Site icon News Gujarat

ધનવાન બનવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા કરો કુબેર દેવના આ ઉપાયો

આ વાતોનું ધ્યાન રાખશો તો થશો ધનવાન, કુબેર દેવનો આ ઉપાય આર્થિક તંગીને દુર કરશે

image source

આજના સમયમાં જીવનમાં આવનારી આર્થિક ખેંચતાણ માણસની સૌથી મોટી સમસ્યા બની રહે છે, ઘણી વાર એવું પણ થાય છે કે અચાનક જ જીવનમાં આર્થિક મુશ્કેલીઓ સર્જાવા લાગે છે, સમયની સાથે માણસની સ્થિતિ વધુ બગડતી હોય છે, પૈસાની કમીના કારણે માણસ સપૂર્ણ રીતે જ્યારે તૂટી જાય છે. જો કે માણસ પોતાની મહેનત દ્વારા પૈસા તો કમાવી લેતો હોય છે, પણ અહી તહિના ઓચિંતા આવતા ખર્ચમાં એ પૈસા પણ વપરાઈ જાય છે. આમ જીવનમાં પૈસાની તંગી સર્જાતી રહે છે, જો તમારા જીવનમાં પણ આ જ પ્રકારની સમસ્યા આવી રહી છે તો આવી સ્થિતિમાં તમે જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલા કેટલાક ઉપાય અપનાવી શકો છો.

image source

ખરેખર જો જીવનમાં ધન મેળવવું છે તો એના માટે કુબેર દેવતાની પૂજા-અર્ચના કરવી શુભ માનવામાં આવે છે. કુબેરને ધનના દેવ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ એમની પૂજા અથવા અર્ચના કરે છે એમના જીવનમાં પૈસાની કમી રહેતી નથી. તેમજ પરિવારમાં પણ સુખ અને સમુદ્ધિ બનેલી રહે છે. જો તમે વિધિ-વિધાનના આધારે કુબેર દેવની પૂજા કરો છો તો નીર્ધનથી નિર્ધન માણસ પણ કૃપા પામીને ધનવાન બની શકે છે.

આજે અમે આપના માટે કુબેર દેવતાને ખુશ કરવા માટેના આવા જ કેટલાક ઉપાયો વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે પણ આર્થિક તંગીમાંથી છુટકારો મેળવી શકો છો.

ધનદેવતા કુબેરને પ્રશન્ન કરવાના ઉપાય

image source

જો તમે કુબેર દેવને પ્રશન્ન કરીને ધનવાન થવા ઈચ્છો છો તો તમારે એમની વિધિ-વિધાનો આધારે પૂજા કરવી જોઈએ. આ સિવાય તમે કુબેર દેવના મંત્ર – “ॐ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।” મંત્રનો જાપ કરતા રહો. પણ હા આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે તમારી સમક્ષ ધનલક્ષ્મી કૌડી સ્થાપિત કરેલી હોય અને તમારું મુખ દક્ષીણ દિશા તરફ હોવું જોઈએ, તમારે આ ઉપાય સળંગ ત્રણ મહિના સુધી કરવો પડશે અને આ સાથે મંત્રોના જાપની સંખ્યા 108 વખત થવી જોઈએ.

જ્યારે તમે ત્રણ મહિના સુધી સળંગ કુબેર દેવતાની પૂજા આ મંત્રો સાથે પૂરી કરી લો છો ત્યારબાદ તમારે એ ધનલક્ષ્મી કૌડીને તિજોરીમાં મુકવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઉપર કુબેર દેવતાની કૃપા વરસવા લાગશે અને તમારી તિજોરી ધનથી ભરેલી રહેશે. આ મંત્રનો જાપ કરતા ધ્યાન રાખવું જોઈએ કે ૩ મહિના સુધી તમારો આ નિયમ તૂટવો ન જોઈએ અને તમે આ વિષયે કોઈની સાથે વાત ન કરો, જો આ કરતી વખતે તમારા દ્વારા કોઈ ભૂલ થશે તો આ વિધિ દ્વારા તમને કોઈ લાભ મળશે નહી.

image source

રાવણ સંહિતામાં : કુબેરની કૃપા મેળવવાનો મંત્ર

રાવણ સંહિતામાં પૈસાદાર થવા માટે ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, એ ઉપાયોમાં કુબેર દેવની કૃપા મેળવવા માટેનો મંત્ર પણ બતાવવામાં આવ્યો છે. જો તમે ભગવાન કુબેરની પૂજા દરમિયાન મંત્ર “ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:।” મંત્રનો જાપ કરશો તો એના દ્વારા કુબેર દેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બનેલી રહેશે અને જલ્દી જ તમને ધન લાભ મળશે.

પૈસાની મુશ્કેલીઓ ઓછી કરવા આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

image source

જો તમે આર્થિક સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારી સામે આવતા વધારાના આધારહીન ખર્ચાઓ પર અકુશ લાવો. આવક અને ખર્ચ વચ્ચેના સંતુલનને સાચવો. ઘરમાં પરિવારના ખર્ચા માટે બજેટ બનાવીને એ મુજબ વર્તવા પ્રયત્ન કરો.

માણસે હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ કે જેમ બને તેમ એ કોઈના જોડેથી ઉધાર લેવાનું ટાળે. તેમ છતાં જો એવી જરૂરિયાત સર્જાય તો જલ્દીથી જલ્દી એ પાછું આપી દેવાના પ્રયત્નો પણ કરવા જોઈએ.

જો તમે પોતાની મૂડીનું રોકાણ કરવા ઈચ્છો છો તો એ સ્થિતિમાં તમારે ઘણી સમજદારી પૂર્વક વિચારવું અને વર્તવું જોઈએ, સમજ્યા કે વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું જોઈએ.

image source

તમારે પૈસા સાચવતા અને ભેગા કરતા શીખવું પડશે. આમ કરવાથી જીવનમાં જ્યારે વધારે જરૂરિયાત હશે ત્યારે તમે સાચવેલા એ પૈસાનો પ્રયોગ આકરી શકશો. એટલે બની શકે ત્યાં સુધી ૬ મહિના માટેનું આપતકાલીન ફંડ સાચવીને રાખો. મુશ્કેલીના સમયે આ જમા થયેલા રુપીયા તમારા કામ આવી શકે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version