કોરોના મહામારીમાં ઘણા લોકોએ જીવ ગુમાવી દીધા. ઘણા બાળકોના માથા પરથી માતા -પિતાનો આધાર ઉઠી ગયો, આવા બાળકોને મદદ કરવા માટે, કેન્દ્ર સરકારે ‘પીએમ કેર ફોર ચિલ્ડ્રન’ યોજનાની શરૂઆત કરી છે.
કોરોના વાયરસના બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી. ઘણા પરિવારોનો માળો આ સમયમાં પીંખાઈ ગયો. તે જ સમયે, આ જીવલેણ વાયરસને કારણે તેમના માતાપિતા ગુમાવનારા બાળકો માટે મોદી સરકાર એક નવી યોજના લાવી છે. આવા બાળકોનું સ્ટાઇપેન્ડ વધારી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્ટાઇપેન્ડમાં મોદી સરકાર દ્વારા 2 હજાર રૂપિયાનો વધારો કરી શકાય છે. હકીકતમાં, ભારત સરકાર કોરોનામાં પરિવાર ગુમાવનારા બાળકોને સહાય તરીકે 2 હજાર રૂપિયા આપી રહી છે જેની આ યોજના છે.
હાલની એક માહિતી પ્રમાણે આ રકમ 2 હજારને બદલે વધારીને 4 હજાર રૂપિયા સુધી કરી શકાય છે. કેન્દ્રીય કેબિનેટ આગામી થોડા અઠવાડિયામાં તેની સત્તાવાર જાહેરાત કરશે. મહત્વનું છે કે 29 મેના રોજ, પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ આવા બાળકોને શિક્ષણ અને મેડિકલ ઈન્શ્યોરન્સની સુવિધા આપવાની જાહેરાત કરી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે સહાયની રકમ વધારવાના આ પ્રસ્તાવને કેબિનેટ દ્વારા આગામી કેટલાક સપ્તાહમાં મંજૂરી મળી શકે છે. સાથે જ આ પ્રસ્તાવ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
સરકાર 10 લાખ રૂપિયાની મદદ કરશે
કોરોના વાયરસ રોગચાળામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા બાળકોના માથા પરથી માતા -પિતા હાથ ઉઠી ગયો. આવા બાળકોને મદદ કરવા માટે, કેન્દ્ર સરકારે ‘પીએમ કેર ફોર ચિલ્ડ્રન’ યોજના શરૂ કરી. સરકાર આવા બાળકોને 23 વર્ષની ઉંમર થવા પર 10 લાખ રૂપિયા આપશે. આ સાથે, આરોગ્ય વીમા દ્વારા પણ તેમના ભવિષ્ય માટે વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ શિક્ષણ દ્વારા સશક્ત બનશે. તેમજ 23 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ તેમને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે.
હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવ્યું હતું
આ યોજના હેઠળ જ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે અરજી કરવા અને સહાય મેળવવા અને તેમને લાભ મેળવવા માટે લાયક બાળકોને ઓળખવા માટે pmcaresforchildren.in પર અરજીઓ આમંત્રિત કરી છે. આ હેતુ માટે એક ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક પણ ઉભું કરવામાં આવ્યું હતું, જેનો ટેલિફોન દ્વારા 011-23388074 પર સંપર્ક કરી શકાય છે અથવા pmcares-child.wcd@nic.in પર ઇમેઇલ કરી શકાય છે.