ઘરમાં વાસ્તુદોષ અને ગરીબીનો સામનો કરી રહ્યા છો તો આજે જ કરી લો આ અકસીર ઉપાય, મળશે રાહત
અનેક લોકો માને છે કે કપૂરનો ઉપયોગ ફક્ત પૂજામાં જ આરતી સમયે કરવામાં આવે છે. પરંતુ આવું નથી, કપૂરના અન્ય અનેક એવા ઉપયોગ છે જેને જાણી લેવાથી તમારો ઉદ્ધાર ખૂબ જ ઝડપથી થાય છે અને સાથે તમે અનેક મુશ્કેલીઓથી સરળતાથી દૂર રહી શકો છો. કપૂરનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ સ્વાસ્થ્યને માટે પણ તેને ઉત્તમ ગણાવાયું છે. આ સિવાય દરેક વ્યક્તિની મનોકામના રહે છે કે તેમના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિની સાથે સૌભાગ્ય બની રહે. પણ જો તમે તમારા ઘરમાં વાસ્તુદોષ હશે તો તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આ માટે આજે અમે આપને જલ્દીથી રાહત આપતો કપૂરનો ઉપાય જણાવી રહ્યા છે. જો તમે કપૂરનો આ ઉપાય કરો છો તો તમે વાસ્તુદોષની સાથે સાથે ગરીબીને પણ ઝડપથી દૂર કરી શકો છો. તો જાણો કઈ રીતે કપૂરનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે તમારે રોજ સવાર અને સાંજે પૂજાના સમયે કપૂરને દેશી ઘીમાં પલાળીને પછી સળગાવવું. આમ કરવાથી ઘરમાં સરસ સુગંધી આવે છે અને સાથે ઘરમાં દેશી ઘી અને કપૂરની સ્મેલ ફેલાયેલી રહે છે. આ સાથે તેનાથી ઘરની નેગેટિવ ઉર્જા પણ દૂર થઈ જાય છે.
વાસ્તુદોષના સ્થાને કપૂરની 2 ટિકી રાખો. આમ કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. આ સસ્તા ઉપાયથી ઝડપથી રાહત મળે છે.
જો તમને લાગે છે કે તમારા ઘરમાં રૂપિયા હોવા છતાં પણ તમે ગરીબી અનુભવો છો અને હંમેશા રૂપિયાની તંગી વર્તાતી રહે છે તો તમે રસોઈનું કામ ખતમ કર્યા બાદ રસોઈને સાફ કરી લો. આ સિવાય ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને લઈને તેને સળગાવી લો. આમ કરવાથી પણ તમે ગરીબીમાંથી જલ્દી છૂટકારો મેળવી શકો છો.
આ સિવાય તમે સવારે ન્હાવાના પાણીમાં કપૂરના તેલના થોડા ટીપાં નાંખો, આમ કરવાથી શરીર સ્વચ્છ રહેષે, એક ખાસ સ્મેલ તમને ફ્રેશ ફીલ કરાવશે અને એક નવી ચુસ્તી અને સ્ફૂર્તિ પણ આવશે. સાથે તમારું ભાગ્ય પણ ચમકી જશે.
આ સિવાય જો પતિ પત્ની વચ્ચે ઘરમાં ક્લેશ રહે છે તો તમે રાતના સમયે પતિના તકિયાની નીચે કપૂર રાખો અને સવારે તેને સળગાવી દો. આ નાનો ઉપાય તમારા સંબંધોને મધુર બનાવી દેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,