસ્તી તેનાથી પ્રભાવિત થઈ છે. તો શું આપણે તે જ આંકડા અને તે જ પેટર્ન તે ત્રીજામાં શોધી શકીશું જે આપણે બીજી લહેર દરમિયાન જોયું હતું? મને લાગે છે કે તેની શક્યતા ઓછી છે. અમે સ્થાનિક સ્તરે ચેપના ફેલાવાને જોશું જે નાના અને સમગ્ર દેશમાં ફેલાશે. તે ત્રીજી લહેર બની શકે છે, અને જો આપણે તહેવારો પ્રત્યેનો આપણો અભિગમ ન બદલીએ તો તે થઈ શકે છે. પરંતુ તેનું સ્કેલ આપણે પહેલા જોયયો તેના જેવો નહીં હોય.
કોરોના અત્યારે ખતમ નહીં થાય
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પ્રોફેસર કંગે જણાવ્યું હતું કે, શું કોવિડ ભારતમાં એંડેમિક સ્થિતિ સુધી પહોંચવાના માર્ગ પર છે, કાંગે કહ્યું, હા, જ્યારે તમારી પાસે કંઈક એવુ હોય જે નજીકના ભવિષ્યમાં ખતમ ન થવાનું હોય, ત્યારે તે એંડેમિક સ્થિતિ તરફ આગળ વધી જાય છે. અત્યારે આપણે SARS-CoV2 વાયરસને દૂર કરવાની દિશામાં કામ કરી રહ્યા નથી, જેનો અર્થ એ છે કે તે એંડેમિક બનવાનું છે.
તેમણે કહ્યું, આપણે ત્યાં ઘણી એંડેમિક બીમારી છે જેમ કે ઈન્ફલ્યુએન્ઝા (ફલૂ) પરંતુ અહીં એંડેમિકની સાથે સાથે મહામારીનું પણ જોખમ છે છે, ઉદાહરણ તરીકે, જો કોરોના વાયરસનો કોઈ નવો વેરિએન્ટ આવે છે, જેની સામે લડવાની શક્તિ આપણા શરીરમાં નથી, તો તે ફરીથી રોગચાળાનું સ્વરૂપ લઈ શકે છે. ડોક્ટર કાંગે કોરોના સામે લડવા માટે સારી વેક્સિન વિકસાવવા પર ભાર મુક્યો છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 26,964 નવા કેસ નોંધાયા છે અને 383 લોકોના મોત થયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 34,167 લોકો કોરોના ચેપથી મુક્ત પણ થયા છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 186 દિવસના નીચા સ્તરે છે. કોરોના રસીના આગમન પહેલા, તે સમજાયું હતું કે રસીકરણ પછી કોરોનાથી સંપૂર્ણ મુક્તિ મળશે. ફરીથી ચેપ લાગશે નહીં, પરંતુ આ વિચાર ખોટો સાબિત થયો. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં રસીકરણ પછી પણ ચેપ જોવા મળ્યો હતો. આને બ્રેકથ્રુ ચેપ કહેવાય છે. તાજેતરના અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસનું ડેલ્ટા વેરિએન્ટ પણ રસીમાંથી બનાવેલ એન્ટિબોડીઝમાં પ્રવેશ કરી શકે છે.