Site icon News Gujarat

જો હજી સુધી નથી ખોલાવ્યું જન ધન ખાતું તો આજે જ ખોલાવી લો, મળશે સીધા આટલા લાખનો લાભ

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ લોકોને બેંકમાં જન ધન ખાતું ખોલવાની સુવિધા આપવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરાયેલો આ એક સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય કાર્યક્રમો છે. આ યોજના હેઠળ ગરીબમાંથી ગરીબ લોકો તેમનું બેંક ખાતું ખોલી શકે છે. જેમાં ઘણાં વિવિધ આર્થિક લાભો ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ આ ફાયદાઓ વિશે

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ રૂ. 1.30 લાખનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતા ધારકને રૂ .1,00,000 નો અકસ્માત વીમો આપવામાં આવે છે, તેની સાથે સામાન્ય વીમો 30,000 નો હોય છે.

આવી સ્થિતિમાં, જો ખાતાધારકનો અકસ્માત થાય છે, તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મોત થાય છે, તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે, કુલ રૂ. 1.30 લાખનો લાભ મળે છે.

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) એ સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેંકિંગ / બચત અને થાપણ ખાતા, નાણાં, લોન, વીમા, પેન્શનની ખાતરી આપે છે. આ ખાતું કોઈપણ બેંક શાખા અથવા વ્યવસાયિક પ્રતિનિધિ આઉટલેટ પર ખોલી શકાય છે. પીએમજેડીવાય ખાતું શૂન્ય બેલેન્સ સાથે ખોલવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાતું વધારે માત્રામાં ખોલવામાં આવે છે. પરંતુ, જો તમે ઇચ્છો, તો તમે એક ખાનગી બેંકમાં તમારું જન ધન ખાતું પણ ખોલી શકો છો. જો તમારી પાસે કોઈ અન્ય બચત ખાતું છે, તો તમે તેને જન ધન ખાતામાં કન્વર્ટ પણ કરી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે એ જનધન ખાતું ખોલી શકે છે.

જન ધન ખાતું ખોલવા માટે કેવાયસી હેઠળ દસ્તાવેજોની ચકાસણી જરૂરી છે. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને જન ધન ખાતું ખોલી શકાય છે. આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ.

image source

જન ધન ખાતામાં આટલા લાભો મળશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version