મિત્રો, ખરાન સ્વપ્નો, આર્થિક મુશ્કેલી, વ્યવસાયની ખોટ અને પતિ-પત્ની વચ્ચેના દૈનિક સંઘર્ષો આ તમામ ઘટનાઓ ઘરમા રહેલા વાસ્તુદોષના કારણે થઈ શકે છે. હા, જો ઘરમા કોઈપણ પ્રકારનો દોષ હોય તો જે કામનુ સર્જન થાય છે તે પણ ખલેલ પહોંચાડે છે. તે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો બંનેને ખુબ જ અસર કરે છે.
જો તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, તો આજે અમે તમને અમુક એવી નાની-નાની ટિપ્સ વિષે માહિતગાર કરીશુ કે, જે તમે ઘરમા સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે અપનાવી શકો છો. તો ચાલો આજે જ જાણીએ આ ટીપ્સ અને માહિતી મેળવીએ કેવી રીતે કરવો તેનો ઉપયોગ?
ઘરમા સ્થાપિત કરો અષ્ટવિનાયક પ્રતિમા :
ભગવાન ગણેશ શાણપણ અને સમૃદ્ધિના દેવ છે. તેમની મૂર્તિ ઘર અથવા ઓફિસમાં રાખવાથી સફળતામા આવતા તમામ અવરોધ દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ પણ આવે છે.
વૃક્ષોની સાર-સંભાળ રાખવી :
શાસ્ત્રો મુજબ વૃક્ષો વાવવા અને તેની જાળવણી કરવાથી તમારો તણાવ દૂર થઈ શકે છે અને ગ્રહો પણ શાંત થઈ શકે છે.
ઘરમા તૂટેલા-ફૂટેલા વાસણ ના રાખવા :
એવું માનવામાં આવે છે કે, જ્યારે તમે ઘરમા કોઈ તૂટેલુ વાસણ રાખો છો ત્યારે માતા મહાલક્ષ્મી કોપાયમાન થાય છે અને તેના કારણે ઘરમા ગરીબી આવે છે.
દોષમુક્ત ઘર બનાવો :
બુધવારે લીલા રંગનુ કોઈ ચિત્ર લાવો અને તેને ઘરની મુખ્ય દ્વારની નજીક અથવા તેની સામે સ્થાપિત કરો. એવી માન્યતા છે કે, ઘરની આ જગ્યાએ આ ચિત્ર લગાવવાથી આપણા ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે.
ઓફિસમા તૂટેલી અથવા તો પૂરી થઇ ગયેલી પેન ના રાખવી :
તમારે તમારા ઘર અથવા ઓફિસમા ક્યારેય ભૂલથી પણ તૂટેલી કે પૂરી થઇ ગયેલી પેન ના રાખવી. એવુ માનવામાં આવે છે કે, જો તમારા ઘરમા કે ઓફિસમા તૂટેલી કે પૂરી થઇ ગયેલી પેન હોય તો તે તમારી કારકિર્દીના ઘડતરમા મુશ્કેલીનુ કારણ બની શકે છે.
ઘરની છત પર દીવડો પ્રગટાવવો :
તમારે તમારા ઘરની છત પર દીવડો અથવા તો લાઇટ હમેંશા પ્રગટાવવી જોઈએ. એવુ માનવામા આવે છે કે, જો તમે તમારા ઘરના છત પર લાઈટ કે દીવડો પ્રગટાવીને અંજવાળુ પાથરો છો તો તેના કારણે તેની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી.
મંદિરની સાફ-સફાઈ કરવી :
ઘરના મંદિરમાં મૂર્તિઓ અને પૂજાની તમામ વસ્તુઓ યોગ્ય રીતે શણગારેલી હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, તે દેવતાઓને ખુશ કરે છે અને તમારા કુંડળીદોષને પણ શાંત કરે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,