પ્રેમિ યુગલના એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર, વાંચો કાળજુ કંપાવી નાખતી આ ઘટના તમે પણ

પ્રેમિ યુગલના એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર – કાળજુ કંપાવી નાખતી ઘટના

આજકાલ ઘણા બધા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં લોકો પોતાની જાતને સૌથી મોટા ન્યાય તોળનારા સમજે છે અને કાયદો પોતાના હાથમાં લઈને મન ફાવે તેમ વર્તે છે. તાજેતરમાં રોહતકનો એક કાળજુ કંપાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અંહીં એક ભાઈએ પોતાની સગી બહેન અને તેના પતિની ચપ્પાના ઘાથી ઘાતકી હત્યા કરી નાખી છે. આ ગુના હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા સગા ભાઈ તેમજ તેના કાકાના દીકરાઓની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી પ્રમાણે યુવતિ કે જેણીની તેના સગા ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી છે તેણીએ જે યુવક સાથે લગ્ન કર્યા હતા તે તેનો પિતરાઈ ભાઈ થતો હતો.

image source

આ મામલાને લઈને તેમના સમાજની પંચાયતે તે બન્ને પતિ-પત્નીને લગભગ પાંચ મહિના પહેલાં ગામ બહાર કાઢી મૂક્યા હતા. જો કે આટલું કદાચ તેણીના ભાઈ માટે પુરતું નહોતું તો તેણે પોતાની બહેન સાથે ફોન પર વાતો કરીને તેણીને વિશ્વાસમાં લીધી હતી અને ત્યાર બાદ તેણી અને તેના પતિને અવાવરૂ જગ્યાએ બોલાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ તે બન્નેને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

આ ઘટના રોહતકના ફરમાના ગામની છે. અહીં રહેતા પૂજા તેમજ સુરેન્દ્રએ પ્રેમલગ્ન કર્યા હતા. પણ સંબંધમાં બન્ને પિતરાઈ ભાઈ બહેન થતા હોવાથી. સમાજને તેમનો આ સંબંધ ખૂંચ્યો હતો.

image source

તેમ છતાં તે બન્નેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા અને પોતાના ગામની જગ્યાએ રોહતકમાં ભાડે મકાન રાખીને પોતાનું સંસારી જીવન શરૂ કર્યું હતું. મુશ્કેલીના સમયમાં તેણીના ભાઈએ તેણીને મદદ કરવા માટે હાથ લંબાવ્યો પણ તેની પાછળનો આશય તેણી સમજી ન શકી અને પોતાના ભાઈ પર તેણે વિશ્વાસ મુક્યો. અન ભાઈના કહેવાથી તેના ભાઈની બાઈક પર તેણી અને તેનો પતિ પોતાના ગામ જવા તૈયાર થઈ ગયા. પણ બહેનનો ભાઈ પરનો આ ભરોસો તેમના માટે ખૂબ જ ગમખ્વાર સાબિત થયો. કારણ કે તેના ભાઈનો મૂળ ઉદ્દેશ તો તે બન્નેને મોતને ઘાટ ઉતારવાનો હતો અને આ ષડયંત્ર છેલ્લા ત્રણ મહિનાથી તેણે રચ્યું હતું.

image source

પૂજા અને સુરેન્દ્ર ગયા વર્ષની 19મી ઓગસ્ટે પોતાનું ગામ છોડીને જતા રહ્યા હતા. આગળ જણાવ્યું તેમ તે બન્ને પિતરાઈ ભાઈ-બહેન થતા હતા. અચાનક બન્નેના ગામમાંથી ભાગી જવાથી પૂજાના પિતાએ અહીંના મહમ પોલીસ થાનામાં પોતાની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. અને છેવટે આ ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે સુરેન્દ્ર અને પૂજાને રોહતકમાંથી પકડી પાડ્યા હતા અને જ્યારે પૂજાને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવી ત્યારે તેણે નિવેદન આપ્યું હતું કે તેણી સુરેન્દ્ર સાથે તેની મરજીથી ગઈ હતી અને હવે તેણી વયસ્ક હોવાથી તેણી તેની સાથે પ્રેમ લગ્ન કર્યા છે. યુવતિના આ નિવેદનથી પોલીસે ફરિયાદ રદ કરવી પડી હતી. છેવટે આ આખાએ મામલા બાબતે નિર્ણય લાવવા ગામમાં પંચાયત પણ ભેગી કરવામાં આવી હતી. પણ યુવતિ વયસ્ક હોવાથી કાયદેસર રીતે પરિવારજનો કોઈ જ કાર્યવાહી કરી શકે તેમ નહોતા.

image source

છેવટે પરિવારજનોનું કંઈ ન ચાલ્યું ત્યારે તેમણે આ પ્રેમી યુગલને ગામમાંથી બહાર કાઢી મુક્યા. ત્યાર બાદ સુરેન્દ્ર અને પૂજા રોહતકમાં એક ઓરડો ભાડે રાખીને રહેવા લાગ્યા. જો કે તે પહેલાં તેમની સુરક્ષા માટે તેમને સેફ હાઉસમાં થોડા દિવસ રાખવામાં આવ્યા હતા. પણ પૂજાના પરિવારજનો માટે આ એક પ્રતિષ્ટાની વાત હતી. અને તેજ પ્રતિષ્ઠાને કાયમ રાખવા માટે તેમણે આ બન્નેને મોતને હવાલે કર્યા હતા.

પૂજા પોતાના ચાર ભાઈઓમાં એક જ બહેન હતી. આ આખાએ હત્યાકાંડનો મુખ્ય આરોપી તેનો મોટો ભાઈ અજય ઉર્ફે અજીત હતો જે અહીંની સિવાની માર્કેટમાં રહેતો હતો.

ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે હતો

પોલીસ અહેવાલ પ્રમાણે અજય એટલે કે પૂજાનો સૌથી મોટો ભાઈ 17 જુનના રોજ પૂજા અને તેના પતિ સુરેન્દ્રને મનાવી પટાવીને બાઈક પર રોહતકથી ભિવાનીના સિવાની મંડી તરફ લઈ જઈ રહ્યો હતો. જો કે તેણે મુખ્ય માર્ગની જગ્યાએ અંતરિયાળ રસ્તો પસંદ કર્યો હતો. તેઓ જ્યારે ભિવાનીના બડેસરા ગામ પાસે પહોંચ્યા ત્યારે પહેલેથી જ ષડયંત્રની યોજના પ્રમાણે અજયના પિતરાઈ ભાઈ સાહિલ અને બબલુ ત્યાં હાજર હતા. પણ સૂરેન્દ્ર અને પૂજાને કંઈ સમજાય તે પહેલાં તો તેમના પર ઉપરા ઉપરી ચપ્પુના ઘા કરી દેવામાં આવ્યા હતા. સુરેન્દ્ર તો ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો હતો. પણ અંધારું હોવાથી પૂજા ત્યાંથી ભાગી જવામાં સફળ રહી હતી અને ત્યાં જ ક્યાંક ખેતરમાં છૂપાઈ ગઈ હતી.

તે લોકોએ તેને ખૂબ શોધી પણ તે ક્યાંય મળી નહીં.

image source

ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસ બડેસરા ગામના ખેતરે પહોંચી ગઈ ત્યાં જઈને જોયું તો સુરેન્દ્રની લાશ લોહીના ખાબોચીયામાં પડી હતી. તેનું ગળુ રહેંસી નાખવામાં આવ્યું હતું અને તેના ગળામાં રસ્સી પણ બાંધવામાં આવેલી હતી. અહીં એક હેલમેટ તેમજ પૂજાની ટુટેલી બંગડી પણ મળી આવી હતી. જે જોતા પોલીસે અંદાજો લગાવ્યો હતો કે પૂજા સાથે પણ આરોપીએ મારામારી કરી હતી. ઘટના સ્થળેથી બધા જ પુરાવા પોલીસ દ્વારા ભેગા કરી લેવામાં આવ્યા હતા.

આરોપી દ્વારા પૂજાને પણ ધારદાર હથિયાર વડે ઘાયલ કરવામાં આવી હતી. સૂરેન્દ્ર તો ત્યાં જ ઢળી ગયો હતો પણ પૂજા ત્યાંથી ભાગી ગઈ હોવા છતાં ખરાબ રીતે ઘવાયેલી હોવાથી બચી શકી નહોતી. તેણી લોહીથી લથબથ હાલતમાં મહમની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. જોકે ઘટના સ્થળથી મહમની સિવિલ હોસ્પિટલ આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલી હતી અને આ ઘટના રાત્રીના 10 વાગે ઘટી હતી.

શંકા એ સેવાઈ રહી છે કે પૂજા ઘાયલ સ્થિતિમાં ત્રણ કિ.મી ચાલીને કેવી રીતે પોહંચી હશે. જો કે પોલીસ એવો પણ અંદાજો લગાવી રહી છે કે તેને કદાચ રસ્તા પરથી કોઈએ લીફ્ટ આપી હશે અને કોઈ તેને હોસ્પિટલ પહોંચાડી ગયું હશે. છેવટે તે બન્નેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા અન તે બન્નેને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત